Tuesday, February 17, 2026

શાસ્ત્રીનગરમાં રેસ્ટોરાંમાં કરી તોડફોડ, નાસ્તો કર્યો પછી રૂપિયા માંગ્યા તો અસામાજિક તત્વો ઉશ્કેરાયા

spot_img
Share

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં શાસ્ત્રીનગરમાં આવેલ સરદાર હાઉસિંગ કોમ્પ્લેક્સમાં ખાણીપીણીની દુકાન પર મારામારીની ઘટના સામે આવી છે. જેમાં ચાર અસામાજિક તત્ત્વોએ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરી પૈસા ન આપતા કેશ કાઉન્ટર સાંભળતા વ્યક્તિએ પૈસા માગ્યા હતા. આથી આ ચારેય શખસે રોફ જાડી લાકડીથી તોડફોડ કરી હતી. આ સમગ્ર બનાવના સીસીટીવી સામે આવ્યા છે. સ્થાનિક પોલીસે ચારેય શખસ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખાણીપીણીની દુકાન પર મારામારીની ઘટના સામે આવી હતી. જ્યાં શાસ્ત્રીનગર પાસે આવેલા સરદાર કોમ્પલેક્ષમાં ચા નાસ્તાના પૈસા આપવા મામલે અસામાજિક તત્વો દ્વારા મારામારી કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ તેઓએ દુકાનની બહાર મૂકેલા કાઉન્ટર ઉપર તોડફોડ કરવા લાગ્યા હતા. તેઓએ અમુક કાઉન્ટરોના કાચ તોડી નાખ્યા અને એક કાઉન્ટર ઊંધું વાળી દીધું હતું. તેમજ દુકાનની બહાર લગાવેલા ટીવીનો કાચ પણ લાકડીથી તોડી નાખ્યો હતો. જેને લઈને દુકાનના તમામ ગ્રાહકો ત્યાંથી બીકના માર્યા ભાગી ગયા હતા.આ ઘટનામાં 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

તમને જણાવી દઈએ કે અસામાજિક તત્વોએ રેસ્ટોરેન્ટમાં નાસ્તો કર્યો પછી દુકાનદારે તેમની પાસેથી રૂપિયાની માંગ કરી હતી પણ આ શખ્સો પાસે રૂપિયા માંગતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. લાકડીઓ કાઢીને રેસ્ટોરેન્ટમાં તોડફોડ આદરી હતી. આ દૃશ્ય જોઈને આસપાસ ઉભેલા લોકો જીવ બચાવવા ભાગ્યા હતા.સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...