Tuesday, September 16, 2025

AMCનો નવતર પ્રયોગ, ​​​​​​સિંધુભવન રોડ પર બેફામ વાહનોની સ્પીડ કંટ્રોલ કરવા રંબલ સ્ટ્રિપ લગાવાયા

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં બેફામ વાહનોની સ્પીડ કંટ્રોલ કરવા ટ્રાફિક વિભાગ અને AMC એક્શનમાં છે. ત્યારે ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા બેફામ સ્પીડે વાહન ચલાવી અકસ્માત અટકાવવા માટે એક નવતર પ્રયોગ કરાયો છે. ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકો ધીમે વાહનચલાવે તેના માટે સિંધુભવન રોડ પર ગોટીલા ગાર્ડન અને તાજ હોટલ નજીક રંબલ સ્ટ્રિપ (પીળા પટ્ટા) લગાવવામાં આવ્યા છે. જેના કારણે રોડ પર બેફામ સ્પીડમાં ચલાવતા વાહનચાલકોને ધીમે વાહન ચલાવવાની અને ડેન્જર ઝોન હોવાનો ખ્યાલ આવશે.

AMCના ટ્રાફિક વિભાગના એડિશનલ સિટી ઇજનેર પ્રેમલ શેઠે જણાવ્યા મુજબ, શહેરના સિંધુભવન રોડ ઉપર AMC દ્વારા આ રંબલ સ્ટ્રિપ (પીળા પટ્ટા) લગાવવામાં આવ્યા છે.જેના કારણે આગળ ચાર રસ્તા અને અકસ્માત ઝોન હોવાથી વાહનચાલકને પોતાના વાહનની સ્પીડ ધીમી કરવા અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે.ટ્રાફિક પોલીસ દ્વારા સર્વે કરી અને જે જગ્યાએ અકસ્માત ઝોન અથવા તો ડેન્જર ઝોન હોય તેની માહિતી આપવામાં આવતી હોય છે. જેના આધારે AMC દ્વારા શહેરના સિંધુભવન રોડ પર ગોટીલા ગાર્ડન અને તાજ હોટલ નજીક રંબલ સ્ટ્રિપ (પીળા પટ્ટા) લગાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે શહેરના સિંધુભવન રોડ ઉપર સૌથી વધારે રેસ ડ્રાઇવિંગ થતું હોય છે. મોડી રાત્રે નબીરાઓ દ્વારા સરદાર પટેલ રિંગરોડથી લઈ પકવાન ચાર રસ્તા સુધી સ્ટંટ બાજી અને બેફામપણે વાહન ચલાવતા હોય છે. ત્યારે આવા વાહનચાલકોને રોકવા માટે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રંબલ સ્ટ્રિપ (પીળા પટ્ટા) લગાવવામાં આવ્યા છે. જેના કારણે આગામી સમયમાં બેફામ સ્પીડે ચાલતા વાહનોચાલકો કંટ્રોલ કરી અકસ્માત ઘટાડી શકાશે.

ભૂતકાળમાં અમદાવાદમાં રોન્ગ સાઈડ જવા અટકાવવા ટાયર કિલર બમ્પનો પ્રયોગ નિષ્ફળ સાબિત થયો હતો. બમ્પ હોવા છતા લોકો તેના પરથી વાહન લઈને રોંગ સાઈડથી જતા કેમેરામાં કેદ થયા હતા. જ્યારે ટાયર કિલર બમ્પની સ્પ્રિંગ પણ વારંવાર બગડી જતા તેને પણ રિપેર કરાવવી પડી હતી. ત્યારે AMCનો એ પ્રયોગ પણ પ્રજા માટે સફેદ હાથી જેવો સાબિત થયો હતો ત્યારે AMCનો રંબલ સ્ટ્રિપ લગાવવાનો નવતર પ્રયોગ કેટલે અંશે સફળ સાબિત થશે એ આગામી સમય જ બતાવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...