Tuesday, January 20, 2026

ગિફ્ટ સિટીમાં બનશે દેશનું પ્રથમ માનવરહિત સ્માર્ટ પોલીસ સ્ટેશન, જાણો વિશેષતા

spot_img
Share

ગાંધીનગર : ગુજરાતના ગાંધીનગરમાં રહેતા લોકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. તાજેતરના અહેવાલ મુજબ, ગુજરાતના ગાંધીનગરમાં દેશનું પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. આ અંગે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.આ પોલીસ સ્ટેશનનું નિર્માણ કાર્ય ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગાંધીનગરમાં બનશે પ્રથમ માનવરહિત સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવાની જાહેરાત કરાઇ છે. સુત્રોએ કહ્યું કે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં આ અત્યાધુનિક મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન બનશે અને એક રીતે ગિફ્ટી સિટીમાં દેશનું પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવાની પહેલ કરાઇ રહી છે.આ સ્ટેશનમાં એક પણ પોલીસકર્મી નહીં હોય.તમને જણાવી દઈએ કે ગિફ્ટ સિટીનું આ માનવરહિત પોલીસ સ્ટેશન કોર્પોરેટ ઓફિસ જેવું હશે. પોલીસ સ્ટેશનમાં કોઈ પોલીસકર્મી નહીં હોય, માત્ર કિઓસ્ક હશે. અહીં, ફરિયાદ નોંધવી, જરૂરી મંજૂરીઓ મેળવવી, પોલીસિંગ, પાસપોર્ટ તપાસ વગેરે માત્ર કિઓસ્ક દ્વારા જ કરવામાં આવશે.આ પોલીસ સ્ટેશન દુબઈના સ્માર્ટ પોલીસ સ્ટેશનથી પ્રેરિત છે.

સ્માર્ટ પોલીસ સ્ટેશન અનેક રીતે લાભદાયી બની રહેશે. ખાસ કરીને હાલ વધી રહેલા સાઇબર અને ઇકોનોમિક ઓફેન્સની દ્રષ્ટિએ પોલીસ સ્ટેશનને ડેવલપ કરાશે. આ માટે સાઇબર ક્રાઈમ અને ઇકોનોમિક ઓફેન્સના જાણકાર પોલીસ કર્મીઓની નિમણૂંક કરવામાં આવશે.આ સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં સ્થાનિક ભાષા ઉપરાંત હિંદી-અંગ્રેજીમાં વાતચીત કરવામાં નિપુણ કર્મચારીને જ મૂકવામાં આવશે. ફિલ્ડમાં નિયુક્તિ માટે માત્ર વ્યવહારકુશળ, વિનમ્ર અને માનવીય દૃષ્ટિકોણ સમજનારા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની પસંદગી કરાશે.

તમને જણાવી દઈએ કે ગાંધીનગરમાં દેશના પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશનના નિર્માણ માટે ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા અસમસેટ્ટી અને ગૃહ વિભાગના એક IAS અધિકારીએ આ પોલીસ સ્ટેશન કેવી રીતે કામ કરે છે તે જાણવા માટે દુબઈનો પ્રવાસ કર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...