Saturday, March 7, 2026

ગુજરાતમાં 75માં ગણતંત્રની ઉજવણી, ક્યાં કેવી રીતે ઉજવણી કરાઈ, જાણો ?

spot_img
Share

અમદાવાદ : આજરોજ 75 માં ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવેલ, સોમનાથ પરીસરમાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના વરદ હસ્તે ધ્વજ વંદન યોજાયેલ, જેમાં પોલીસ કર્મીઓ, એસ.આર.પી, જી.આર.ડી તથા ટ્રસ્ટના સલામતી સ્ટાફ, ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો જોડાયા હતા.

75 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO ઉદિત અગ્રવાલ નાં હસ્તે ભારતનો તિરંગો લહેરાવાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેમજ કર્મચારીઓએ તિરંગાને સલામી આપી હતી.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં અનોખું ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પાવાગઢના સર્વોચ્ચ શિખર પર વિરાજમાન મહાકાળી માતાના ધામમાં ધ્વજવંદન કરાયું હતું. નીજ મંદિર પરિસરમાં ડૉ. વિજય પટેલ દ્વારા ધ્વજવંદન કરાયું. પાવાગઢમાં ભક્તિ સાથે દેશ ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. 75મા પ્રજાસતાક પર્વ નીમિતે મહાકાળી મંદિરમાં તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના ગર્ભગૃહમાં આરતી બાદ આન બાન શાન સાથે રાષ્ટ્રગીત પણ ગવાયું હતું.

પોરબંદરમાં 75મા ગણતંત્ર દિવસે અનોખી ઉજવણી કરાઇ હતી. શિયાળાની કડકડતી ઠંડીમાં સમુદ્રમાં ધ્વજવંદન કરાયું હતું. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા સમુદ્રમાં ધ્વજવંદન કરાયું હતું. દર વર્ષે સ્વતંત્રતા અને ગણતંત્રના દિવસે સમુદ્રમાં ધ્વજવંદન ધ્વજવંદન કરાય છે. સમુદ્રમાં ધ્વજવંદન કરી અનોખી દેશભક્તિ જોવા મળી હતી.

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કષ્ટભંજન દેવને તિરંગાના વાધાનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાની મૂર્તી તથા સિંહાસનને તિરંગાથી શણગાર કરાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દિવ્ય શણગારે ઉમટી પડ્યા હતા.

અમદાવાદના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાનજી મંદિરે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કષ્ટભંજન દેવને તિરંગાના વાધાનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાની મૂર્તીને તિરંગા રંગોથી શણગાર કરાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દિવ્ય શણગારે ઉમટી પડ્યા હતા.

આ ઉપરાંત અમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે પણ દર વર્ષ ની પરંપરા મુજબ ભગવાન ગણેશને તિરંગા રંગોથી શણગાર કરાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દિવ્ય શણગારે ઉમટી પડ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...