Sunday, January 18, 2026

વાયબ્રન્ટ સમિટ પહેલા અમદાવાદમાં કરશે PM મોદી રોડ શો, જાણો ક્યારે યોજાશે

spot_img
Share

અમદાવાદ : વાયબ્રન્ટ ગુજરાતને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. 9 જાન્યુઆરીએ PM નરેન્દ્ર મોદી રોડ-શો કરશે. અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ-શો યોજાશે. PM નરેન્દ્ર મોદી સાથે UAEના પ્રેસિડેન્ટ પણ આ રોડ શોમાં જોડાશે. 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)માં UAE પ્રેસિડેન્ટ એક મહત્વના મહેમાન ગણાશે. PM મોદી 9 જાન્યુઆરીએ અમદાવાદ એરપોર્ટ પર UAE પ્રેસિડેન્ટનું સ્વાગત કરશે. ત્યારબાદ બંને નેતાઓ અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ-શો કરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ PM નરેન્દ્ર મોદી UAEના રાષ્ટ્રપતિની સાથે અમદાવાદ એરપોર્ટથી લઇને સાબરમતી આશ્રમ સુધી રોડ શો કરશે. PM નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીએ અમદાવાદ પહોંચી શકે છે. એવામાં PM મોદી UAEના રાષ્ટ્રપતિને રિસીવ કરવાની સાથે તેમણે રોડ શો દ્વારા રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ લઇને જશે. UAEના રાષ્ટ્રપતિ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાન તે રાષ્ટ્ર અધ્યક્ષોમાં સામેલ છે, જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી સીઝનમાં ભાગ લઇ રહ્યાં છે. આ સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 10થી 12 જાન્યુઆરી સુધી ચાલશે. ગુજરાત સરકારના અધિકારીઓ અનુસાર આ રોડ શો એરપોર્ટથી શરૂ થશે અને સાબરમતી આશ્રમ પર પૂર્ણ થશે.

ગાંધીનગરમાં 3 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ સમિટને લઈને ગૃહ વિભાગની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવેલી આ બેઠકમાં વાયબ્રન્ટની સુરક્ષા મામલે પણ ચર્ચા કરવામાં આવી હતી. તો આ બેઠકમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ગૃહ વિભાગના બજેટ અને પોલીસ ભરતી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...