Monday, March 2, 2026

લોકસભાની ચૂંટણી પહેલા ખુશખબર ! 10 રૂપિયા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ

spot_img
Share

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીને જોતા લોકોને મોટી રાહત આપવાની તૈયારીમાં છે. મળતી માહિતી અનુસાર પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં જલ્દી મોટો ઘટાડો કરી શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલિયમ મંત્રાલય પેટ્રોલ-ડીઝલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડવાનો વિચાર કરી રહ્યું છે. કિંમતોમાં ઘટાડાનો કેટલોક ભાગ ઓયલ માર્કેટિંગ કંપનીઓ તરફથી આવશે. નાણા મંત્રાલયની પાસે ભાવ ઘટાડવાના અલગ-અલગ વિકલ્પ તૈયાર છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલિયમ મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર 8-10 રૂપિયાના ઘટાડાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ અંગે પ્રધાનમંત્રીની મંજૂરી બાકી છે. ગુરુવારે મોડી રાત સુધીમાં આ અંગે નિર્ણય પણ લેવામાં આવી શકે છે.હકીકતમાં, મંત્રાલયે દલીલ કરી છે કે આયાતી ક્રૂડ ઓઈલની ખરીદ કિંમતમાં તીવ્ર ઘટાડો થયો છે. આ ક્રૂડ ઓઈલને પેટ્રોલ અને ડીઝલ બનાવવા માટે રિફાઈનરીમાં મોકલવામાં આવે છે. નાણાકીય વર્ષ 2023-24 (એપ્રિલ-માર્ચ) દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ સરેરાશ $77.14 છે, જેમાં માત્ર બે મહિનામાં જ વધારો જોવા મળ્યો છે – સપ્ટેમ્બરમાં $93.54 અને ઓક્ટોબરમાં $90.08. 2022-23માં કાચા તેલની સરેરાશ કિંમત $93.15 પ્રતિ બેરલ હતી.

6 એપ્રિલ 2022થી બંને ફ્યૂલની પૂર્વ-રિફાઇનરી કિંમતોમાં કોઈ ફેરફાર ન થવાથી ચાલુ નાણાકીય વર્ષમાં કાચા તેલની ઓછી કિંમતોને કારણે ત્રણેય સરકારી તેલ વિતરણ કંપનીઓ- ઈન્ડિયન ઓયલ કોર્પ, ભારત પેટ્રોલિયમ કોર્પ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશને મોટી કમાણી કરી છે. આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં, IOC, BPCL અને HPCLએ સંયુક્ત રીતે રૂ. 58,198 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...