Wednesday, January 21, 2026

અમદાવાદમાં મેટ્રોને લઈને સારા સમાચાર, આ તારીખથી શરૂ થશે કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે. અમદાવાદ મેટ્રોની બ્લ્યુ લાઈન પર કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન આવતીકાલ 5 માર્ચથી કાર્યરત થશે. કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન અમદાવાદ મેટ્રોની બ્લુ લાઇનના પૂર્વ-પશ્ચિમ કોરિડોર પરનું અંડર ગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન છે. આ મેટ્રો સ્ટેશનમાં જામા મસ્જિદ અને રાજપુર શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિરની સાથે ભારતીય રેલ્વે હેઠળના મુખ્ય કાંકરિયા કોચ ડેપોનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન-GMRCએ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું છે કે અમદાવાદ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન, 4 માર્ચ 2024ના રોજ પેસેન્જર ઓપરેશન માટે તૈયાર થઈ ગયું છે. કાંકરિયા ઈસ્ટ સ્ટેશન પર મેટ્રો ટ્રેન સેવાઓ 5 માર્ચ 2024થી મુસાફરો માટે હાલના કાર્યકારી સમય અનુસાર ઉપલબ્ધ રહેશે.હાલમાં, અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6:20 થી રાત્રે 10:00 વાગ્યા સુધી કાર્યરત છે, જેમાં સવારે 7:00 થી રાત્રે 10:00 વાગ્યાની વચ્ચે 12 મિનિટના સમાન અંતરાલ પર કાર્યરત છે.

તાજેતરમાં જ થલતેજ અને વસ્ત્રાલને જોડતા પૂર્વ-પશ્ચિમ કોરિડોર પરનું કાંકરિયા ઈસ્ટ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. મેટ્રો રેલ સેફ્ટી કમિશનર (CMRS)એ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. મેટ્રો પ્રોજેક્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે નિરીક્ષણનો અહેવાલ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. અહેવાલના આધારે, અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટને કાંકરિયા પૂર્વ સ્ટેશન માટે મંજૂરી મળશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...