Friday, January 23, 2026

અમદાવાદના આ ધારાસભ્ય દ્વારા અનોખી પહેલ, વિધાનસભા કક્ષાએ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ, CM ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર યુવાનો આગળ વધે અને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરે તેના માટે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે જ્યાં યુવાનો તેમના નવા વિચાર અને નવી પેઢી કઈ રીતે આગળ વધે તેમના માટે એક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. YMCA ક્લબ ખાતે આ સ્ટાર્ટ અપ ફેસ્ટિવલને CM ભુપેન્દ્ર પટેલના હસ્તે આ ફેસ્ટીવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વેજલપુર ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા આ નવો પ્રયોગ કરવામાં આવ્યો છે.

વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા યુવાનોને આગળ વધારવા માટે વિધાનસભા સ્તર પર આયોજિત થતો હોય તેવા પ્રથમ કાર્યક્રમ ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ YMCA ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં CM ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી અને કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ અને તેને લગતા વિષયો પર ચર્ચા કરાશે. માહિતી મુજબ, આ કાર્યક્રમ દરમિયાન સફળ સ્ટાર્ટઅપનું સન્માન કરાશે અને નવા ઊભરતા સ્ટાર્ટઅપને માર્ગદર્શન આપવામાં આવશે.

દેશના પ્રથમ વિધાનસભા કક્ષાએ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ અમદાવાદના વેજલપુરમાં યોજાવવા જઈ રહ્યો છે. ત્યારે ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે,આઝાદીના 75 વર્ષના ગાળામાં કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજીનો સમયાંતરે સમયગાળો રહ્યો. આવનારા 25 વર્ષ એ સ્ટાર્ટઅપના 25 વર્ષ હશે. જેમાં દેશના PM મોદીના આહ્વાન પ્રમાણે ભારતનો યુવાન “જોબ સિકાર નહીં પરંતુ જોબ ગીવર” બનશે.

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 10 વર્ષમાં સ્ટાર્ટ અપ સેક્ટરનું વિસ્તરણ થયું છે. સ્ટાર્ટઅપ્સથી 21,000 નોકરીઓ પેદા થઈ છે. જ્યારે 2003માં વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ ત્યારે ભારત વૈશ્વિક રોકાણની રેસમાં પણ નહોતું. 20 વર્ષ પછી, વિશ્વ આખી દુનિયામાં ગુજરાત સાથે જોડાયેલ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...