Tuesday, March 3, 2026

ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી : અકસ્માતમાં બેભાન થયેલા એક વ્યક્તિને પોલીસકર્મીએ CRP આપી બચાવ્યો

spot_img
Share

અમદાવાદ : શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રિંગ રોડ ઉપર અકસ્માત દરમિયાન બેભાન થયેલા એક વ્યક્તિને ટ્રાફિક પોલીસ કર્મચારી દ્વારા CRP આપી જીવ બચાવવામાં આવ્યો હતો. છાતી ઉપર CRP આપતા શ્વાસ ફરીથી શરૂ થયો હતો અને તાત્કાલિક તેઓને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસને જીવ બચાવવા માટે આપવામાં આવેલી ટ્રેનિંગના કારણે આજે એક વ્યક્તિનો જીવ બચાવી શક્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by mirchinews (@mirchinews)

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના રિંગ રોડ ઉપર સવારના સમયે વસ્ત્રાલ વિસ્તારમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે મહેશકુમાર જાની પોતાનું એકટિવા લઈ પાંજરાપોળ ચાર રસ્તા તરફ આવી રહ્યા હતા તે દરમિયાન આઈસર સાથે ટક્કર વાગતા રોડ ઉપર પડી જતા તેમને જમણા હાથે તેમજ શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ હતી અને બેભાન થઈ ગયા હતા.તેમનો શ્વાસ બંધ જતાં ત્યાં હાજર આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ કાળુંસિંહ અને ખુમાનસિંહ દાનાભાઈ તથા કોન્સ્ટેબલ વિક્રમસિંહ રાજભાઈ તેમજ દશરથજી રાજેશકુમાર સ્ટાફના માણસો સાથે ફરજ ઉપર હાજર હતા.

ટ્રાફિક પોલીસ દ્વારા CPR આપવામાં આવ્યો હતો. પાંચ મિનિટ સુધી તેઓના હૃદય પર CRP કરવામાં આવતા ફરીથી શ્વાસ ચાલુ થયા હતા. 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આમ ટ્રાફિક પોલીસને જીવ બચાવવા માટે આપવામાં આવેલી ટ્રેનિંગના કારણે આજે એક વ્યક્તિનો જીવ બચાવી શક્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...