Wednesday, January 14, 2026

લોકસભાની ચૂંટણી પહેલા ખુશખબર ! 10 રૂપિયા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ

spot_img
Share

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીને જોતા લોકોને મોટી રાહત આપવાની તૈયારીમાં છે. મળતી માહિતી અનુસાર પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં જલ્દી મોટો ઘટાડો કરી શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલિયમ મંત્રાલય પેટ્રોલ-ડીઝલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડવાનો વિચાર કરી રહ્યું છે. કિંમતોમાં ઘટાડાનો કેટલોક ભાગ ઓયલ માર્કેટિંગ કંપનીઓ તરફથી આવશે. નાણા મંત્રાલયની પાસે ભાવ ઘટાડવાના અલગ-અલગ વિકલ્પ તૈયાર છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલિયમ મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર 8-10 રૂપિયાના ઘટાડાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ અંગે પ્રધાનમંત્રીની મંજૂરી બાકી છે. ગુરુવારે મોડી રાત સુધીમાં આ અંગે નિર્ણય પણ લેવામાં આવી શકે છે.હકીકતમાં, મંત્રાલયે દલીલ કરી છે કે આયાતી ક્રૂડ ઓઈલની ખરીદ કિંમતમાં તીવ્ર ઘટાડો થયો છે. આ ક્રૂડ ઓઈલને પેટ્રોલ અને ડીઝલ બનાવવા માટે રિફાઈનરીમાં મોકલવામાં આવે છે. નાણાકીય વર્ષ 2023-24 (એપ્રિલ-માર્ચ) દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ સરેરાશ $77.14 છે, જેમાં માત્ર બે મહિનામાં જ વધારો જોવા મળ્યો છે – સપ્ટેમ્બરમાં $93.54 અને ઓક્ટોબરમાં $90.08. 2022-23માં કાચા તેલની સરેરાશ કિંમત $93.15 પ્રતિ બેરલ હતી.

6 એપ્રિલ 2022થી બંને ફ્યૂલની પૂર્વ-રિફાઇનરી કિંમતોમાં કોઈ ફેરફાર ન થવાથી ચાલુ નાણાકીય વર્ષમાં કાચા તેલની ઓછી કિંમતોને કારણે ત્રણેય સરકારી તેલ વિતરણ કંપનીઓ- ઈન્ડિયન ઓયલ કોર્પ, ભારત પેટ્રોલિયમ કોર્પ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશને મોટી કમાણી કરી છે. આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં, IOC, BPCL અને HPCLએ સંયુક્ત રીતે રૂ. 58,198 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...