Saturday, February 7, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 18મી એ યોજશે ભવ્ય રોડ-શો, 19મી એપ્રિલે ઉમેદવારીપત્ર ભરશે

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગર લોકસભા ભાજપના ઉમેદવાર અમિતભાઇ શાહ 17મીએ રાત્રે અમદાવાદ આવી પહોંચશે. 18મીએ પોતાના લોકસભા મતવિસ્તારની સાતેય વિધાનસભાને આવરી લેતો ગ્રાન્ડ રોડ શો યોજી પ્રચાર કરશે.એક જ દિવસમાં ત્રણ તબક્કામાં રોડ શો નું આયોજન કરાયું છે, જેમાં દરેક વિધાનસભામાં 4 કિમી રોડ શો યોજશે અને બીજા દિવસે એટલે કે 19મીએ ગાંધીનગર કલેક્ટર કચેરીએ પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે.

મીડિયા રિપોર્ટ મુજબ અમિતભાઇ શાહ 18મીએ સવાર અને સાંજ એમ બે તબક્કામાં રોડ શો યોજશે. સવારે ત્રણથી ચાર વિધાનસભા વિસ્તાર અને બપોર પછી બાકીની વિધાનસભા વિસ્તારોને આવરી લેતો ભવ્યાતિભવ્ય રોડ શો યોજવા માટે મેરેથોન બેઠકો ચાલી રહી છે. અમિતભાઇનો રોડ શો સાણંદથી શરૂ થઇને વેજલપુર, નારણપુરા, ઘાટલોડિયા અને પછી સાબરમતી, ગાંધીનગર ઉત્તર અને કલોલના વિસ્તારોને આવરી લેશે. દરેક વિધાનસભા વિસ્તારમાં 4-4 કિમીનો રોડ શો યોજાય એવી રીતે આયોજન ચાલી રહ્યું છે.19મીએ અમિતભાઇ ગાંધીનગર કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા જશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાષ્ટ્રીય આગેવાનો પણ તેમની સાથે જોડાશે.19મીએ જાહેરસભા યોજવા અંગે હજુ આખરી નિર્ણય લેવાયો નથી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના એસજી હાઇવે પર આવેલા જલસા પાર્ટી પ્લોટ પાસે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગર લોકસભા હેઠળ સાણંદ, વેજલપુર, નારણપુરા, ઘાટલોડિયા, સાબરમતી, ગાંધીનગર ઉત્તર અને કલોલ વિધાનસભા બેઠકોના ધારાસભ્યો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા સભ્યો, સંગઠનના પદાધિકારીઓ, લોકસભા પ્રભારી અને સાંસદ મયંક નાયક, લોકસભા પ્રભારી ધારાસભ્ય હર્ષદ પટેલ, ક્લસ્ટર પ્રભારી કે.સી. પટેલ સહિતના પ્રદેશના આગેવાનોના માર્ગદર્શનમાં માઇક્રો પ્લાનિંગ સાથે પ્રચારની વ્યવસ્થા ગોઠવીને કામ શરૂ કરી દીધું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...