Friday, February 6, 2026

અમદાવાદ પશ્ચિમ બેઠક પર BJP ના ઉમેદવાર દિનેશ મકવાણા વિશે જાણો

spot_img
Share

અમદાવાદ : લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આજે દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવારો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.જેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપર ડો. કિરિટ સોલંકીનું પત્તું કપાયું છે અને સૈજપુરના કોર્પોરેટર અને હાલમાં કર્ણાવતી મહાનગરના BJP પ્રવક્તા પદે રહેલા દિનેશભાઈ મકવાણાને ઉમેદવાર જાહેર કર્યા છે.

અમિત શાહના ખાસ ગણાતા અને કર્ણાવતી મહાનગર BJP પ્રવક્તા એવા દિનેશ મકવાણાને ભાજપે ટીકિટ આપીને સૌને આંચકો આપ્યો છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર 2009 થી 2019 સુધીની ત્રણ લોકસભા ચૂંટણીમાં BJP એ ડૉ. કિરીટ સોલંકીની ટિકિટ આપી હતી. ત્રણેય વખત વિજય થયો હતો. ત્યારે આ વખતે તેમને ટિકિટ આપવામાં આવી નથી. એમની જગ્યાએ સૈજપુર બોઘાના કોર્પોરેટર રહી ચૂકેલા દિનેશભાઈ મકવાણાને ટીકિટ મળી છે. અગાઉ વિધાનસભા વખતે પણ તેમણે અસારવા વિધાનસભાની ટીકિટ માંગી હતી પરંતુ તેમને લોકસભા લડાવવાના હોઈ ટીકિટ મળી નહી.

55 વર્ષીય દિનેશ મકવાણા 1987થી રાજકારણમાં સક્રિય છે. BJP દ્વારા દિનેશ મકવાણાને સૌ પ્રથમ 1987માં નરોડા વોર્ડના અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જે બાદ 1991 થી 1995 સુધી BJP ની અસારવા મંડલ સમિતિના મંત્રી તરીકે રહી ચૂક્યાં છે.1995 થી 2020 સુધી એમ સતત 4 ટર્મ સુધી દિનેશ મકવાણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૈજપુર બોઘા વોર્ડથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.1999 થી 2003 દરમિયાન દિનેશ મકવાણા કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં વિવિધ પદ પર રહી ચૂક્યાં છે.

જે બાદ 2005 થી 2008 અને 2018 થી 2020 દરમિયાન દિનેશ મકવાણા બે ટર્મ માટે અમદાવાદના ડેપ્યૂટી મેયર તરીકે રહી ચૂકયા છે. જ્યારે 2013 થી 2021 સુધી દિનેશ મકવાણા અમદાવાદના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે. જ્યારે 2022થી દિનેશ મકવાણા અમદાવાદ BJP ના પ્રવક્તા તરીકે કાર્યરત છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...