Friday, January 23, 2026

નારણપુરાની 44 વર્ષ જૂની આ સોસાયટીના રિડેવલપમેન્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટની મંજૂરી, બે સભ્યો હતા વિરોધમાં

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારની એક સોસાયટીના રિડેવલપમેન્ટ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે નારણપુરા વિસ્તારમાં આવેલી 44 વર્ષ જૂની જર્જરિત ઈમારતો ધરાવતી રંગ મિલન એપાર્ટમેન્ટ્સના રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો કર્યો છે.આ સોસાયટીના મોટાભાગના સભ્યો રિડેવલપમેન્ટની તરફેણમાં હતા, પરંતુ સોસાયટીમાં જ બે ફ્લેટ ધરાવતા પિતા-પુત્રે તેની સામે વાંધો લેતા મામલો ઘોંચમાં પડ્યો હતો.

અમદાવાદ મિરરના રિપોર્ટ અનુસાર, નારણપુરાના ડી.કે. પટેલ હોલ સામે આવેલા 1978માં બનેલી રંગ મિલન એપાર્ટમેન્ટ્સમાં સોસાયટીમાં ચાર બ્લોક આવેલા છે, જેમાં 2,331 ચોરસ મીટરના પ્લોટમાં એક બ્લોકમાં 12 એમ કુલ 48 ફ્લેટ ધરાવતી 44 વર્ષ જૂની આ સોસાયટીમાં તમામ ફ્લેટ 56 ચોરસ વારના 1BHK ફ્લેટ હતા.રિડેવલપમેન્ટનો વિરોધ કરનારા પિતા-પુત્રને જે બિલ્ડરને સોસાયટીએ રિડેવલપમેન્ટનું કામ સોંપ્યું હતું તેની સામે વાંધો હતો. જોકે, સોસાયટીના ચેરમેને આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરતાં આખરે કોર્ટે વિલંબમાં પડેલા રિડેવલપમેન્ટને મંજૂરી આપી દીધી હતી.

જોકે, 44 વર્ષ જૂની આ સોસાયટી જર્જરિત અવસ્થામાં આવી ગઈ હતી અને તેનું રિપેરિંગ પણ શક્ય ના હોવાનો સ્ટ્રક્ચર એન્જિનિયર દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો.11 માર્ચ 2022ના રોજ સ્ટ્રક્ચર એન્જિનિયરે આપેલા રિપોર્ટમાં સોસાયટીને તાત્કાલિક ખાલી કરાવીને તેનું ડિમોલિશન કરાવવા માટે જણાવાયું હતું, આ રિપોર્ટમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો કે સોસાયટીના ચારેય બ્લોક ઉપરના માળનું વજન સહન કરી શકે તેવી સ્થિતિમાં નથી.સોસાયટીના ચારેય ટાવરને રહેવાલાયક સ્થિતિમાં લાવવા તેનું રિપેરિંગ કરી શકાય કે કેમ તે અંગે સ્ટ્રક્ચર એન્જિનિયરે પોતાના રિપોર્ટમાં એવું જણાવ્યું હતું કે તેનો ખર્ચો નવું બિલ્ડિંગ ઉભું કરવા કરતાં પણ વધી જશે.

રંગ મિલન અપાર્ટમેન્ટ્સનું રિડેવલપમેન્ટ કરવા માટે સોસાયટીના 75 ટકાથી પણ વધુ સભ્યોએ 2017માં જ પોતાની સહમતી આપી દીધી હતી, અને તેનો પ્લાન 2019માં જ સ્વીકારી લેવામાં આવ્યો હતો. આ સોસાયટીનું રિડેવલપમેન્ટ કરનારા બિલ્ડરે તમામ મેમ્બર્સને તેમના 1BHK ફ્લેટની સામે શરૂઆતમાં 2BHK ફ્લેટ આપવાની તૈયારી બતાવી હતી.જોકે, બાદમાં સોસાયટીએ વધુ સવલતો તેમજ મોટા મકાન આપવાની વાત કરતા બિલ્ડર તમામ મેમ્બર્સને 3BHK ફ્લેટ આપવા માટે તૈયાર થયો હતો.

તમને જણાવી દઈએ કે સોસાયટીના બહુમતી સભ્યોએ રિડેવલપમેન્ટની તૈયારી બતાવ્યા બાદ તેના ભૂતપૂર્વ ચેરમેન અને તેમના દીકરાએ પોતાની સહમતી પાછી ખેંચી લેવાની સાથે કોર્ટ ઓફ બોર્ડ ઓફ નોમિનિસમાં કેસ પણ કર્યો હતો. જેના કારણે આ સોસાયટીનું રિડેવલપમેન્ટ અટકી પડ્યું હતું, જેને હાઈકોર્ટે તમામ વાંધા ફગાવી દેતા તાજેતરમાં જ મંજૂરી આપી દીધી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...