Wednesday, April 29, 2026

નારણપુરાના શાસ્ત્રીનગરમાં હાઉસિંગ બોર્ડના ફ્લેટની બાલ્કની ધરાશયી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં હાઉસિંગ બોર્ડના અનેક ફ્લેટ ટાઈપ મકાનો જર્જરિત થયા છે અને તેમાં કોઈ રિપેરિંગ કામકાજ થતું નથી તેનો વધુ એક પુરાવો હાઉસિંગ બોર્ડના ફ્લેટની બાલ્કની ધરાશયી થઇ હતી તેના પરથી જાણી શકાય છે. નારણપુરાના શાસ્ત્રીનગર ખાતે આવેલા હાઉસિંગ બોર્ડના ફ્લેટની બાલ્ક ધરાશયી થઇ હતી. તેના પગલે નાસભાગ મચી ગઈ હતી અને મોટો હોબાળો થયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના શાસ્ત્રીનગરમાં M-53/424 ફ્લેટમાં શનિવારે મોડી રાત્રે બાલ્કનીનો મોટો હિસ્સો ધડામ દઈ ધરાશયી થયો હતો, તેના પગલે લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને મોટો હોબાળો થયો હતો, ફ્લેટમાં રહેતા લોકો ઘરમાં હોવાથી અને નીચે કોઈ હાજર ન હોવાને કોઈ જાનહાનિના સમાચાર નથી.તમને જણાવી દઈએ કે શાસ્ત્રીનગરમાં અનેક ફ્લેટો વર્ષો જુના છે અને જર્જરિત હાલતમાં છે.

શાસ્ત્રીનગરમાં M-53 માં રહેતા જીતેશભાઇ નારવાણી સમગ્ર મામલે જણાવી રહ્યા છે કે અમો સમગ્ર રહીશો જીવના જોખમે રહીએ છીએ, 48 વર્ષ જુના અમારા ફ્લેટને તાત્કાલિક રિડેવલપમેન્ટની જરૂર છે, તેઓ વધુમાં જણાવી રહ્યા છે કે કુલ 16 મકાનોમાં 2 મકાનો છેલ્લાં 20 વર્ષથી બંધ છે, જયારે નીચેના (ગ્રાઉન્ડ) ફ્લોરના મકાન માલિકો વધારાનું બાંધકામ કરી બેઠા છે, જેથી તેઓ રિડેવલપમેન્ટ રસ દાખવતા નથી, જેને કારણે બાકીના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ એક બનાવમાંથી શીખ નહી લે અને હાઉસિંગ બોર્ડના વર્ષો જૂના મકાનોનો સ્ટ્રકચરલ રિપોર્ટ નહીં કઢાવે તો ભવિષ્યમાં તે કોઈ મોટી હોનારતને આમંત્રણ આપશે તે સુનિશ્ચિત છે. ઘોડા છૂટી ગયા પછી તબેલાના તાળા મારવા જવાના બદલે કોર્પોરેશન પાણી પહેલા પાળ બાંધવાનું વલણ અપનાવે તો કમસેકમ બિનજરૂરી જાનહાનિ થતી અટકશે અને તેના કામની પણ બોલબાલા થશે. અમદાવાદ સહિત હાઉસિંગ બોર્ડના કેટલાય મકાનોની જર્જરિત સ્થિતિ છે અને કોર્પોરેશનનો મકાન વિભાગ આ મોરચે સક્રિય થાય તે જરૂરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...