Thursday, January 22, 2026

ભાઈએ કરી મૃતક બહેનની ઈચ્છા પૂર્ણ, સતત બીજા વર્ષે સિવિલ હોસ્પિટલમાં કર્યું 75 લાખનું ઐતિહાસિક દાન

spot_img
Share

અમદાવાદ: ભાઈ–બહેનનો પ્રેમ ધૂપસળીની મહેંકની જેમ મઘમઘી ૨હે છે. એક ભાઈએ પોતાના મૃતક બહેનની ઈચ્છા પૂરી કરવા એશિયાની સૌથી મોટી અમદાવાદ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં 75 લાખ રૂપિયાનું દાન આવ્યું છે. દાનની રકમથી હોસ્પિટલમાં જે તે જરૂરી વિભાગમાં નવા સાધનો લાવવામાં આવ્યા હતા.

નડિયાદના પીજ ગામના રહેવાસી નરેન્દ્રભાઈ પટેલે પોતાની સ્વર્ગસ્થ બહેન ઉર્વશીબેન પટેલના સ્મરણાર્થે સિવિલ હોસ્પિટલમાં દાન આપવામાં આવ્યું છે. જો કે સ્વ. ઉર્વશીબેને પોતાની મિલકતના વિલમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે પૈસાનું દાન કરવાનું જણાવ્યું હતું. આમ વિલમાં જણાવ્યા અનુસાર અને પોતાની બહેનની ઈચ્છા પૂર્ણ કરવા નરેન્દ્રભાઈ પટેલે સિવિલ હોસ્પિટલમાં લાખો રૂપિયાનું દાન આપવાનું જાહેર કર્યું છે.

નરેન્દ્રભાઈએ કરેલા આ દાનનો ઉપયોગ દર્દીઓ માટે જરૂરી હોસ્પિટલના સાધનો લાવવા કરવામાં આવશે. જેનો લાભ સિવિલ હોસ્પિટલમાં આવતા લાખો દર્દીઓને મળી શકશે. ખાસ વાત તો એ છે કે નરેન્દ્રભાઈ પટેલે આ અગાઉ પણ જાન્યુઆરી 2023 માં 75 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. જેમાં આપવામાં આવેલા દાનની મોટી રકમથી હોસ્પિટલમાં જે તે જરૂરી વિભાગમાં નવા સાધનો લાવવામાં આવ્યા હતા. જેનો અનેક દર્દીઓએ લાભ લીધો હતો.

એ જ રીતે આ વખતે પણ આપવામાં આવેલા દાનથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર વધુ સુધરે તે માટે જરૂરી સાધન સામગ્રી વસાવવામાં આવશે. આમ સ્વ. ઉર્વશીબેનની ઈચ્છા પ્રમાણે તેમના ભાઈએ તેમની 75 લાખ રૂપિયાની રકમ સિવિલ હોસ્પિટલને લોકઉપયોગી થવાના શુભ આશયથી દાનમાં આપી ઉમદા કાર્ય કર્યું છે.આજરોજ મળેલ ૭૫ લાખના દાનથી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આવતા દર્દીઓને આધુનિક સુવિધા અને જરૂરિયાતો પૂરી પાડવા માટે ઉપયોગ કરવામાં આવશે તેમ સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી એ જણાવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...