Thursday, February 19, 2026

નહેરૂનગરમાં એક વર્ષની રમતી દીકરી પર કારનું ટાયર ફરી વળ્યું, ઘટનાસ્થળે જ મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં કાર ચાલકે બાળકીને કચડી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં પાર્કિંગમાં રમતી બાળકીને કાર ચાલકે ટક્કર મારતા મોત નિપજ્યું છે. આ સમગ્ર બનાવ સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી આરોપી કારચાલકની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના નેહરુનગર વિસ્તારમાં આવેલા કલારે એપાર્ટમેન્ટમાં ગઈકાલે એક વર્ષ અને બે મહિનાની માસૂમ આસ્થા રમી રહી હતી. એ દરમિયાન બાળકી ભાખોડિયા ભરતી ભરતી કાર પાસે પહોંચી હતી અને તે કારના આગળના ભાગે ઊભી રહી ગઈ હતી. એ દરમિયાન કારચાલકે કારને આગળ દોડાવતા માસૂમ બાળકી પર કારનું ટાયર ફરી વળ્યું હતું અને તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બાળકી ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતાં પોલીસે આ સંદર્ભે અકસ્માતે મોત ગણીને તપાસ હાથ ધરી હતી અને આ સમગ્ર મામલે ટ્રાફિક વિભાગના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

જોકે ટ્રાફિક-પોલીસે કારચાલક કનક અર્જુનભાઇ લીડિયાની ધરપકડ કરી છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે, પરંતુ આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ ભલભલાનાં રૂંવાડાં ઊભાં થાય એવી ઘટના છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...