Wednesday, January 21, 2026

ગઈકાલના શિવરંજની પાસે ભયંકર અકસ્માત મામલે ઈજાગ્રસ્ત ફિઝિયોથેરાપિસ્ટ યુવતીનું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં શિવરંજની પાસે આવેલ કેશવબાગ ચાર રસ્તા પર ગઈકાલે થયેલ એક ભયંકર રોડ દુર્ઘટનામાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીનું મોત થયું છે. પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવામાં જતી યુવતીને ટક્કર મારતા યુવતી 50 મીટર ઢસડાઇ હતી. સારવાર દરમિયાન આજે યુવતીનું મોત થયું છે.આ સમગ્ર મામલે હાલ ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ નારણપુરા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય વિશ્વા શાહ નામની યુવતી એક્ટિવા પર જઈ રહી હતી અને અકસ્માતનો ભોગ બની હતી. ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતી યુવતી શિવરંજની નજીક કેશવબાગ ચાર રસ્તા પાસે એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી. ત્યારે કારચાલક મહિલાએ તેને અડફેટે લેતાં 50 મીટર સુધી ઢસડાઈ હતી. યુવતી ગંભીર ઈજા સાથે લોહીલૂહાણ બની હતી તેમજ લોહીના રેલા રોડ પર જોવા મળ્યા હતા. ઘટનાને પગલે લોકો એકત્ર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ગંભીર ઈજા સાથે યુવતીને હોસ્પિટલ ખસેડી હતી. જોકે સારવાર દરમિયાન કોમામાં ગયેલ યુવતીનું મોત થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પરિવારજનો અકસ્માત કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવે એવી માગ સાથે પોલીસ સ્ટેશન ભેગા થયા હતા.

ઘટનાના પગલે યુવતીને તાબડતોબ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. જો કે દુર્ભાગ્યવશ યુવતીની જિંદગી ન બચાવી શકાય અને સારવાર દરમિયાન જ આજે આજે યુવતીનું મોત થયું છે. આશાસ્પદ યુવતીના આકસ્મિક નિધનથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. જો કે પરિવારે દુ:ખની ઘડીમાં પણ અન્યના જીવનમાં અજવાળા કરવા અંગદાનનો નિર્ણય કર્યો છે. આ સમગ્ર મામલે હાલ ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...