Wednesday, April 29, 2026

નારણપુરાની 44 વર્ષ જૂની આ સોસાયટીના રિડેવલપમેન્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટની મંજૂરી, બે સભ્યો હતા વિરોધમાં

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારની એક સોસાયટીના રિડેવલપમેન્ટ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે નારણપુરા વિસ્તારમાં આવેલી 44 વર્ષ જૂની જર્જરિત ઈમારતો ધરાવતી રંગ મિલન એપાર્ટમેન્ટ્સના રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો કર્યો છે.આ સોસાયટીના મોટાભાગના સભ્યો રિડેવલપમેન્ટની તરફેણમાં હતા, પરંતુ સોસાયટીમાં જ બે ફ્લેટ ધરાવતા પિતા-પુત્રે તેની સામે વાંધો લેતા મામલો ઘોંચમાં પડ્યો હતો.

અમદાવાદ મિરરના રિપોર્ટ અનુસાર, નારણપુરાના ડી.કે. પટેલ હોલ સામે આવેલા 1978માં બનેલી રંગ મિલન એપાર્ટમેન્ટ્સમાં સોસાયટીમાં ચાર બ્લોક આવેલા છે, જેમાં 2,331 ચોરસ મીટરના પ્લોટમાં એક બ્લોકમાં 12 એમ કુલ 48 ફ્લેટ ધરાવતી 44 વર્ષ જૂની આ સોસાયટીમાં તમામ ફ્લેટ 56 ચોરસ વારના 1BHK ફ્લેટ હતા.રિડેવલપમેન્ટનો વિરોધ કરનારા પિતા-પુત્રને જે બિલ્ડરને સોસાયટીએ રિડેવલપમેન્ટનું કામ સોંપ્યું હતું તેની સામે વાંધો હતો. જોકે, સોસાયટીના ચેરમેને આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરતાં આખરે કોર્ટે વિલંબમાં પડેલા રિડેવલપમેન્ટને મંજૂરી આપી દીધી હતી.

જોકે, 44 વર્ષ જૂની આ સોસાયટી જર્જરિત અવસ્થામાં આવી ગઈ હતી અને તેનું રિપેરિંગ પણ શક્ય ના હોવાનો સ્ટ્રક્ચર એન્જિનિયર દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો.11 માર્ચ 2022ના રોજ સ્ટ્રક્ચર એન્જિનિયરે આપેલા રિપોર્ટમાં સોસાયટીને તાત્કાલિક ખાલી કરાવીને તેનું ડિમોલિશન કરાવવા માટે જણાવાયું હતું, આ રિપોર્ટમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો કે સોસાયટીના ચારેય બ્લોક ઉપરના માળનું વજન સહન કરી શકે તેવી સ્થિતિમાં નથી.સોસાયટીના ચારેય ટાવરને રહેવાલાયક સ્થિતિમાં લાવવા તેનું રિપેરિંગ કરી શકાય કે કેમ તે અંગે સ્ટ્રક્ચર એન્જિનિયરે પોતાના રિપોર્ટમાં એવું જણાવ્યું હતું કે તેનો ખર્ચો નવું બિલ્ડિંગ ઉભું કરવા કરતાં પણ વધી જશે.

રંગ મિલન અપાર્ટમેન્ટ્સનું રિડેવલપમેન્ટ કરવા માટે સોસાયટીના 75 ટકાથી પણ વધુ સભ્યોએ 2017માં જ પોતાની સહમતી આપી દીધી હતી, અને તેનો પ્લાન 2019માં જ સ્વીકારી લેવામાં આવ્યો હતો. આ સોસાયટીનું રિડેવલપમેન્ટ કરનારા બિલ્ડરે તમામ મેમ્બર્સને તેમના 1BHK ફ્લેટની સામે શરૂઆતમાં 2BHK ફ્લેટ આપવાની તૈયારી બતાવી હતી.જોકે, બાદમાં સોસાયટીએ વધુ સવલતો તેમજ મોટા મકાન આપવાની વાત કરતા બિલ્ડર તમામ મેમ્બર્સને 3BHK ફ્લેટ આપવા માટે તૈયાર થયો હતો.

તમને જણાવી દઈએ કે સોસાયટીના બહુમતી સભ્યોએ રિડેવલપમેન્ટની તૈયારી બતાવ્યા બાદ તેના ભૂતપૂર્વ ચેરમેન અને તેમના દીકરાએ પોતાની સહમતી પાછી ખેંચી લેવાની સાથે કોર્ટ ઓફ બોર્ડ ઓફ નોમિનિસમાં કેસ પણ કર્યો હતો. જેના કારણે આ સોસાયટીનું રિડેવલપમેન્ટ અટકી પડ્યું હતું, જેને હાઈકોર્ટે તમામ વાંધા ફગાવી દેતા તાજેતરમાં જ મંજૂરી આપી દીધી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...