Wednesday, January 14, 2026

31 માર્ચ રવિવારે ખુલ્લી રહેશે તમામ બેંક, RBIનો મોટો નિર્ણય, જાણો કારણ

spot_img
Share

નવી દિલ્હી : RBI એ રવિવાર, 31 માર્ચ 2024ના દેશભરની બેન્કો ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. RBIએ મોટો નિર્ણય લેતા 31 માર્ચે રવિવાર હોવા છતાં દેશભરમાં બેન્કો ખુલી રાખવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય બેન્કે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. એટલે કે 31 માર્ચ રવિવારે દેશની દરેક બેન્કો ખુલી રહેશે.

RBIએ 31 માર્ચ રવિવારે બેન્કો ખુલી રાખવાનો નિર્દેશ કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24 નો છેલ્લો દિવસ હોવાને કારણે RBI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. RBIએ કહ્યું કે 31 માર્ચે વાર્ષિક ક્લોઝિંગ છે. તેવામાં દરેક બેન્કો ખુલી રહેશે. જેથી નાણાકીય વર્ષના અંત સુધી થનાર ટ્રાન્ઝેક્શનને તે વર્ષમાં નોંધી શકાય. ભારત સરકારે સરકારી રિસેપ્ટ અને ચુકવણીથી સંબંધિત દરેક શાખાઓને 31 માર્ચે ખુલી રાખવાની વિનંતી કરી છે, જેથી સરકારી લેતીદેતીનો હિસાબ રાખી શકાય.

RBIએ કહ્યું કે 31 માર્ચે નાણાકીય વર્ષના વાર્ષિક ક્લોઝિંગ દરમિયાન દેશભરની બેન્કો નક્કી સમય પર ખોલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એટલે કે 31 માર્ચ રવિવારે દરેક બેન્કો પોતાના નિયમિત સમય પર ખુલશે અને નક્કી સમય પર બંધ થશે. પરંતુ ગ્રાહક NEFT અને RTGS ટ્રાન્ઝેક્શન રાત્રે 12 કલાક સુધી કરી શકશે.

માત્ર બેન્કો જ નહીં આવકવેરા વિભાગની ઓફિસો પણ 31 માર્ચ રવિવારે ખુલી રહેશે. માત્ર રવિવાર જ નહીં પરંતુ શુક્રવાર 29 માર્ચે ગુડફ્રાઇડે, શનિવાર 30 માર્ચ અને રવિવાર 31 માર્ચે ઈનકમ ટેક્સની ઓફિસો ખુલી રહેશે. આવકવેરા વિભાગે દેશભરની ઓફિસો ખુલી રાખવાનો નિર્દેશ કર્યો છે. નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાને કારણે ડિપાર્ટમેન્ટે ગુડ ફ્રાઇડેને કારણે લાંબી રજાને રદ્દ કરી દીધી છે. આવકવેરા વિભાગે કહ્યું કે આઈટી ઓફિસ 29, 30 અને 31 માર્ચે ખુલી રહેશે. તમને જણાવી દઈએ કે સ્ટોક માર્કેટ આ દરમિયાન બંધ રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...