Saturday, January 17, 2026

અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું : ગાંધી આશ્રમનો આ રસ્તો વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરમાં તા.12/3/2024 ના રોજ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે એક જાહેરસભાના કાર્યક્રમનું આયોજન થનાર હોઈ, જે કાર્યક્રમ દરમિયાન સવારના કલાક 06.00થી બપોર કલાક 14.00 સુધી કરવાનો રહેશે. સુભાષ બ્રિજ સર્કલથી ગાંધીઆશ્રમ થઈ વાડજ સર્કલ સુધીનો બન્ને બાજુનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ PM મોદીની સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાતને લઈને અભય ઘાટ ખાતે પણ જન સભાને સંબોધવાના હોવાને લઈ સ્ટેજ બનાવવાની કામગીરી કરવામાં આવી છે. મ્યુ સૂત્રો મુજબ મંગળવારથી સાબરમતી ગાંધી આશ્રમના કાર્ગો મોટર્સથી સુભાષ બ્રિજ તરફના રોડને કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેવી શક્યતા છે.

પોલીસ કમિશનરનું જાહેરનામાં મુજબ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગની વિગત : સુભાષ બ્રિજ સર્કલથી ગાંધીઆશ્રમ થઈ વાડજ સર્કલ સુધીનો બન્ને બાજુનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.વૈકલ્પિક માર્ગની વિગત : પ્રબોધ રાવળ સર્કલથી રાણીપ ટી થઈ પલક ટી થી ડાબી બાજુ વળી નવા વાડજ પોલીસ ચોકી થઇ વાડજ સર્કલ સુધીના માર્ગ પર અવર-જવર કરી શકાશે.

તમને જણાવી દઈએ કે સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સનાં વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી.

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.12/3/2024ના સવારના કલાક 06.00થી બપોર કલાક 14.00 સુધી કરવાનો રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...