Tuesday, January 20, 2026

આ તારીખોની આસપાસ જાહેર થઇ શકે છે લોકસભા ચૂંટણી, સાત તબક્કામાં યોજાશે મતદાન

spot_img
Share

અમદાવાદ : 14-15 માર્ચ સુધી લોકસભાની ચૂંટણીઓ અંગે ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ શકે છે અને તે જ દિવસે ચૂંટણીની જાહેરાત પણ થઈ શકે છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે ચૂંટણી પંચ ટૂંક સમયમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચૂંટણી પંચ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ આવનાર અઠવાડિયાના કોઈ પણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરા કરી શકે છે. હાલ પંચ સામાન્ય ચૂંટણીની તૈયારીનું આંકલન કરવા માટે ઘણા રાજ્યોનો પ્રવાસ કરશે. બધા રાજ્યોમાં તૈયારીઓને જોયા બાદ જ પંચ ચૂંટણીની તારીખની જાહેરાત કરશે.સૂત્રોએ જણાવ્યું કે પ્રથમ તબક્કાનું મતદાન એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે. 2019ની જેમ આ વખતે પણ 7 તબક્કામાં ચૂંટણી થઈ શકે છે.

સૂત્રોના મતે હાલમાં ચૂંટણી પંચની ટીમ પશ્વિમ બંગાળમાં છે. ત્યારબાદ તેઓ ઉત્તર પ્રદેશ અને પછી જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરશે. ચૂંટણી અધિકારીઓ 13 માર્ચ સુધી પોતાના પ્રવાસને પુરો કરશે. આ વચ્ચે ચૂંટણી પંચ તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે સતત બેઠક કરી રહ્યું છે.

ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીના સ્વતંત્ર અને નિષ્પક્ષ સંચાલન માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નીકનો ઉપયોગ કરી શકે છે. તેના માટે પંચ એક વિભાગ પણ બનાવી શકે છે. જે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર ખોટી સુચનાઓ ચિન્હિત કરીને તેને હટાવવાનું કામ કરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...