Thursday, September 18, 2025

કાંકરીયા તળાવની મુલાકાતીઓની સુવિધામાં વધારો, ટિકિટ માટે કરી શકશે ઓનલાઈન બુકિંગ

Share

Share

અમદાવાદ : અમદાવાદના કાંકરિયાના મુલાકાતીઓને આર્કષિત કરતા આ ફરવા માટેના સ્થાનમાં હંમેશા ભીડ જોવા મળે છે. કાંકરીયામાં કુલ 7 પ્રવેશ દ્વાર છે. છતાં પણ પ્રવેશ માટે લાંબી લાઈનો રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખી AMCએ મોટો નિર્ણય લીધો છે. કાંકરીયામાં મુલાકાતીઓની સુવિધામાં વધારો કરતા ઓનલાઈન વેબસાઈટ અને મોબાઈલ એપ શરૂ કરી. જેમાં ટિકિટબારીની લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવતા ઓનલાઈન બુકિંગ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

કાંકરીયામાં પ્રવેશ માટે 12 વર્ષની નીચેના વયના બાળકો માટે પાંચ રૂપિયા અને 12 વર્ષથી ઉપરના લોકો માટે 10 રૂપિયાની ટિકિટ લેવામાં આવે છે. કાંકરીયા પરિસરની અંદર ટ્રેન, બાલવાટિકા જેવા આકર્ષણો માટે પણ નાગરિકો ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. શહેરીજનો ટિકિટ બાર પર ઉભા રહેવામાંથી મુક્તિ મેળવતા www.kankarialaketickets.com વેબસાઈટ પરથી ટિકિટ મેળવી શકાશે. કાંકરિયા લેકફ્રન્ટ દ્વારા ઓનલાઈન ટિકિટ માટે વેબસાઈટ શરૂ કરવામાં આવી જ્યારે મહાનગર પાલિકા દ્વારા મોબાઈલ એપ્લિકેશન સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં તમે મોબાઈલ એપ્લિકેશન AMC Sevaમાં Online TIcket Bookings સેકશન પરથી પણ ઓનલાઈન ટિકિટ મેળવી શકો છો.

કાંકરીયા તળાવની મુલાકાત લેવા ઇચ્છતા નાગરિકો ઓનલાઈન બુકિંગ કરાવી કોઈપણ સ્થાન પરથી ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરી શકે છે. તેઓ ડિબેટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, મોબાઈલ ઇન્ટરનેટ બેંકિગ, યુપીઆઈ વોલેટ, ફાસ્ટ ટેગ, કાર્ડ સ્વાઈપ, સ્કેચ, એનએફસી જેવા ડિજિટલ માધ્યમથી કોઈપણ પ્રકારની ટિકિટ માટે પેમેન્ટ કરી શકશે. ઉપરાંત વિવિધ પ્રકારના આકર્ષણોની પણ માહિતી મેળવી શકાશે. જે મુલાકાતીઓ ઓનલાઈન બુકિંગ કરાવા માંગે છે તેમણે પ્રથમ તેમના નામ, મોબાઈલ નંબર અને ઇ-મેઈલ આઈડીની વિગત આપવાની રહેશે.

ત્યારબાદ કાંકરિયામાં પ્રવેશ તેમજ અન્ય આર્કષણો માટે ટિકિટ લેવી હોય તે પસંદ કરી નાણાંની ચૂકવણી કરવાનું રહેશે. તેના બાદ જ ક્યુઆર કોડ સહિતની ટિકિટ જનરેટ થશે. અને તમે આપેલ મોબાઈલ નંબર તેનો SMS આવશે. યાદ રહે કે ફોનમાં આવેલ આ SMS ડીલીટ ના થાય. કેમકે તમે જ્યારે કાંકરીયામાં પ્રવેશ કરો ત્યારે તમારે ફરજીયાત બતાવવાનો રહેશે. તે બતાવ્યા બાદ જ તમને કાંકરીયાની અંદર એન્ટ્રી મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...