Wednesday, March 4, 2026

અમદાવાદની વધુ એક સોસાયટીમાં PG ને લઈને વિવાદ, 174 ફ્લેટ્સમાંથી 74 PG, રહીશો અને PG-માલિકો વચ્ચે બબાલ

spot_img
Share

અમદાવાદ : ભૂતકાળમાં અમદાવાદમાં અનેક સોસાયટીઓમાં PGને લઈને વિવાદમાં આવ્યા છે ત્યારે શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ એલીગન્સ સોસાયટીમાં PGને લઈ અન્ય લોકોની અવરજવરને કારણે સોસાયટીના રહીશોની નારાજગી સામે આવી છે. એલિગન્સ સોસાયટીના રહીશો અને PGમાં રહેતા લોકો વચ્ચે મોડી રાતે ભારે હોબાળો મચ્યો હતો. નીલકંઠ એલિગન્સ સોસાયટીના રહીશોએ આરોપ લગાવ્યો હતો કે PGમાં રહેતા લોકોથી પરેશાન થઈ રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આનંદનગર વિસ્તારની નીલકંઠ એલીગન્સ સોસાયટીમાં વિવાદ સામે આવ્યો છે. રહીશોએ PG માં રહેતા યુવક યુવતીઓ સામે પોલીસ ફરિયાદ કરી છે. રહીશોનું કહેવું છે કે PG માં રહેતા યુવક યુવતીઓ અછાજતું વર્તન જાહેરમાં કરે છે. સાથે જ તેઓ દારૂનું પણ સેવન કરે છે. રાતના સમયે સોસાયટીમાં પ્રવેશ લેનારાઓની સંખ્યા 700-800 સુધી પહોંચી જાય છે.

PG ના રહીશો સિવાય પણ અન્ય લોકોની અવરજવરને કારણે રહીશોમાં નારાજગી જોવા મળી. અગાઉ સોસાયટીના લોકોએ ત્રણ મહિના માટે પાસ ઈશ્યુ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં માત્ર PG માં રહેતા લોકોને જ પ્રવેશ મળે તેવુ રહીશોનું કહેવું છે. તો બીજી તરફ, PG માં રહેતા મોટાભાગના યુવક યુવતીઓએ પાસ લેવાની ના પાડી છે.

રહીશોનું કહેવું છે કે નીલકંઠ એલીગન્સમાં 174 ફ્લેટ્સમાંથી 74 માં PG ચાલે છે. અહીં લોકો ગેરકાયદે પેટાભાડુઆત રાખ્યા છે. એક વ્યક્તિએ 25 ફ્લેટ્સ PG માટે આપ્યા છે. PG માં રહેવા માટે આપવા પડતા ડોક્યુમેન્ટ્સ પણ જમા કરાવ્યા નથી. આ સિવાય સોસાયટીનું મેઇન્ટેન્સન પણ સમયે ચૂકવામાં આવતું નથી. જે કારણે સોસાયટીના રહીશો દ્વારા PG ના સંચાલકો અને PG માં રહેતા લોકો સામે રોષ ફાટી નીકળ્યો છે.

આમ, સોસાયટીમાં મોડીરાત્રે પીજી રહેતા લોકો અવરજવર સાથે કેટલીક અસામાજિક પ્રવૃત્તિ કરતા હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. આગામી 1 મેથી સંપૂર્ણપણે સોસાયટીમાં પેઈંગ ગેસ્ટ બંધ કરાવવામાં આવશે. જેમાં સ્થાનિકો દ્વારા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને સ્થાનિક કોર્પોરેટરને પીજી બંધ કરાવવા રજૂઆત કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...