Tuesday, February 17, 2026

અમદાવાદની આ રેસ્ટોરન્ટમાં સેવ ઉસળની ચટણીમાંથી નીકળ્યો વંદો, AMC એ ફટકાર્યો 5 હજારનો દંડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ લાલાભાઈ સેવ ઉસળની ચટણીમાંથી વંદો નીકળતા ગ્રાહક હેબતાઈ ઉઠ્યો હતો. નરોડા વિસ્તારમાં આવેલ લાલાભાઇ સેવઉસળમાં એક ગ્રાહકે જરૂરી ઓર્ડર આપ્યો હતો. જેની સાથે આવેલ ચટણીમાંથી મરેલો વંદો નીકળતા ગ્રાહકે ધ્યાન દોર્યું હતું. જોકે દુકાનદારે કહ્યું હતું કે, ચટણીમાં જાણી જોઈને નાખવામાં નથી આવતું ભૂલથી પડી ગયું હશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના નરોડા વિસ્તારમાં વિઠ્ઠલ પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલા લાલાભાઇ સેવ ઉસળવાળાના ત્યાં બપોરના સમયે એક વ્યક્તિ સેવ ઉસળ લેવા માટે ગયો હતો. જ્યાંથી પાર્સલ આપ્યું હતું. જેમાં લસણની ચટણીનું પેકેટ આપવામાં આવ્યું હતું. વ્યક્તિએ લસણની ચટણીનું પેકેટ જોયું તો તેમાં કોઈ જીવજંતુ જેવું લાગ્યું હતું. જેથી તેણે પેકેટ ખોલીને જોતા તેમાંથી જ જીવજંતુ જ નીકળ્યું હતું. દુકાનમાં હાજર સ્ટાફને વ્યક્તિએ ફરિયાદ કરી હતી, તેમજ માલિક હાજર નહોતા પરંતુ તેમને ફોન કરી જાણ કરી હતી. દુકાનદારે પોતાની દુકાનમાં જાણી જોઈ અને આ રીતે ચટણીમાં કોઈ જંતુ નાખવામાં આવતું નથી, પરંતુ ક્યાંથી આવી ગયું હશે તેમ ગ્રાહકને કહ્યું હતું. આ અંગે ગ્રાહકે AMCના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી. અમદાવાદ મહાનગરપાલિકાના તંત્રે, જુગલ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી હાથ ધરીને 5 હજારનો દંડ ફટકાર્યો હતો.

અમદાવાદમાં રોજબરોજ લોકો બહારનું ખાવાનુ ખાઈ રહ્યાં છે. બહારના ખોરાકમાં કોઈ અખાદ્ય વસ્તુ જણાય તો તેઓ AMCના કંટ્રોલ રુમના નંબર 155303 ઉપર ફોન કરીને ધોરણસરની ફરિયાદ નોંધાવી શકે છે. આવી ફરિયાદ કરવાથી સંબધિત ખાધ્ય સામગ્રી બનાવનાર અને વેચનાર સામે ધોરણસરની કાર્યવાહી અમદાવાદ મહાનગરપાલિકા હાથ ધરતું હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...