Monday, January 19, 2026

અમદાવાદમાં મજાક મજાકમાં ખેલાયો ખૂની ખેલ, સ્ટંટ કરતા યુવકે પોતાના પર જ કર્યુ ફાયરિંગ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં મજાક મજાકમાં સ્ટંટ કરતા યુવકનું મોત થયુ છે. વેજલપુર વિસ્તારમાં રહેતા દિગ્વિજય સિંહ રાજપૂત રિવોલ્વર ખાલી હોવાનું માનીને સ્ટંટ કરી રહ્યો હતો. આ દરમિયાન પોતાની જાતે જ રિવોલ્વરથી ફાયરિંગ કરતા મોત નીપજ્યુ છે. હાલ વેજલપુર પોલીસ FSLની ટીમને સાથે રાખીને તપાસ કરી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વેજલપુરની રૂપેશ સોસાયટીમાં આકસ્મિક ફાયરિંગમાં એક યુવકનું મોત નિપજ્યું છે. આ યુવકનું નામ દિગ્વિજયસિંહ રાજપુત ઉર્ફે ભોલો હતું. 36 વર્ષીય યુવકે નશાની હાલતમાં મજાકમાં પોતાના પર જ ગોળી ચલાવી હતી. મૃતક યુવકે જ્યારે ફાયરિંગ કર્યુ ત્યારે તેનો ડ્રાઇવર અને તેની સાથે એક મહિલા મિત્ર પણ સાથે હતી.યુવાને પોતાની લાઇસન્સવાળા વેપનથી મજાકમાં ફાયરિંગ કર્યુ હતુ. આ રિવોલ્વરમાં ત્રણ રાઉન્ડ ખાલી હતા અને ત્યાર બાદના 3 રાઉન્ડ ભરેલા હતા. હાલ વેજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ તપાસમાં FSL ની ટીમ પણ કામે લાગી છે.

આ ઘટના દિગ્વિજયસિંહના પોતાની માલિકીના નિર્માણધીન બંગલામાં જ બની હતી. મૃતક જમીન લે વેચના ધંધા સાથે સંકળાયેલો હતો. તેણે નશાની હાલતમાં પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. લાયસન્સવાળી લોડેડ રિવોલ્વર તેણે પોતાના લમણે મૂકી ફિલ્મી સ્ટાઈલમાં ફાયરિંગ કરવાની મસ્તી કરતો હતો. બે રાઉન્ડ બાદ ત્રીજા રાઉન્ડનું ફાયરિંગ કરતા જ બુલેટ ફાયર થઈ હતી. ફાયરિંગ થતા જ યુવકનું ઘટનાસ્થળે મોત થઇ ગયું હતું. ઘટનાની જાણ થતા જ ACP કક્ષાના અધિકારીનો સ્થળે પહોંચી હતી. હાલ વેજલપુર પોલીસે FSL ની મદદ લઈ તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે, ગુજરાત રાજ્યમાં હથિયાર પરવાનાને લઈને કેટલીક વિગતો બહાર આવી છે. જેમાં પોલીસ ભલામણ ન હોવા છતાં કલેક્ટર દ્વારા અપાયેલા પરવાનામાં છેલ્લા ત્રણ વર્ષમાં મોરબી સૌથી મોખરે રહ્યું છે. ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં કલેકટરની ભલામણથી પરવાનાની સંખ્યા 319 છે. મોરબીમાં 91 પરવાના કલેકટરની ભલામણથી અપાયા છે. તો છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં ગન રિવોલ્વરના પરવાનાની સંખ્યા 2213 પહોંચી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...