Thursday, September 18, 2025

કારમી મોંઘવારીને કારણે શહેરના અનેક અન્નક્ષેત્રો બંધ પરંતુ નવા વાડજના હર હર મહાદેવ અન્નક્ષેત્રની સેવાઓ આજે પણ અડીખમ

Share

Share

(માનવ જોષી દ્વારા) અમદાવાદ : ઉનાળો તપ્યો છે, તરસ્યા પશુ અને પક્ષી માટે પાણીના કુંડાઓનું વિતરણ ઠેર ઠેર થઈ રહ્યું છે અને તેમના ભૂખ્યા પેટ માટે બગીચે બગીચે ચબૂતરા પણ ઊભા કરવામાં આવ્યા છે. એ જ સેવાકાર્ય કરતા આપણા ઉદાર દિલના નાગરિકો માણસના પેટને જાણે ભૂલી ગયા છે.

જુના વાડજ સંજીવની હોસ્પિટલ અને સુભાષબ્રીજ સર્કલ પાસે ચાલતા અન્ન ક્ષેત્રને જાણે મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે અને હવે ત્યાં અન્નક્ષેત્રો બંધ થઈ ગયા છે. તેજ રીતે ઘણા નાના મોટા નિઃશુલ્ક પેટ ભરાવતી અને તે દ્વારા સેવાકાર્ય કરતી સંસ્થાઓ પણ વળતા પાણીએ છે ત્યારે આપણા નવા વાડજ વિસ્તારનું ’હર હર મહાદેવ અન્નક્ષેત્ર’ ટુંકા દાનની મર્યાદાઓ વચ્ચે આજે પણ ૧૮ મહિનાની અવિરત સેવાઓ દ્વારા અડીખમ ઊભું છે પરંતુ જે લોકો પાસે કંઈ પણ મુઠ્ઠી વાળી આપી શકાય એમ છે એવા જાગૃત અને સેવાભાવી નાગરિકો જો સમયાંતરે દાન આપવાનો પ્રણ લે તો, રોજ સવારે અસંખ્ય ભૂખ્યા લોકોના પેટને સાતા મળે. અને જે લોકો મોંઘવારીના મારને સહન નથી કરી શકતા તેવા સ્વાભિમાની લોકોના જીવનમાં પણ નાનકડું યોગદાન આપી શકે.

આવા નાના નાના પ્રયાસોથી જ સમાજને સાર્વત્રિક સુખ અને શાંતિ અર્પી શકાશે અને રોજ સવારે ભૂખ્યાનું પેટ ભરવા અખંડ જ્યોત જલાવીને બેઠેલા હર હર મહાદેવ ગ્રુપ અને તેના આગેવાન કાન્હાભાઈ (પ્રેમલ ત્રિવેદી)ને આપણે સેવાકાર્યમાં લાગેલા રહેવા ટેકો કરી શકીએ. જ્યારે સુખી ઘરના દરેક જીવને આ વાત સમજાઈ જશે ત્યારે એક સાથે સહિયારો જયજયકાર ઉઠશે અને સમગ્ર વિસ્તારમાં ગુંજી ઉઠશે..’હર હર મહાદેવ’.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...