Wednesday, February 18, 2026

અમદાવાદમાં આ વિસ્તારમાં ખાખી સામે ટપોરીઓ, ચાર સામે નોંધાઈ ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં ગરીબનગર ચાર રસ્તા પાસે પેટ્રોલિંગ દરમિયાન બાપુનગર પોલીસ સ્ટેશનના PSI સહિત અન્ય પોલીસકર્મીઓ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો, જેમાં પથ્થરમારો કરી પોલીસ વાનનો કાચ તોડી નાંખ્યો અને ગાડીના દરવાજાને પણ નુકસાન પહોચાડ્યું છે. મામલો ઉગ્ર બનતા આસપાસના કંટ્રોલ રૂમમાં જાણ કરીને વધુ પોલીસ બોલવવી પડી હતી, પરંતુ ટપોરીઓ અંધારાનો લાભ લઈને ભાગી છુટ્યા હતા. હાલ પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાતના 12.50 વાગ્યા આસપાસ બાપુનગરના ગરીબનગર ચાર રસ્તા પાસે પોલીસની પેટ્રોલિંગ કરતી ટીમ પહોંચી હતી. તે સમયે ટ્રાફિક ચોકીની સામે જાહેર રોડ ઉપર કેટલાક શખસો ઉભા હતા.જ્યાં પોલીસે ગાડી ઉભી રાખી જોતા ટોળામાં ફઝલ ફરીદ અહેમદ શેખ (રહે- અકબરનગરના છાપરા, એસ. પી.ઓફિસની પાછળ, બાપુનગર) અને મહેફુઝ નામનો શખસ તેમજ અન્ય 7થી 8 માણસોનું ટોળું રોડ ઉપર ઊભેલું હતું.જેથી પોલીસે આ તમામને ઘરે જતા રહેવાનું કહ્યું હતું.

આ દરમિયાન ટોળામાં રહેલા ફઝલ ફરીદ અહેમદ શેખ અને મહેફુઝે બુમાબુમ કરી હતી અને પોલીસને બિભસ્ત ગાળો આપી હતી. પોલીસ તેને પકડવા જતા આ લોકો થોડા દૂર ગયા હતા અને હાથમાં પથ્થરો લઇ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં પોલીસ વાનનો આગળનો કાચ તૂટી ગયો હતો અને દરવાજાને પણ નુકસાન થયું હતું. આ ઉપરાંત આરોપી ફઝલે તલવાર હાથમાં લઇ પોલીસને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ બનાવ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા આસપાસના ગોમતીપુર, રખિયાલ, અમરાઇવાડીની પોલીસની ગાડીઓ તેમજ બાપુનગર સર્વેલન્સ સ્કોર્ડના માણસો આવી ગયા હતા. જેથી ઉપરોક્ત ફઝલ અને મહેફૂઝ તેમજ ટોળાના અન્ય માણસો અંધારાનો લાભ લઈ અકબરનગરના છાપરામાં ટુ વ્હીલર પર ભાગી ગયા હતા. હાલ પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...