Saturday, September 13, 2025

GT vs MI : અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર હકડેઠઠ મેદની, ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

Share

Share

અમદાવાદ : આજે અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)2024ની ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન વચ્ચેની મેચ રમાશે. મેચ જોવા માટે ક્રિકેટ રસિકો બપોરથી જ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે.સ્ટેડિયમની બહાર ક્રિકેટપ્રેમીઓની ભારે ભીડ જામી છે. બને ટીમોના ફેન્સ ટીમની ટી-શર્ટ પહેરીને સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા છે. તો દર્શકોની ભારે ભીડને ધ્યાને રાખીને પોલીસે સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચના ચાહકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હોટેલ બુકિંગથી લઈને ટ્રેન અને ફ્લાઈટ ટિકિટનું બુકિંગ અગાઉથી થઈ ગયું હતું. ત્યારે હવે ક્રિકેટ રસિકોની આતુરતાનો અંત આવ્યો છે. આજે બંને ટીમો સામ સામે ટકરાશે. અમદાવાદમાં આઈપીએલની પ્રથમ મેચ હોવાથી લોકોમાં અનેરો ઉત્સાહ છે. કેટલાક લોકો બહારથી જ પોતાની મનગમતી ટીમને ચીયરઅપ કરી રહ્યા છે.

અમદાવાદ સહિત વિવિધ શહેરો અને અન્ય રાજ્યના શહેરોમાંથી પણ લોકો મેચ જોવા માટે સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂક્યા છે. લોકોની ભીડ સ્ટેડિયમની બહાર જોવા મળી રહી છે. મેચ શરૂ થવાને અડધા કલાક કરતા પણ ઓછો સમય બાકી છે, ત્યારે હજુ પણ મેટ્રો સ્ટેશન પર લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો મેચ શરૂ થાય તે પહેલા સ્ટેડિયમ પહોંચવા પ્રસાસ કરી રહ્યા છે.

અમદાવાદ પોલીસ કમિશનરે IPLની મેચને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ અમદાવાદમાં યોજવનારી IPLના ત્રણેય દિવસે અમદાવાદમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્પા સંચાલકોએ પણ કર્મચારીઓ અને સ્ટાફની વિગત અને આઇડી કાર્ડ જે તે પોલીસ સ્ટેશનમાં આપવામાં રહેશે. રિક્ષા, ટેક્સી કે કેબમાં ફરજિયાત વાહનચાલકનું નામ સહિતની તમામ વિગત દેખાય તે રીતે બોર્ડ પર લગાવવાની રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...