Tuesday, January 20, 2026

કાંકરીયા તળાવની મુલાકાતીઓની સુવિધામાં વધારો, ટિકિટ માટે કરી શકશે ઓનલાઈન બુકિંગ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના કાંકરિયાના મુલાકાતીઓને આર્કષિત કરતા આ ફરવા માટેના સ્થાનમાં હંમેશા ભીડ જોવા મળે છે. કાંકરીયામાં કુલ 7 પ્રવેશ દ્વાર છે. છતાં પણ પ્રવેશ માટે લાંબી લાઈનો રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખી AMCએ મોટો નિર્ણય લીધો છે. કાંકરીયામાં મુલાકાતીઓની સુવિધામાં વધારો કરતા ઓનલાઈન વેબસાઈટ અને મોબાઈલ એપ શરૂ કરી. જેમાં ટિકિટબારીની લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવતા ઓનલાઈન બુકિંગ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

કાંકરીયામાં પ્રવેશ માટે 12 વર્ષની નીચેના વયના બાળકો માટે પાંચ રૂપિયા અને 12 વર્ષથી ઉપરના લોકો માટે 10 રૂપિયાની ટિકિટ લેવામાં આવે છે. કાંકરીયા પરિસરની અંદર ટ્રેન, બાલવાટિકા જેવા આકર્ષણો માટે પણ નાગરિકો ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. શહેરીજનો ટિકિટ બાર પર ઉભા રહેવામાંથી મુક્તિ મેળવતા www.kankarialaketickets.com વેબસાઈટ પરથી ટિકિટ મેળવી શકાશે. કાંકરિયા લેકફ્રન્ટ દ્વારા ઓનલાઈન ટિકિટ માટે વેબસાઈટ શરૂ કરવામાં આવી જ્યારે મહાનગર પાલિકા દ્વારા મોબાઈલ એપ્લિકેશન સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં તમે મોબાઈલ એપ્લિકેશન AMC Sevaમાં Online TIcket Bookings સેકશન પરથી પણ ઓનલાઈન ટિકિટ મેળવી શકો છો.

કાંકરીયા તળાવની મુલાકાત લેવા ઇચ્છતા નાગરિકો ઓનલાઈન બુકિંગ કરાવી કોઈપણ સ્થાન પરથી ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરી શકે છે. તેઓ ડિબેટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, મોબાઈલ ઇન્ટરનેટ બેંકિગ, યુપીઆઈ વોલેટ, ફાસ્ટ ટેગ, કાર્ડ સ્વાઈપ, સ્કેચ, એનએફસી જેવા ડિજિટલ માધ્યમથી કોઈપણ પ્રકારની ટિકિટ માટે પેમેન્ટ કરી શકશે. ઉપરાંત વિવિધ પ્રકારના આકર્ષણોની પણ માહિતી મેળવી શકાશે. જે મુલાકાતીઓ ઓનલાઈન બુકિંગ કરાવા માંગે છે તેમણે પ્રથમ તેમના નામ, મોબાઈલ નંબર અને ઇ-મેઈલ આઈડીની વિગત આપવાની રહેશે.

ત્યારબાદ કાંકરિયામાં પ્રવેશ તેમજ અન્ય આર્કષણો માટે ટિકિટ લેવી હોય તે પસંદ કરી નાણાંની ચૂકવણી કરવાનું રહેશે. તેના બાદ જ ક્યુઆર કોડ સહિતની ટિકિટ જનરેટ થશે. અને તમે આપેલ મોબાઈલ નંબર તેનો SMS આવશે. યાદ રહે કે ફોનમાં આવેલ આ SMS ડીલીટ ના થાય. કેમકે તમે જ્યારે કાંકરીયામાં પ્રવેશ કરો ત્યારે તમારે ફરજીયાત બતાવવાનો રહેશે. તે બતાવ્યા બાદ જ તમને કાંકરીયાની અંદર એન્ટ્રી મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...