Monday, January 19, 2026

અમદાવાદની સિવિલ આંખની હોસ્પિટલમાં બબાલ, ઓપરેશન કયારે કરશો કહી તબીબને ઢોર મારમાર્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની સિવિલમાં આંખની હોસ્પિટલમાં ડોક્ટરને એક યુવકે ફડાકો ઝીંકી લાત મારી પાડી દીધા હતા. બાદમાં મારામારી પર ઊતરેલા યુવકને સુરક્ષાકર્મીએ હાથ પકડી રાખ્યા તો તેને પણ ધક્કો મારવાની કોશિશ કરી હતી. જોકે વચ્ચે પડેલા અન્ય એક ડોક્ટરને પણ ધક્કો મારી પાડી દીધા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.દરમ્યાન હોસ્પિટલ સ્ટાફ દ્વારા પોલીસનો સંપર્ક કરાતા હુમલો કરનાર દર્દીના સગાની અટકાયત કરવામાં આવી છે.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલની એમ.એન.જે આંખ હોસ્પિટલમાં દર્દીનું સવારે ઓપરેશન હતું. જે અંતર્ગત હોસ્પિટલમાં ફરજ પરના તબીબે દર્દી અને સગાને સવારે સાત વાગ્યે હાજર રહેવા જણાવ્યું હતું. હોસ્પિટલનાં સૂત્રોના કહેવા પ્રમાણે, દર્દીનું ઓપરેશન હોઈ, સવારે 7 વાગ્યે હાજર રહેવા સૂચના અપાઈ હતી, જોકે એને બદલે 11 વાગ્યે આવ્યા હતા, મોડા આવ્યા હોવાથી આજે ઓપરેશન નહીં થાય એમ તબીબે કહ્યું તો દર્દીના પુત્રે રોષે ભરાઇ ડોક્ટરને ફડાકો મારી દીધો હતો. દર્દીના સગાએ ડોક્ટર પર હાથ ઉપાડવાની સાથે ગાળાગાળી પણ કરી હતી.ગુસ્સે થયો હતો અને ઓપરેશન કરવું પડશે તેમ કહેતા ડોક્ટરને તમાચો માર્યો. દર્દીના સગાએ ડોક્ટર સાથે બબાલ કરતા અપશબ્દો પણ કહ્યા હતા.

યુવકે સુરક્ષાકર્મી પર પણ હુમલો કરવાની કોશિશ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દરમ્યાન હોસ્પિટલ સ્ટાફ દ્વારા પોલીસનો સંપર્ક કરાતા હુમલો કરનાર દર્દીના સગાની અટકાયત કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...