Thursday, January 22, 2026

જો તમને પાલતું શ્વાન પાળવાના શોખ છે તો તેનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે, AMC જાહેર કરશે નિયમો

spot_img
Share

અમદાવાદ : કહેવાય છે કે શ્વાન એ સૌથી વફાદાર છે અને તેથી જ મોટી સંખ્યામાં લોકો તેને પાળે છે. ઘરમાં શ્વાનને સારી સગવડો પણ આપવામાં આવે છે. જો તમે પણ ઘરમાં પાલતું શ્વાન રાખનારા લોકોમાંથી છો અને સ્માર્ટ સિટી અમદાવાદમાં ઘર ધરાવો છો તો તમારી માટે હવે ઘરમાં તમારા શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે.આ સાથે કોર્પોરેશન દ્વારા નક્કી કરેલા નીતિ નિયમોનું પાલન કરવું પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ મ્યુ કોર્પોરેશન (AMC) ઢોર અંકુશ કાયદા બાદ હવે પાલતું શ્વાનને લઈને પોલીસી બનવવાનું આયોજન કરી રહી છે. સૂત્રોનું માનીએ તો અમદાવાદ મહાનગરપાલિકા પાલતુ શ્વાનને લઈને એક પોલીસી તૈયાર કરી રહી છે. આ પોલીસીમાં કયા કયા મુદ્દાઓ સમાવવા તેને લઈને વિચાર વિમર્સ ચાલી રહ્યો છે. પોલિસીને લઈ લોકોમાં રોષ ન ઉત્પન્ન થાય તે બાબતની તકેદારી રાખવામાં આવશે.

અન્ય રાજ્યોના નીતિનિયમોનો અભ્યાસ કર્યા બાદ આ અંગે પોલીસી તૈયાર કરી તેને મંજૂરી આપવામાં આવશે. જોકે આ અંગે હજી છ સાત મહિના જેટલો સમય લાગી જશે પરંતુ વર્ષ 2024માં આ પોલીસી લાગુ કરવાનું આયોજન થઈ રહ્યું છે.આ પોલિસીમાં સ્ટ્રીટ ડોગનું રજિસ્ટ્રેશન ફરજિયાત થશે તે તો નક્કી જ છે.અન્ય નિયમો ક્યાં હશે તે જોવું રહ્યું. કયા પ્રકારના નીતિ નિયમો લાગુ થઈ શકે છે તેની પેર નજર કરીએ તો –

અન્ય લોકોને પાલતુ શ્વાનથી નુકસાન કે હેરાનગતિ ન થાય તેની તકેદારી રાખવી
મંજૂરીના હોય તેવી જગ્યાએ પાલતુ શ્વાનને ન લઈ જવા
પેટ ડોગ પોલીસી અમલીકરણને શ્વાન રાખનારા લોકો આવકારી રહ્યા છે પરંતુ સાથે રજિસ્ટ્રેશન ફી વ્યાજબી હોવી જોઈએ તેમજ નીતિનિયમ પાલન થઈ શકે તેવા હોવા જોઈએ તેવી માંગ કરી રહ્યા છે.

શહેરમાં પેટ ડોગ કેટલા છે તેની જાણકારી મળે, શ્વાનના કારણે અન્યને કોઈ નુકસાન થાય તો તેને માલિકને જવાબદાર ગણી શકાય તેવા વિવિધ હેતુને ધ્યાનમાં રાખી મ્યુ કોર્પોરેશન (AMC) દ્વારા આ પોલીસી બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોવાનું એ રહે છે કે પોલીસી ના અમલીકરણ બાદ લોકોનો કેવો પ્રતિસાદ મળે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...