Tuesday, September 16, 2025

અમદાવાદની આ રેસ્ટોરન્ટમાં સેવ ઉસળની ચટણીમાંથી નીકળ્યો વંદો, AMC એ ફટકાર્યો 5 હજારનો દંડ

Share

Share

અમદાવાદ : અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ લાલાભાઈ સેવ ઉસળની ચટણીમાંથી વંદો નીકળતા ગ્રાહક હેબતાઈ ઉઠ્યો હતો. નરોડા વિસ્તારમાં આવેલ લાલાભાઇ સેવઉસળમાં એક ગ્રાહકે જરૂરી ઓર્ડર આપ્યો હતો. જેની સાથે આવેલ ચટણીમાંથી મરેલો વંદો નીકળતા ગ્રાહકે ધ્યાન દોર્યું હતું. જોકે દુકાનદારે કહ્યું હતું કે, ચટણીમાં જાણી જોઈને નાખવામાં નથી આવતું ભૂલથી પડી ગયું હશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના નરોડા વિસ્તારમાં વિઠ્ઠલ પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલા લાલાભાઇ સેવ ઉસળવાળાના ત્યાં બપોરના સમયે એક વ્યક્તિ સેવ ઉસળ લેવા માટે ગયો હતો. જ્યાંથી પાર્સલ આપ્યું હતું. જેમાં લસણની ચટણીનું પેકેટ આપવામાં આવ્યું હતું. વ્યક્તિએ લસણની ચટણીનું પેકેટ જોયું તો તેમાં કોઈ જીવજંતુ જેવું લાગ્યું હતું. જેથી તેણે પેકેટ ખોલીને જોતા તેમાંથી જ જીવજંતુ જ નીકળ્યું હતું. દુકાનમાં હાજર સ્ટાફને વ્યક્તિએ ફરિયાદ કરી હતી, તેમજ માલિક હાજર નહોતા પરંતુ તેમને ફોન કરી જાણ કરી હતી. દુકાનદારે પોતાની દુકાનમાં જાણી જોઈ અને આ રીતે ચટણીમાં કોઈ જંતુ નાખવામાં આવતું નથી, પરંતુ ક્યાંથી આવી ગયું હશે તેમ ગ્રાહકને કહ્યું હતું. આ અંગે ગ્રાહકે AMCના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી. અમદાવાદ મહાનગરપાલિકાના તંત્રે, જુગલ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી હાથ ધરીને 5 હજારનો દંડ ફટકાર્યો હતો.

અમદાવાદમાં રોજબરોજ લોકો બહારનું ખાવાનુ ખાઈ રહ્યાં છે. બહારના ખોરાકમાં કોઈ અખાદ્ય વસ્તુ જણાય તો તેઓ AMCના કંટ્રોલ રુમના નંબર 155303 ઉપર ફોન કરીને ધોરણસરની ફરિયાદ નોંધાવી શકે છે. આવી ફરિયાદ કરવાથી સંબધિત ખાધ્ય સામગ્રી બનાવનાર અને વેચનાર સામે ધોરણસરની કાર્યવાહી અમદાવાદ મહાનગરપાલિકા હાથ ધરતું હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...