Monday, March 2, 2026

31 માર્ચ રવિવારે ખુલ્લી રહેશે તમામ બેંક, RBIનો મોટો નિર્ણય, જાણો કારણ

spot_img
Share

નવી દિલ્હી : RBI એ રવિવાર, 31 માર્ચ 2024ના દેશભરની બેન્કો ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. RBIએ મોટો નિર્ણય લેતા 31 માર્ચે રવિવાર હોવા છતાં દેશભરમાં બેન્કો ખુલી રાખવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય બેન્કે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. એટલે કે 31 માર્ચ રવિવારે દેશની દરેક બેન્કો ખુલી રહેશે.

RBIએ 31 માર્ચ રવિવારે બેન્કો ખુલી રાખવાનો નિર્દેશ કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24 નો છેલ્લો દિવસ હોવાને કારણે RBI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. RBIએ કહ્યું કે 31 માર્ચે વાર્ષિક ક્લોઝિંગ છે. તેવામાં દરેક બેન્કો ખુલી રહેશે. જેથી નાણાકીય વર્ષના અંત સુધી થનાર ટ્રાન્ઝેક્શનને તે વર્ષમાં નોંધી શકાય. ભારત સરકારે સરકારી રિસેપ્ટ અને ચુકવણીથી સંબંધિત દરેક શાખાઓને 31 માર્ચે ખુલી રાખવાની વિનંતી કરી છે, જેથી સરકારી લેતીદેતીનો હિસાબ રાખી શકાય.

RBIએ કહ્યું કે 31 માર્ચે નાણાકીય વર્ષના વાર્ષિક ક્લોઝિંગ દરમિયાન દેશભરની બેન્કો નક્કી સમય પર ખોલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એટલે કે 31 માર્ચ રવિવારે દરેક બેન્કો પોતાના નિયમિત સમય પર ખુલશે અને નક્કી સમય પર બંધ થશે. પરંતુ ગ્રાહક NEFT અને RTGS ટ્રાન્ઝેક્શન રાત્રે 12 કલાક સુધી કરી શકશે.

માત્ર બેન્કો જ નહીં આવકવેરા વિભાગની ઓફિસો પણ 31 માર્ચ રવિવારે ખુલી રહેશે. માત્ર રવિવાર જ નહીં પરંતુ શુક્રવાર 29 માર્ચે ગુડફ્રાઇડે, શનિવાર 30 માર્ચ અને રવિવાર 31 માર્ચે ઈનકમ ટેક્સની ઓફિસો ખુલી રહેશે. આવકવેરા વિભાગે દેશભરની ઓફિસો ખુલી રાખવાનો નિર્દેશ કર્યો છે. નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાને કારણે ડિપાર્ટમેન્ટે ગુડ ફ્રાઇડેને કારણે લાંબી રજાને રદ્દ કરી દીધી છે. આવકવેરા વિભાગે કહ્યું કે આઈટી ઓફિસ 29, 30 અને 31 માર્ચે ખુલી રહેશે. તમને જણાવી દઈએ કે સ્ટોક માર્કેટ આ દરમિયાન બંધ રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...