Saturday, November 1, 2025

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 18મી એ યોજશે ભવ્ય રોડ-શો, 19મી એપ્રિલે ઉમેદવારીપત્ર ભરશે

Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગર લોકસભા ભાજપના ઉમેદવાર અમિતભાઇ શાહ 17મીએ રાત્રે અમદાવાદ આવી પહોંચશે. 18મીએ પોતાના લોકસભા મતવિસ્તારની સાતેય વિધાનસભાને આવરી લેતો ગ્રાન્ડ રોડ શો યોજી પ્રચાર કરશે.એક જ દિવસમાં ત્રણ તબક્કામાં રોડ શો નું આયોજન કરાયું છે, જેમાં દરેક વિધાનસભામાં 4 કિમી રોડ શો યોજશે અને બીજા દિવસે એટલે કે 19મીએ ગાંધીનગર કલેક્ટર કચેરીએ પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે.

મીડિયા રિપોર્ટ મુજબ અમિતભાઇ શાહ 18મીએ સવાર અને સાંજ એમ બે તબક્કામાં રોડ શો યોજશે. સવારે ત્રણથી ચાર વિધાનસભા વિસ્તાર અને બપોર પછી બાકીની વિધાનસભા વિસ્તારોને આવરી લેતો ભવ્યાતિભવ્ય રોડ શો યોજવા માટે મેરેથોન બેઠકો ચાલી રહી છે. અમિતભાઇનો રોડ શો સાણંદથી શરૂ થઇને વેજલપુર, નારણપુરા, ઘાટલોડિયા અને પછી સાબરમતી, ગાંધીનગર ઉત્તર અને કલોલના વિસ્તારોને આવરી લેશે. દરેક વિધાનસભા વિસ્તારમાં 4-4 કિમીનો રોડ શો યોજાય એવી રીતે આયોજન ચાલી રહ્યું છે.19મીએ અમિતભાઇ ગાંધીનગર કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા જશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાષ્ટ્રીય આગેવાનો પણ તેમની સાથે જોડાશે.19મીએ જાહેરસભા યોજવા અંગે હજુ આખરી નિર્ણય લેવાયો નથી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના એસજી હાઇવે પર આવેલા જલસા પાર્ટી પ્લોટ પાસે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગર લોકસભા હેઠળ સાણંદ, વેજલપુર, નારણપુરા, ઘાટલોડિયા, સાબરમતી, ગાંધીનગર ઉત્તર અને કલોલ વિધાનસભા બેઠકોના ધારાસભ્યો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા સભ્યો, સંગઠનના પદાધિકારીઓ, લોકસભા પ્રભારી અને સાંસદ મયંક નાયક, લોકસભા પ્રભારી ધારાસભ્ય હર્ષદ પટેલ, ક્લસ્ટર પ્રભારી કે.સી. પટેલ સહિતના પ્રદેશના આગેવાનોના માર્ગદર્શનમાં માઇક્રો પ્લાનિંગ સાથે પ્રચારની વ્યવસ્થા ગોઠવીને કામ શરૂ કરી દીધું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...

ગિરનારની લીલી પરિક્રમાની તૈયારી પૂરજોશમાં, પદયાત્રીઓને અપાઈ મહત્વની સૂચના, આવું ન કરતા !

જુનાગઢ : જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓની વ્યવસ્થાને ધ્યાન રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ-સંતો ઉતારા મંડળ અને...

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...