Tuesday, January 13, 2026

ASI હત્યા મામલે મુખ્ય આરોપી અને કાર ડ્રાઇવરની રાજસ્થાનથી કરાઇ ધરપકડ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ કણભાનાં ASI ની હત્યા મામલે મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપીની ધરપકડ કરવામાં આવી છે.રાજસ્થાન થી SMC એ ધરપકડ કરી હતી.આ ઉપરાંત સાબરમતી પોલીસે ભુપીની કારનાં ડ્રાઇવરની પણ ધરપકડ કરી હતી.આ બંન્ને આરોપીઓ પોલીસની કારને ટક્કર મારીને ફરાર થયા હતા.જેને ઝડપીને ગ્રામ્ય પોલીસને સોંપવાની કામગીરી કરવામાં આવી હતી.

કણભામાં દારૂની હેરાફેરી કરી રહેલા બુટલેગરને પકડવા જતા પોલીસ કર્મચારીઓની PCR વાનને બુટલેગરએ ટક્કર મારતા ASI બળદેવજી નિનામાંનું મોત નીપજ્યું હતું. કણભામાં ભાવડા પાટિયા નજીક કારમાં દેશી દારૂની હેરાફેરી થઈ રહી હતી. ત્યારે કણભા પોલીસ સ્ટેશનમાં PCR વાનમાં ASI બળદેવજી નિનામાં અને પોલીસ કર્મચારી પસાર થઈ રહી હતી. ASI બળદેવજી નિનામાંને કાર શકાસ્પદ લાગી હતી. જેથી તેને રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરએ પોલીસની PCR વાનને ટક્કર મારી હતી.ટક્કર વાગતા PCR વાન પલટી થઈ જતા ASI બળદેવજી નિનામાં અને પોલીસ કર્મચારીને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં ASIનું મોત નીપજ્યું હતું. કણભા પોલીસે બુટલેગર ભુપેન્દ્ર ઉર્ફે ભુપી અને અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી હતી.

કણભાના ASI બળદેવજી નિનામાંની હત્યા કેસને લઈને પોલીસ તપાસ કરતા રિટ્ઝ કારનો માલિક ઝાકીર શેખ હોવાનું ખુલ્યું હતું. રાણીપનો બુટેલગર ભુપેન્દ્ર ઉર્ફે ભુપીનું નામ ખુલ્યું હતું. આ કાર ખેડાથી દારૂનો જથ્થો લઈને ઓઢવ અને રાણીપ વિસ્તારમાં જઈ રહી હતી. પરંતુ ભાવડા પાટિયા નજીક PCR વાને અટકાવતા તેઓએ ગાડી ચઢાવીને હત્યા કરી હતી. આ ગાડીમાંથી રૂ 14 હજારનો દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં હત્યા કરનાર બુટલેગર સાથે વધુ એક ગાડી પણ હતી. જે આરોપીઓને લઈને ફરાર થઇ ગયા હતા.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....