Sunday, January 18, 2026

અમદાવાદના આ બ્રિજની રૂ. 27 કરોડના ખર્ચે કરાશે કાયાપલટ, લોકો બેસી શકે તેવું આયોજન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદનાં ઐતિહાસિક 130 વર્ષ જૂના હેરિટેજ એલિસબ્રિજને રૂા.26.78 કરોડનાં ખર્ચે મજબૂત કરવામાં આવશે. એલિસબ્રિજને મજબૂત કર્યા બાદ વચ્ચેનો ભાગ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આક્ટિક્ચરલ એલીમેન્ટસ અંતર્ગત બ્રિજ પર ડેકોરેટીવ પ્લાન્ટેશન તથા બેઠક વ્યવસ્થા હશે. હેરિટેજ સ્થળ તરીકે પણ આ બ્રિજને વિકસાવવામાં આવી રહ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં એલિસબ્રિજને સ્પેશ્યલ સ્ટ્રેધનિંગ અને રિસ્ટોરેશન કરવા અંગેની દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાં 130 વર્ષ જૂના સ્ટીલ સ્ટ્રક્ચરનો બ્રિજ ખૂબ જ જૂનો તેમજ જર્જરિત થયો હોવાથી કન્સલ્ટન્ટનાં રિપોર્ટ બાદ જ બ્રિજને સ્પેશ્યલ સ્ટ્રેધનિંગ અને રિસ્ટોરેશન કરવાની જરૂરીયાત જણાતા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 26.78 કરોડનાં ખર્ચે એલીસબ્રિજ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાશે.

જૂના એલિસબ્રિજને મજબૂત બનાવી તે જગ્યાનો ઉપયોગ ગાર્ડન બનાવવા કે ખાણીપીણીની જગ્યા માટે કરવાની દરખાસ્ત બજેટમાં રજૂ થઈ હતી. પરંતુ તે માટે કોઈ કામગીરી આગળ વધી શકી ન હતી. એલિસબ્રિજનો વચ્ચેનો ભાગ જોખમી બન્યો છે. જોકે લોખંડની ફ્રેમને કોઈ મોટું નુકસાન થયું નથી. પરંતુ વચ્ચેના ભાગમાંથી પોપડા ખરતા હોવાથી ગ્રીન નેટ બાંધી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એલિસબ્રિજ હાલ હેરિટેજ મોન્યૂમેન્ટમાં સમાવેશ છે. વર્ષો પહેલા આ બ્રિજને તોડી પાડવાની દરખાસ્ત સામે વિવાદ થયો હતો. લોકોના વિરોધ પછી મ્યુનિ.એ આ બ્રિજને સ્ટ્રેન્ધન કરવાની યોજના અમલમાં મૂકી હતી.

એલિસબ્રિજને થયેલ નુકસાન અંગેનો રિપોર્ટ એક્ષપર્ટ પાસે તૈયાર કરાવ્યા બાદ કોર્પોરેશન દ્વારા બ્રિજને રીસ્ટોરેશન કરવાની કામગીરી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રેધનિંગ કામગીરીમાં મુખ્ય ટ્રસનાં જોઈન્ટ રીપેર કરાશે. તેમજ ગર્ડર, સ્ટ્રીન્જર્સ તેમજ જોઈન્ટ બદલવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...