Monday, January 19, 2026

ચાલો રામ લલ્લાના દર્શને, અમદાવાદથી અયોધ્યાની ટ્રેન, ટિકિટનું બુકિંગ અને અંતર, જાણો સંપૂર્ણ વિગતો

spot_img
Share

અમદાવાદ : અયોધ્યામાં આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામની નગરી અયોધ્યા ભારત અને સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જ્યાં પર લાખો કરોડો શ્રદ્ધાલુ અયોધ્યા જવાની ઈચ્છા રાખી રહ્યા છે ત્યારે અયોધ્યા રામ મંદિર સુધી પહોંચવા માટે યાત્રીઓ રેલ, રોડ અને હવાઈ સહારો લઈ રહ્યા છે. તો જો તમે અમદાવાદથી અયોધ્યા રામમંદિર જવા માંગતા હો તો ટ્રેનની સંપૂર્ણ વિગતો જાણો.

અમદાવાદથી અયોધ્યાનું અંતર લગભગ 1,463 કિલોમીટર છે. 19167 સાબરમતી એક્સપ્રેસ લગભગ 29 કલાક 12 મિનિટમાં અયોધ્યા પહોંચે છે. આ ટ્રેન અમદાવાદથી 11:10 વાગ્યે ઉપડે છે અને સવારે 10:15 વાગ્યે વારાણસી સિટી પહોંચે છે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન 39 સ્ટેશનો પર ઉભી રહે છે.

અમદાવાદથી અયોધ્યા જતી સૌથી ઝડપી ટ્રેન : અમદાવાદથી અયોધ્યા વચ્ચે દોડતી સૌથી ઝડપી ટ્રેન અમદાવાદ દરભંગા હમસફર સ્પેશિયલ (09465) છે. આ ટ્રેન 24.06 કલાકમાં 1395 કિલોમીટરનું અંતર કાપે છે. આ ટ્રેન શુક્રવારે ચાલે છે.પહેલી ટ્રેન : અમદાવાદથી અયોધ્યા જતી પ્રથમ ટ્રેન PBR MFP EXPRESS (19269) છે. આ ટ્રેન ચાંદલોડિયા (CLDY) થી સવારે 3:47 વાગ્યે ઉપડે છે.

અમદાવાદથી અયોધ્યાની સસ્તી ટ્રેન : અમદાવાદથી અયોધ્યા જતી સૌથી સસ્તી ટ્રેન 15667 કામાખ્યા એક્સપ્રેસ છે. આ ટ્રેન અમદાવાદ ADI થી 21:40 PM પર ઉપડે છે અને 23:50 PM પર અયોધ્યા પહોંચે છે. આ ટ્રેન અઠવાડિયાના શનિવારે ચાલે છે.અમદાવાદથી અયોધ્યા જતી કેટલીક વધારે ટ્રેનો : 19165 સાબરમતી એક્સપ્રેસ, 19167 સાબરમતી એક્સપ્રેસ, 09465 અમદાવાદ દરભંગા હમસફર સ્પેશિયલ, 15635 ગુવાહાટી એક્સપ્રેસ

ટ્રેન દ્વારા અમદાવાદથી અયોધ્યા જવા માટેની તત્કાલ ટિકિટ મુસાફરીની તારીખના 1 દિવસ પહેલા બુક કરી શકો છો.અમદાવાદ અને અયોધ્યા વચ્ચેના રૂટ માટે તમે કોઈપણ ટ્રેન એપ પરથી ચેક કરી શકો છો. તમે IRCTC એપ પરથી અમદાવાદથી અયોધ્યા ટ્રેન માટે સીટની ઉપલબ્ધતા ચકાસી શકો છો. અહીં ટ્રેનનું નામ અથવા નંબર દાખલ કરીને સર્ચ કરી શકો છો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...