Tuesday, September 16, 2025

અમદાવાદના આ ધારાસભ્ય દ્વારા અનોખી પહેલ, વિધાનસભા કક્ષાએ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ, CM ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

Share

Share

અમદાવાદ : અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર યુવાનો આગળ વધે અને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરે તેના માટે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે જ્યાં યુવાનો તેમના નવા વિચાર અને નવી પેઢી કઈ રીતે આગળ વધે તેમના માટે એક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. YMCA ક્લબ ખાતે આ સ્ટાર્ટ અપ ફેસ્ટિવલને CM ભુપેન્દ્ર પટેલના હસ્તે આ ફેસ્ટીવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વેજલપુર ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા આ નવો પ્રયોગ કરવામાં આવ્યો છે.

વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા યુવાનોને આગળ વધારવા માટે વિધાનસભા સ્તર પર આયોજિત થતો હોય તેવા પ્રથમ કાર્યક્રમ ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ YMCA ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં CM ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી અને કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ અને તેને લગતા વિષયો પર ચર્ચા કરાશે. માહિતી મુજબ, આ કાર્યક્રમ દરમિયાન સફળ સ્ટાર્ટઅપનું સન્માન કરાશે અને નવા ઊભરતા સ્ટાર્ટઅપને માર્ગદર્શન આપવામાં આવશે.

દેશના પ્રથમ વિધાનસભા કક્ષાએ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ અમદાવાદના વેજલપુરમાં યોજાવવા જઈ રહ્યો છે. ત્યારે ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે,આઝાદીના 75 વર્ષના ગાળામાં કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજીનો સમયાંતરે સમયગાળો રહ્યો. આવનારા 25 વર્ષ એ સ્ટાર્ટઅપના 25 વર્ષ હશે. જેમાં દેશના PM મોદીના આહ્વાન પ્રમાણે ભારતનો યુવાન “જોબ સિકાર નહીં પરંતુ જોબ ગીવર” બનશે.

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 10 વર્ષમાં સ્ટાર્ટ અપ સેક્ટરનું વિસ્તરણ થયું છે. સ્ટાર્ટઅપ્સથી 21,000 નોકરીઓ પેદા થઈ છે. જ્યારે 2003માં વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ ત્યારે ભારત વૈશ્વિક રોકાણની રેસમાં પણ નહોતું. 20 વર્ષ પછી, વિશ્વ આખી દુનિયામાં ગુજરાત સાથે જોડાયેલ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...