Sunday, January 18, 2026

વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનની કારોબારી યોજાઈ, નવા વાડજના પ્રેમલ ત્રિવેદીની અમદાવાદ જીલ્લા પ્રમુખ તરીકે વરણી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે સાહિત્ય પરિષદ ખાતે ‘સંસ્કારનું સાતત્ય વિષય પર પરી સંવાદ અને મોંઘીદાટ ટયુશન પદ્ધતિથી છુટકારો મેળવવા ધોરણ 1 થી 12 ગુજરાતી અંગ્રેજી માધ્યમની ફી એપ લોન્ચિંગ, લગ્ન બંધન પ્રીમિયમ ફ્રી એપ લોન્ચિંગ અને બ્રહ્મ પરિવાર માટે મફત કિડની ડાયાલિસિસની સુવિધા અંગે વિસ્તૃત માહિતી આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો.

કાર્યક્રમની વિગતે વાત કરીએ તો કાર્યક્રમની શરૂઆત વ્યાસ ધ્વનિ નામની નાની દીકરીના દ્વારા ગણેશ વંદના ગીત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિશ્વમાં વસતા તમામ બ્રાહ્મણોને એક કરવા, શિક્ષણને પ્રોત્સાહન આપવું, સશક્તિકરણ, યોગ્ય જીવનસાથી મળે તેવી વ્યવસ્થા કરવી, આર્થિક રીતે સદ્ધર ન હોય તેવા બ્રાહ્મણોને મદદરૂપ થવું, આરોગ્ય સુવિધા પૂરી પાડવી, કર્મકાંડી બ્રાહ્મણને યોગ્ય વળતર આપવું, આત્મનિર્ભરોને પ્રોત્સાહન અને સમાન તકો આપવા જેવા ઓર્ગેનાઈઝેશનના મુખ્ય નવ મુદ્દાની ચર્ચા કરાઈ હતી.

વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે પ્રેમ લગ્નના કિસ્સામાં માતા-પિતાની સંમતિ હોવી જોઈએ તેવો કાયદો સરકાર દ્વારા ઘડાશે તો બ્રહ્મસમાજ સમર્થન આપશે તેવું જણાવતા ઓર્ગેનાઈઝેશનના ચેરમેન હેમાંગ રાવલે ગુજરાતમાં બ્રાહ્મણોની 70 લાખ વસતિને ધ્યાનમાં રાખીને દરેક રાજકીય પક્ષો ચૂંટણીમાં બ્રહ્મસમાજને ટિકિટમાં પ્રાધાન્યતા આપે તેવી અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી અલગ અલગ તાલુકા જિલ્લાના બ્રહ્મ સમાજના NGO ચલાવનાર બ્રહ્મ ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મહેમાન તરીકે નિવૃત્ત જજ રવિકુમાર ત્રિપાઠી, GTPL ચેનલ હેડ દેવાંગ ભટ્ટ, બ્રહ્મઅગ્રણી જગત શુક્લ, વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન હેમાંગ રાવલ, પારૂલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પવન દ્વિવેદી, નિલેશભાઈ જોષી, ઉમેશભાઈ જોષી, ડોલીબેન દવે, નિકોલમાં કિડની ડાયાલિસિસની નિ:શુલ્ક સેવા આપતા ડૉ. રાજેન્દ્ર વ્યાસ તેમજ અન્ય ક્ષેત્રોમાં સેવા આપનારા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન (WBO) માં અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્તિ કરવા બદલ પ્રેમલ ત્રિવેદીએ વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન (WBO) ના નિલેશ જોશી અને હેમાંગ રાવલ સહીત તમામ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિમણૂક કરેલ પદાધિકારીઓની યાદી

(1) નેશનલ પ્રમુખ – નિલેશભાઈ જોશી
(2) નેશનલ જનરલ સેક્રેટરી- ઉમેશ જોશી
(3) પી.આર.ઓ – નીરવભાઈ વ્યાસ
(4) ગુજરાત રાજ્યના મહિલા પ્રમુખ ડોક્ટર – ડોલીબેન દવે
(5) ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ-નિહાંગભાઈ
(6) ગુજરાત રાજ્ય મહામંત્રી – સ્વાતિબેન જોશી
(7) ગુજરાત રાજ્ય સેક્રેટરી – કલ્પેશ જોશી
(8) ગુજરાત રાજ્ય લીગલ સેલ પ્રમુખ -અતુલ ઉપાધ્યાય
(9) ગુજરાત રાજ્ય મીડિયા ઈન્ચાર્જ – ગૌરાંગ રાવલ
(10) સૌરાષ્ટ્ર ઝોન – સ્મિતાબેન રાવલ
(11) સૌરાષ્ટ્ર ઝોન જવાબદારી – માલતીબેન
(12) મધ્ય ઝોન ઉપપ્રમુખ – ભાવિન ભટ્ટ
(13) વડોદરા જિલ્લાની જવાબદારી – બળવંતભાઈ ઉપાધ્યાય
(14) અમદાવાદ જિલ્લાની જવાબદારી – પ્રેમલભાઈ ત્રિવેદી
(15) રાજકોટ જિલ્લા મહિલા પ્રમુખ – જાગૃતીબેન જોશી
(16) વડોદરા શહેરની જવાબદારી ડોક્ટર – રિદ્ધિબેન ત્રિવેદી
(17) રાજકોટ શહેરની જવાબદારી – સ્મિતાબેન જોશી
(18) ન્યુ વડોદરા શહેર મહામંત્રી – સેજલબેન ઉપાધ્યાય
(19) વડોદરા યુવા પ્રમુખ – ચિરાગભાઈ પાંડે
(20) ભાવનગર મહિલા ઉપપ્રમુખ – આશાબેન ભટ્ટ
(21) લખતર તાલુકાના પ્રમુખ – વિજય જોશી
(22) બરોડા સિટીના યુવા મહામંત્રી – અંકિત પંડયા
(23) ધંધુકાની જવાબદારી – સત્યજીત રાવલ
(24) ગુજરાત કારોબારી જવાબદારી – દક્ષેશ પંડયા
(25) ગાંધીનગરની જવાબદારી – તેજસ મહેતા

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...