Monday, April 27, 2026

અમદાવાદવાસીઓ કાંકરિયા કાર્નિવલ માટે થઇ જાઓ તૈયાર, જાણી લો A to Z માહિતી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદવાસીઓ કાંકરિયા કાર્નિવલ માટે તૈયાર થઇ જાઓ, દર વર્ષે અમદાવાદીઓ કાંકરિયા કાર્નિવલની સંગાથે નવા વર્ષને આવકારતા હોય છે, ત્યારે આ વર્ષે પણ 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનું આયોજન થઇ રહ્યું છે. કાંકરિયા કાર્નિવલમાં અલગ અલગ પ્રકારની ઇવેન્ટ્સ, ખાણીપીણી વગેરે થતું હોય છે જેને માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.અંદાજે એક કિલોમીટર જેટલા વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ કરી ચાંપતી નજર રાખવામાં આવશે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન રાત્રે ભવ્ય આતશબાજી અને લેસર શો અને વિવિધ અવનવી પ્રકારની થીમો ઉપર લાઇટિંગ કરવાનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલમાં પ્રખ્યાત ગાયક કલાકાર પાર્થ ઓઝા, કીર્તિદાન ગઢવી, યોગેશ ગઢવી સહિતના સૂર રેલાવશે. જ્યારે શાહબુદ્દીન રાઠોડ અને જીતુભાઇ દ્વારકાવાળા જેવા હાસ્ય કલાકારો પણ લોકોને ખડખડાટ હસાવશે. પુષ્પકુંજ ગેટ નંબર એક, બાલવાટિકા અને વ્યાયામ શાળા ખાતે ત્રણ સ્ટેજ બનાવવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ પુષ્પકુંજ ગેટ ખાતે યોજાશે. રોજ સાંજે વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.

કાંકરિયા કાર્નિવલમાં સાંજે 4:30 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી અલગ-અલગ કાર્યક્રમો ત્રણેય સ્ટેજ ખાતે યોજાશે. જેમાં વિવિધ ગાયક કલાકારો દ્વારા પોતાના સૂર રેલાવશે. કોમેડી શો, જાદુગર શો, તબલાં પર્ફોર્મન્સ, માઉથ ઓર્ગન પર્ફોર્મન્સ, ડાન્સ પર્ફોમન્સ અને ક્લાસિકલ ડાન્સ, ફ્યુઝન વગેરે યોજાશે. રાતે 10 વાગ્યાની આસપાસ ભવ્ય લેસર શો અને આતશબાજી કરવામાં આવશે. રોજ વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો પહોંચશે. જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

વિવિધ થીમ આધારિત લાઇટિંગ કરવામાં આવશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા, મારું શહેર મારું ગૌરવ, વસુધૈવ કુટુંબકમ, વાઇબ્રન્ટ ગુજરાત જેવી અલગ-અલગ થીમ ઉપર લાઈટિંગ કરવામાં આવનાર છે. રંગબેરંગી લાઈટોથી કાંકરિયા પરિસરને શણગારવામાં આવશે. કાંકરિયા કાર્નિવલના સાત દિવસ સુધીના કાર્યક્રમમાં રોજ વિવિધ નેતાઓ અને કોર્પોરેટરો હાજર રહેશે.

કાંકરિયા કાર્નિવલમાં રોજના એક લાખથી વધુ લોકો આવવાના હોવાથી સુરક્ષાને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ વિભાગ દ્વારા બેઠક કરી સમગ્ર તૈયારી કરવામાં આવી છે. કાંકરિયા પરિસરમાં લાગેલા સીસીટીવી ઉપરાંત પોલીસના CCTV મળી કુલ 120 કેમેરાથી તેમજ ડ્રોનથી સર્વેલન્સ કરાશે. અલગથી એક કંટ્રોલરૂમ પણ ઊભો કરવામાં આવશે. કાંકરિયા પરિસર ખાતે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક બનાવવામાં આવશે. પોલીસની શી ટીમ ખાનગી ડ્રેસમાં ફરશે અને જો કોઈ મહિલાઓ કે યુવતીની છેડતી થશે તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...