Wednesday, March 4, 2026

અમદાવાદમાં એક જ દિવસમાં પાન-મસાલાની પિચકારી મારનાર 152 લોકો પસેથી 18050 દંડ વસૂલાયો

spot_img
Share

અમદાવાદ : જાહેર સ્થળો કે રોડ પર પાન-મસાલાની પિચકારી મારતાં લોકોને પકડીને દંડ ફટકારવાની મ્યુનિ. કમિશનરની સૂચનાને પગલે જેના પગલે આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 152 જેટલા લોકોને જાહેરમાં થૂંકતા ઝડપી લઇ તેમને રૂ. 50થી લઈ 500 સુધીનો દંડ ફટકાર્યો હતો. સૌથી વધુ 54 લોકો પશ્ચિમ ઝોનમાંથી પકડાયા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા શહેરના એસજી હાઇ-વે, સાબરમતી, ચાંદખેડા, નારણપુરા, નવરંગપુરા, વાડજ, રાણીપ, વાસણા, પાલડી, નરોડા, બાપુનગર, સૈજપુર બોઘા સહિતના વિસ્તારોમાં જાહેરમાં રોડ ઉપર પાનના ગલ્લા નજીક ઊભા રહી થૂંક્તા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સૌથી વધારે પશ્ચિમ ઝોનમાં 54 જેટલા લોકોને થૂંક્તા ઝડપી પાડવામાં આવ્યા હતા. એક જ દિવસમાં 152 લોકો સામે કાર્યવાહી કરી તેમની પાસેથી કુલ રૂપિયા 18050નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશને સઘન બનાવવામાં આવશે.

​​​​​​​સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વનનું સ્થાન મેળવવા માટે શહેરમાં જાહેર સ્વચ્છતા હોવી ખૂબ જરૂરી છે. મ્યુનિ.ની ટીમોએ ગંદકી ફેલાવતા લોકોને પકડી પાડી દંડ વસૂલ કરવા ઉપરાંત તેમને જાહેર સ્થળોએ કે રોડ પર ગંદી નહીં ફેલાવવાની સમજ આપી હતી. સોલિડ વેસ્ટ વિભાગના જણાવ્યા અનુસાર હવે જાહેરમાં ગંદકી કરનારા લોકો સામેની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. કમિશનરની સૂચના મુજબ વાહન પર જતી વખતે રોડ પર પાનમસાલાની પિચકારી મારતા લોકોને સીસીટીવીથી ઝડપી લઈ ઘરે મેમો મોકલવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...