Thursday, September 18, 2025

12 માર્ચના રોજ ફરી વતનમાં વડાપ્રધાન, સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કરશે ખાતમુહૂર્ત

Share

Share

અમદાવાદ : PM નરેન્દ્ર મોદી 12મી માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.આગામી 12 માર્ચના રોજ PM નરેન્દ્ર મોદી રાજ્યના અમદાવાદમાં સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ગાંધી આશ્રમની મુલાકાત લેવાના હોવાથી તંત્ર દ્વારા તડામાંર તૈયારીઓ ચાલી રહી છે. તંત્રએ તૈયારીઓનો આખરી ઓપ આપ્યો છે. મળતા અહેવાલ કે કૈલાસ નાથન તેમજ અન્ય અધિકારીઓએ PM ના કાર્યક્રમને લઈ ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સાબરમતી ગાંધી આશ્રમના રૂ.1200 કરોડના રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને રેલવેના વિવિધ પ્રોજેક્ટ તેમજ અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરવાના છે. સવારે 10:30 વાગ્યે વડાપ્રધાન સાબરમતી ગાંધી આશ્રમ નજીક આવેલા અભય ઘાટ મેદાન ખાતે વિશાળ જનસભાને પણ સંબોધન કરશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને રેલવે વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સોમવારે સાંજ સુધીમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવશે.

આજે પણ વિદેશથી આવનારા કોઈપણ ટુરિસ્ટ આ આશ્રમને જોવા માટે અચુક આવે છે અને ઈતિહાસને જાણે છે. રોજના હજારો દેશ અને વિદેશના પ્રવાસીઓ આ આશ્રમની મુલાકાતે આવે છે. હાલનો 5 એકરમાં ફેલાયેલો આશ્રમ હવે 55 એકરમાં ગાંધીના મૂલ્યો સાથે નિર્માણ પામશે. અંદાજે 1200 કરોડના ખર્ચે આ આશ્રમનું નવીનીકરણ કરવામા આવશે. જેમાં હાલમાં આવેલી 20 ઇમારતોને યથાસ્થિતિમાં જાળવી રાખવામાં આવશે. આ ઉપરાંત 13 નવા બિલ્ડિંગ ઉભા કરવામાં આવશે અને મુલાકાતીઓની સુવિધામાં વધારો કરવામાં પણ વધારે થશે.

PM નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમ મુજબ 12મી માર્ચના રોજ PM સવારે 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. એરપોર્ટથી સીધા તેઓ સાબરમતી ડી કેબીન પાસે આવેલા રેલવેના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં PM અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, ભૂજ-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...