Thursday, March 5, 2026

અમદાવાદ-રાજકોટ હાઈવે પર કુરીયરની બોલેરોમાંથી 120 કિલો ચાંદીની લૂંટ, ચારથી વધુ શખ્શો લૂંટીને ફરાર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ-રાજકોટ હાઈવે પર ફરી એક વાર લૂંટારૂઓ બેફામ બન્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર પીકઅપ વાનમાંથી 120 કિલોથી વધુની ચાંદીની લૂંટ થઈ છે. કિંમતી જ્વેલરી સાથે ચાંદી ભરીને કુરિયર વાન રાજકોટથી અમદાવાદ તરફ આવી રહી હતી, તે સમયે કાનપર ગામના પાટિયા પાસે ચારથી પાંચ શખ્સોએ આવીને લૂંટ ચલાવી ફરાર થયા હતા.

મળતા રિપોર્ટ અનુસાર અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા કાનપર ગામના પાટિયા નજીક લૂંટારોએ કીમતી જ્વેલરી તેમજ ચાંદી ભરી અને જતી બોલેરો પીકપ કારમાં લૂંટ ચલાવી છે અને ખાસ કરીને આ બોલેરો પીકપ કાર છે તે રાજકોટથી કુરિયરનો ચાંદી અને કીમતી જ્વેલરી નો માલ લઈ અને અમદાવાદ તરફ જતી હતી તે દરમિયાન ચારથી પાંચ જેટલા લૂંટારો દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો છે અને જે બોલેરો પીકપ કારમાં પડેલી 120 કિલોથી વધુની ચાંદી અને કીમતી જ્વેલરી છે તેને લૂંટી લેવામાં આવી છે.

ઘટનાની જાણ થતા સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ ચલાવી હતી.છ મહિનામાં બીજી વખત કુરિયરની ચાંદી ભરી જતી કુરિયર વાન લૂંટાવવાની ઘટના બની છે. હાઇવે ઉપર આવેલા ટોલનાકાના સીસીટીવી ફૂટેજ તેમજ હોટલોના સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.

તો બીજી તરફ લૂંટની ઘટના બાદ સમગ્ર જિલ્લાની પોલીસ હાઇવે ઉપર ગોઠવી દેવામાં આવી છે. સાથે સાથે નાકાબંધી પણ કરવામાં આવી છે. પોલીસે લૂંટ કરીને ફરાર થયેલા આરોપીઓને દબોચવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...