Thursday, January 15, 2026

ગુજરાતમાં 75માં ગણતંત્રની ઉજવણી, ક્યાં કેવી રીતે ઉજવણી કરાઈ, જાણો ?

spot_img
Share

અમદાવાદ : આજરોજ 75 માં ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવેલ, સોમનાથ પરીસરમાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના વરદ હસ્તે ધ્વજ વંદન યોજાયેલ, જેમાં પોલીસ કર્મીઓ, એસ.આર.પી, જી.આર.ડી તથા ટ્રસ્ટના સલામતી સ્ટાફ, ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો જોડાયા હતા.

75 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO ઉદિત અગ્રવાલ નાં હસ્તે ભારતનો તિરંગો લહેરાવાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેમજ કર્મચારીઓએ તિરંગાને સલામી આપી હતી.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં અનોખું ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પાવાગઢના સર્વોચ્ચ શિખર પર વિરાજમાન મહાકાળી માતાના ધામમાં ધ્વજવંદન કરાયું હતું. નીજ મંદિર પરિસરમાં ડૉ. વિજય પટેલ દ્વારા ધ્વજવંદન કરાયું. પાવાગઢમાં ભક્તિ સાથે દેશ ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. 75મા પ્રજાસતાક પર્વ નીમિતે મહાકાળી મંદિરમાં તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના ગર્ભગૃહમાં આરતી બાદ આન બાન શાન સાથે રાષ્ટ્રગીત પણ ગવાયું હતું.

પોરબંદરમાં 75મા ગણતંત્ર દિવસે અનોખી ઉજવણી કરાઇ હતી. શિયાળાની કડકડતી ઠંડીમાં સમુદ્રમાં ધ્વજવંદન કરાયું હતું. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા સમુદ્રમાં ધ્વજવંદન કરાયું હતું. દર વર્ષે સ્વતંત્રતા અને ગણતંત્રના દિવસે સમુદ્રમાં ધ્વજવંદન ધ્વજવંદન કરાય છે. સમુદ્રમાં ધ્વજવંદન કરી અનોખી દેશભક્તિ જોવા મળી હતી.

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કષ્ટભંજન દેવને તિરંગાના વાધાનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાની મૂર્તી તથા સિંહાસનને તિરંગાથી શણગાર કરાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દિવ્ય શણગારે ઉમટી પડ્યા હતા.

અમદાવાદના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાનજી મંદિરે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કષ્ટભંજન દેવને તિરંગાના વાધાનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાની મૂર્તીને તિરંગા રંગોથી શણગાર કરાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દિવ્ય શણગારે ઉમટી પડ્યા હતા.

આ ઉપરાંત અમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે પણ દર વર્ષ ની પરંપરા મુજબ ભગવાન ગણેશને તિરંગા રંગોથી શણગાર કરાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દિવ્ય શણગારે ઉમટી પડ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...