Monday, January 19, 2026

અમદાવાદ પોલીસે કડકડતી ઠંડીમાં માનવતા મહેકાવી, તમે પણ કહેશો, ‘વાહ !’

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં જે રીતે ઠંડી વધી રહી છે તે રીતે સામાન્ય જનજીવન પર તેના કારણે મુશ્કેલીઓ વધી રહી છે. આ સ્થિતિમાં જાહેર માર્ગ પર ઉંઘતા અને ઘર વિહોણા લોકોની સ્થિતિ ખરાબ થઈ રહી છે. આ વચ્ચે અમદાવાદ પોલીસનું સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં પોલીસે રાત્રે ઠંડીની અંદર ઠુંઠવાતા લોકો માટે ધાબળાનું વિતરણ કરીને પોલીસે માનવતા મહેકાવી હતી.

શિયાળાની સિઝનમાં અમદાવાદ શહેરમાં જાહેર રસ્તાઓ ઉપર નિરાધાર રીતે વસવાટ કરતા નાગરીકોની પરિસ્થિતિનો વિચાર કરી ઓઢવ પોલીસ સ્ટેશન દ્વારા ગત મોડી રાત્રિના અમદાવાદ શહેર સિવિલ હોસ્પિટલ આજુબાજુના વિસ્તારમાં નિરાધાર અને નિ:સહાય, જરૂરીયાતમંદ માણસો પાસે રૂબરૂ જઈ તેઓને ઠંડીથી બચવા માંટે ધાબળાઓનું વિતરણ કરી પોલીસ ડીપાર્ટમેન્ટ તમામ વર્ગના લોકો માંટે ગમે તેવી વિકટ પરિસ્થિતીમાં તેઓની સાથે તેઓની સેવા માટે તત્પર છે અને પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તે વાતને ચરિતાર્થ કરેલ છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે. શહેરના અનેક વિસ્તારમાં ઘર વિહોણા અને નિરાધાર લોકો ફૂટપાથ પર વસવાટ કરે છે. પરિણામે આ ઠંડીની મોસમમાં તેઓને વધુ હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરના નાગરીકોના માનસપટમાં માનવીય અભિગમ જળવાઇ રહે અને અન્યને મદદરૂપ થવાની ભાવના લોકોમાં પ્રજ્વલિત થાય તે રીતે ઓઢવ પોલીસ સ્ટેશન દ્વારા દાખલારૂપ સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...