Wednesday, March 4, 2026

ચાલો રામ લલ્લાના દર્શને, અમદાવાદથી અયોધ્યાની ટ્રેન, ટિકિટનું બુકિંગ અને અંતર, જાણો સંપૂર્ણ વિગતો

spot_img
Share

અમદાવાદ : અયોધ્યામાં આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામની નગરી અયોધ્યા ભારત અને સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જ્યાં પર લાખો કરોડો શ્રદ્ધાલુ અયોધ્યા જવાની ઈચ્છા રાખી રહ્યા છે ત્યારે અયોધ્યા રામ મંદિર સુધી પહોંચવા માટે યાત્રીઓ રેલ, રોડ અને હવાઈ સહારો લઈ રહ્યા છે. તો જો તમે અમદાવાદથી અયોધ્યા રામમંદિર જવા માંગતા હો તો ટ્રેનની સંપૂર્ણ વિગતો જાણો.

અમદાવાદથી અયોધ્યાનું અંતર લગભગ 1,463 કિલોમીટર છે. 19167 સાબરમતી એક્સપ્રેસ લગભગ 29 કલાક 12 મિનિટમાં અયોધ્યા પહોંચે છે. આ ટ્રેન અમદાવાદથી 11:10 વાગ્યે ઉપડે છે અને સવારે 10:15 વાગ્યે વારાણસી સિટી પહોંચે છે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન 39 સ્ટેશનો પર ઉભી રહે છે.

અમદાવાદથી અયોધ્યા જતી સૌથી ઝડપી ટ્રેન : અમદાવાદથી અયોધ્યા વચ્ચે દોડતી સૌથી ઝડપી ટ્રેન અમદાવાદ દરભંગા હમસફર સ્પેશિયલ (09465) છે. આ ટ્રેન 24.06 કલાકમાં 1395 કિલોમીટરનું અંતર કાપે છે. આ ટ્રેન શુક્રવારે ચાલે છે.પહેલી ટ્રેન : અમદાવાદથી અયોધ્યા જતી પ્રથમ ટ્રેન PBR MFP EXPRESS (19269) છે. આ ટ્રેન ચાંદલોડિયા (CLDY) થી સવારે 3:47 વાગ્યે ઉપડે છે.

અમદાવાદથી અયોધ્યાની સસ્તી ટ્રેન : અમદાવાદથી અયોધ્યા જતી સૌથી સસ્તી ટ્રેન 15667 કામાખ્યા એક્સપ્રેસ છે. આ ટ્રેન અમદાવાદ ADI થી 21:40 PM પર ઉપડે છે અને 23:50 PM પર અયોધ્યા પહોંચે છે. આ ટ્રેન અઠવાડિયાના શનિવારે ચાલે છે.અમદાવાદથી અયોધ્યા જતી કેટલીક વધારે ટ્રેનો : 19165 સાબરમતી એક્સપ્રેસ, 19167 સાબરમતી એક્સપ્રેસ, 09465 અમદાવાદ દરભંગા હમસફર સ્પેશિયલ, 15635 ગુવાહાટી એક્સપ્રેસ

ટ્રેન દ્વારા અમદાવાદથી અયોધ્યા જવા માટેની તત્કાલ ટિકિટ મુસાફરીની તારીખના 1 દિવસ પહેલા બુક કરી શકો છો.અમદાવાદ અને અયોધ્યા વચ્ચેના રૂટ માટે તમે કોઈપણ ટ્રેન એપ પરથી ચેક કરી શકો છો. તમે IRCTC એપ પરથી અમદાવાદથી અયોધ્યા ટ્રેન માટે સીટની ઉપલબ્ધતા ચકાસી શકો છો. અહીં ટ્રેનનું નામ અથવા નંબર દાખલ કરીને સર્ચ કરી શકો છો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...