Wednesday, March 11, 2026

અમદાવાદમાં મેટ્રોને લઈને સારા સમાચાર, આ તારીખથી શરૂ થશે કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે. અમદાવાદ મેટ્રોની બ્લ્યુ લાઈન પર કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન આવતીકાલ 5 માર્ચથી કાર્યરત થશે. કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન અમદાવાદ મેટ્રોની બ્લુ લાઇનના પૂર્વ-પશ્ચિમ કોરિડોર પરનું અંડર ગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન છે. આ મેટ્રો સ્ટેશનમાં જામા મસ્જિદ અને રાજપુર શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિરની સાથે ભારતીય રેલ્વે હેઠળના મુખ્ય કાંકરિયા કોચ ડેપોનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન-GMRCએ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું છે કે અમદાવાદ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન, 4 માર્ચ 2024ના રોજ પેસેન્જર ઓપરેશન માટે તૈયાર થઈ ગયું છે. કાંકરિયા ઈસ્ટ સ્ટેશન પર મેટ્રો ટ્રેન સેવાઓ 5 માર્ચ 2024થી મુસાફરો માટે હાલના કાર્યકારી સમય અનુસાર ઉપલબ્ધ રહેશે.હાલમાં, અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6:20 થી રાત્રે 10:00 વાગ્યા સુધી કાર્યરત છે, જેમાં સવારે 7:00 થી રાત્રે 10:00 વાગ્યાની વચ્ચે 12 મિનિટના સમાન અંતરાલ પર કાર્યરત છે.

તાજેતરમાં જ થલતેજ અને વસ્ત્રાલને જોડતા પૂર્વ-પશ્ચિમ કોરિડોર પરનું કાંકરિયા ઈસ્ટ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. મેટ્રો રેલ સેફ્ટી કમિશનર (CMRS)એ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. મેટ્રો પ્રોજેક્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે નિરીક્ષણનો અહેવાલ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. અહેવાલના આધારે, અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટને કાંકરિયા પૂર્વ સ્ટેશન માટે મંજૂરી મળશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...