Wednesday, March 11, 2026

ચાણક્યપુરી બ્રીજ પાસે લગાવાયેલ કિલર બમ્પની જ હવા નીકળી ગઈ, રોડ પરથી થયા ગાયબ

spot_img
Share

અમદાવાદ : ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે છતાં પણ વાહન ચાલકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવતું નથી. રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોને રોકવા માટે AMCના ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં ચાણક્યપુરી બ્રિજ પાસેના સર્વિસ રોડ ઉપર ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા.AMCએ ગત ઓગસ્ટ મહિનામાં લગાવેલ કિલર બમ્પ ગાયબ થઈ ગયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના ચાણક્યપુરીના બ્રીજના પાસે AMCના ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં કિલર બમ્પ લગાવ્યા હતા. આ કિલર બમ્પ અત્યારે ગાયબ થઈ ગયા છે. ટ્રાફિક નિયંત્રણ કરવા અને રોંગ સાઈડ આવતા વાહનોને રોકવા માટે કિલર બમ્પ નાખવામાં આવ્યા હતા.AMCએ મોટા ઉપાડે મુકેલા કિલર બમ્પનુ ક્યાંય નામોનિશાન જોવા મળતુ નથી.આ બ્રેકર જ્યારે લગાવાયા ત્યારે એક દિવસમાં હજારો વાહનો આ ટાયર કિલર બમ્પ ઉપરથી પસાર થયા હતા. જેના પગલે આજે કેટલીક જગ્યાએ બમ્પને નુકસાન થયું હતું. AMC ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ બમ્પને રીપેરીંગ કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં બેફામ ઝડપે ગાડી હંકારતા નબીરાઓ અને નાગરિકોને પાઠ ભણાવવા AMCએ મોટા ઉપાડે ટાયર કિલર બમ્પ નાંખ્યા હતા. કિલર બમ્પ રોંગ સાઇડમાં આવતા વાહનોના ટાયર પણ ફાડી નાંખશે તેવો દાવો કરવામાં આવ્યો હતો.પરંતુ હવે સબક શીખવાડવા માટે લગાવાયેલા કિલર સ્પીડ બ્રેકરનું જ ગાયબ થઈ ગયા છે. બમ્પ મૂક્યાના થોડા સમયમાં જ વાહનચાલકોએ બમ્પની ચકાસણી કરી હતી. જેમા જાણવા મળ્યું કે કોઈ ટાયર ફાટતા નથી. તેથી તેઓ બિન્દાસ્ત ગાડી લઈને તેના ઉપરથી રોંગ સાઈડ જવા લાગ્યા હતા.મતલબ કે આ બ્રેકર જ્યારે લગાવાયા ત્યારે જ કોઇ કામના નહોતા ?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...