Friday, January 16, 2026

ચાણક્યપુરી બ્રીજ પાસે લગાવાયેલ કિલર બમ્પની જ હવા નીકળી ગઈ, રોડ પરથી થયા ગાયબ

spot_img
Share

અમદાવાદ : ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે છતાં પણ વાહન ચાલકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવતું નથી. રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોને રોકવા માટે AMCના ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં ચાણક્યપુરી બ્રિજ પાસેના સર્વિસ રોડ ઉપર ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા.AMCએ ગત ઓગસ્ટ મહિનામાં લગાવેલ કિલર બમ્પ ગાયબ થઈ ગયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના ચાણક્યપુરીના બ્રીજના પાસે AMCના ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં કિલર બમ્પ લગાવ્યા હતા. આ કિલર બમ્પ અત્યારે ગાયબ થઈ ગયા છે. ટ્રાફિક નિયંત્રણ કરવા અને રોંગ સાઈડ આવતા વાહનોને રોકવા માટે કિલર બમ્પ નાખવામાં આવ્યા હતા.AMCએ મોટા ઉપાડે મુકેલા કિલર બમ્પનુ ક્યાંય નામોનિશાન જોવા મળતુ નથી.આ બ્રેકર જ્યારે લગાવાયા ત્યારે એક દિવસમાં હજારો વાહનો આ ટાયર કિલર બમ્પ ઉપરથી પસાર થયા હતા. જેના પગલે આજે કેટલીક જગ્યાએ બમ્પને નુકસાન થયું હતું. AMC ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ બમ્પને રીપેરીંગ કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં બેફામ ઝડપે ગાડી હંકારતા નબીરાઓ અને નાગરિકોને પાઠ ભણાવવા AMCએ મોટા ઉપાડે ટાયર કિલર બમ્પ નાંખ્યા હતા. કિલર બમ્પ રોંગ સાઇડમાં આવતા વાહનોના ટાયર પણ ફાડી નાંખશે તેવો દાવો કરવામાં આવ્યો હતો.પરંતુ હવે સબક શીખવાડવા માટે લગાવાયેલા કિલર સ્પીડ બ્રેકરનું જ ગાયબ થઈ ગયા છે. બમ્પ મૂક્યાના થોડા સમયમાં જ વાહનચાલકોએ બમ્પની ચકાસણી કરી હતી. જેમા જાણવા મળ્યું કે કોઈ ટાયર ફાટતા નથી. તેથી તેઓ બિન્દાસ્ત ગાડી લઈને તેના ઉપરથી રોંગ સાઈડ જવા લાગ્યા હતા.મતલબ કે આ બ્રેકર જ્યારે લગાવાયા ત્યારે જ કોઇ કામના નહોતા ?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...