Wednesday, March 4, 2026

વાયબ્રન્ટ સમિટ પહેલા અમદાવાદમાં કરશે PM મોદી રોડ શો, જાણો ક્યારે યોજાશે

spot_img
Share

અમદાવાદ : વાયબ્રન્ટ ગુજરાતને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. 9 જાન્યુઆરીએ PM નરેન્દ્ર મોદી રોડ-શો કરશે. અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ-શો યોજાશે. PM નરેન્દ્ર મોદી સાથે UAEના પ્રેસિડેન્ટ પણ આ રોડ શોમાં જોડાશે. 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)માં UAE પ્રેસિડેન્ટ એક મહત્વના મહેમાન ગણાશે. PM મોદી 9 જાન્યુઆરીએ અમદાવાદ એરપોર્ટ પર UAE પ્રેસિડેન્ટનું સ્વાગત કરશે. ત્યારબાદ બંને નેતાઓ અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ-શો કરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ PM નરેન્દ્ર મોદી UAEના રાષ્ટ્રપતિની સાથે અમદાવાદ એરપોર્ટથી લઇને સાબરમતી આશ્રમ સુધી રોડ શો કરશે. PM નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીએ અમદાવાદ પહોંચી શકે છે. એવામાં PM મોદી UAEના રાષ્ટ્રપતિને રિસીવ કરવાની સાથે તેમણે રોડ શો દ્વારા રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ લઇને જશે. UAEના રાષ્ટ્રપતિ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાન તે રાષ્ટ્ર અધ્યક્ષોમાં સામેલ છે, જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી સીઝનમાં ભાગ લઇ રહ્યાં છે. આ સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 10થી 12 જાન્યુઆરી સુધી ચાલશે. ગુજરાત સરકારના અધિકારીઓ અનુસાર આ રોડ શો એરપોર્ટથી શરૂ થશે અને સાબરમતી આશ્રમ પર પૂર્ણ થશે.

ગાંધીનગરમાં 3 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ સમિટને લઈને ગૃહ વિભાગની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવેલી આ બેઠકમાં વાયબ્રન્ટની સુરક્ષા મામલે પણ ચર્ચા કરવામાં આવી હતી. તો આ બેઠકમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ગૃહ વિભાગના બજેટ અને પોલીસ ભરતી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...