Tuesday, April 28, 2026

અમદાવાદના આ બ્રિજની રૂ. 27 કરોડના ખર્ચે કરાશે કાયાપલટ, લોકો બેસી શકે તેવું આયોજન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદનાં ઐતિહાસિક 130 વર્ષ જૂના હેરિટેજ એલિસબ્રિજને રૂા.26.78 કરોડનાં ખર્ચે મજબૂત કરવામાં આવશે. એલિસબ્રિજને મજબૂત કર્યા બાદ વચ્ચેનો ભાગ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આક્ટિક્ચરલ એલીમેન્ટસ અંતર્ગત બ્રિજ પર ડેકોરેટીવ પ્લાન્ટેશન તથા બેઠક વ્યવસ્થા હશે. હેરિટેજ સ્થળ તરીકે પણ આ બ્રિજને વિકસાવવામાં આવી રહ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં એલિસબ્રિજને સ્પેશ્યલ સ્ટ્રેધનિંગ અને રિસ્ટોરેશન કરવા અંગેની દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાં 130 વર્ષ જૂના સ્ટીલ સ્ટ્રક્ચરનો બ્રિજ ખૂબ જ જૂનો તેમજ જર્જરિત થયો હોવાથી કન્સલ્ટન્ટનાં રિપોર્ટ બાદ જ બ્રિજને સ્પેશ્યલ સ્ટ્રેધનિંગ અને રિસ્ટોરેશન કરવાની જરૂરીયાત જણાતા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 26.78 કરોડનાં ખર્ચે એલીસબ્રિજ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાશે.

જૂના એલિસબ્રિજને મજબૂત બનાવી તે જગ્યાનો ઉપયોગ ગાર્ડન બનાવવા કે ખાણીપીણીની જગ્યા માટે કરવાની દરખાસ્ત બજેટમાં રજૂ થઈ હતી. પરંતુ તે માટે કોઈ કામગીરી આગળ વધી શકી ન હતી. એલિસબ્રિજનો વચ્ચેનો ભાગ જોખમી બન્યો છે. જોકે લોખંડની ફ્રેમને કોઈ મોટું નુકસાન થયું નથી. પરંતુ વચ્ચેના ભાગમાંથી પોપડા ખરતા હોવાથી ગ્રીન નેટ બાંધી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એલિસબ્રિજ હાલ હેરિટેજ મોન્યૂમેન્ટમાં સમાવેશ છે. વર્ષો પહેલા આ બ્રિજને તોડી પાડવાની દરખાસ્ત સામે વિવાદ થયો હતો. લોકોના વિરોધ પછી મ્યુનિ.એ આ બ્રિજને સ્ટ્રેન્ધન કરવાની યોજના અમલમાં મૂકી હતી.

એલિસબ્રિજને થયેલ નુકસાન અંગેનો રિપોર્ટ એક્ષપર્ટ પાસે તૈયાર કરાવ્યા બાદ કોર્પોરેશન દ્વારા બ્રિજને રીસ્ટોરેશન કરવાની કામગીરી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રેધનિંગ કામગીરીમાં મુખ્ય ટ્રસનાં જોઈન્ટ રીપેર કરાશે. તેમજ ગર્ડર, સ્ટ્રીન્જર્સ તેમજ જોઈન્ટ બદલવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...