Wednesday, January 21, 2026

અમદાવાદ-રાજકોટ હાઈવે પર કુરીયરની બોલેરોમાંથી 120 કિલો ચાંદીની લૂંટ, ચારથી વધુ શખ્શો લૂંટીને ફરાર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ-રાજકોટ હાઈવે પર ફરી એક વાર લૂંટારૂઓ બેફામ બન્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર પીકઅપ વાનમાંથી 120 કિલોથી વધુની ચાંદીની લૂંટ થઈ છે. કિંમતી જ્વેલરી સાથે ચાંદી ભરીને કુરિયર વાન રાજકોટથી અમદાવાદ તરફ આવી રહી હતી, તે સમયે કાનપર ગામના પાટિયા પાસે ચારથી પાંચ શખ્સોએ આવીને લૂંટ ચલાવી ફરાર થયા હતા.

મળતા રિપોર્ટ અનુસાર અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા કાનપર ગામના પાટિયા નજીક લૂંટારોએ કીમતી જ્વેલરી તેમજ ચાંદી ભરી અને જતી બોલેરો પીકપ કારમાં લૂંટ ચલાવી છે અને ખાસ કરીને આ બોલેરો પીકપ કાર છે તે રાજકોટથી કુરિયરનો ચાંદી અને કીમતી જ્વેલરી નો માલ લઈ અને અમદાવાદ તરફ જતી હતી તે દરમિયાન ચારથી પાંચ જેટલા લૂંટારો દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો છે અને જે બોલેરો પીકપ કારમાં પડેલી 120 કિલોથી વધુની ચાંદી અને કીમતી જ્વેલરી છે તેને લૂંટી લેવામાં આવી છે.

ઘટનાની જાણ થતા સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ ચલાવી હતી.છ મહિનામાં બીજી વખત કુરિયરની ચાંદી ભરી જતી કુરિયર વાન લૂંટાવવાની ઘટના બની છે. હાઇવે ઉપર આવેલા ટોલનાકાના સીસીટીવી ફૂટેજ તેમજ હોટલોના સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.

તો બીજી તરફ લૂંટની ઘટના બાદ સમગ્ર જિલ્લાની પોલીસ હાઇવે ઉપર ગોઠવી દેવામાં આવી છે. સાથે સાથે નાકાબંધી પણ કરવામાં આવી છે. પોલીસે લૂંટ કરીને ફરાર થયેલા આરોપીઓને દબોચવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...