Saturday, February 14, 2026

ભાજપનું ટેન્શન વધારશે ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 ! શું છે ક્ષત્રિય સમાજની આગામી રણનીતિ ?

spot_img
Share

અમદાવાદ : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ ઉમેદવારી રદ કરવા ક્ષત્રિયોએ માગ કરી હતી. ભાજપ દ્વારા ઉમેદવારી રદ ન કરવામાં આવતાં હવે નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- 2 શરૂ કરવાની રણનીતિ ઘડવામાં આવી છે. આજે 19મી એપ્રિલના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજપૂત સંકલન સમિતિ અને તેની સાથે રાજપૂત સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્ત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ-કોન્ફરન્સ કરી અગત્યની જાહેરાત અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવી હતી.

આ અંગે સંકલન સમિતિના અધ્યક્ષ કરણસિંહ ચાવડાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટથી શરૂ થયેલુ આ આંદોલન સમગ્ર રાજ્યમાં પહોંચશે. પાર્ટ-1 ઓપરેશન રૂપાલા હતું, હવે આંદોલન પાર્ટ-2 ઓપરેશન ભાજપ અંગે રણનીતિ ઘડવામાં આવશે. કરણસિંહે જણાવ્યુ કે પરશોત્તમ રૂપાલાએ દિલથી માફી નથી માગી અને તેમની ટિકિટ રદ કરવાની માગ પર ક્ષત્રિયો હજુ પણ અડગ છે.

રાજપૂત સમાજ ભવન ગોતા ખાતે સમગ્ર ગુજરાતની સંકલન સમિતિ સાથે જોડાયેલી 100 જેટલી સંસ્થાઓ, ક્ષત્રિય સમાજના આગેવાનો અને કોર કમિટીની બેઠક મળી છે. રૂપાલાને આપવામાં આવેલી 19 તારીખનું અલ્ટીમેટમ પૂર્ણ થતા આ બેઠક બોલાવવામાં આવી છે. જેમા ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓ હાજર છે. આંદોલન પાર્ટ-2ના એજન્ડા અંગે સમિતિના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે.

શું છે ક્ષત્રિય સમાજની આગામી રણનીતિ ?
ક્ષત્રિય મહિલા આગેવાનો હવે 18 દિવસ સુધી પ્રતીક ઉપવાસ પર ઉતરશે. રાજ્યમાં ક્ષત્રિય સમાજની 21 બહેનો 18 દિવસ સુધી પ્રતિક ઉપવાસ પર ઉતરશે. અને અમારું આંદોલન સતત ચાલુ રહેશે.

ગુજરાતમાં 5 જગ્યાએથી ધર્મ રથ કાઢવામાં આવશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને અન્ય જગ્યાએ આવેલા મુખ્ય મંદિરોથી ધર્મ રથ કાઢવામાં આવશે. ધર્મ રથના માધ્યમથી અમે લોકો સુધી પહોંચીશું અને તેમને ભાજપને શા માટે ના ચૂંટાવું જોઈએ તેના વિષે જણાવીશું.

અમદાવાદના પોલીસ કમિશનરના જાહેરનામા સામે હવે ક્ષત્રિય સમાજે PIL દાખલ કરવામાં આવી છે. લોકશાહીમાં આ અમારી અભિવ્યક્તિ સ્વતંત્રતાનો ભંગ છે. કાળા વાવટા નહીં તો કેસરી વાવટાથી પણ વિરોધ તો કરીશું જ.

સમગ્ર રાજ્યમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાની કમિટીની નિમણૂક કરવામાં આવી છે. અમારું મુખ્ય એપીસેન્ટર રાજકોટ છે. હવે મુખ્ય કાર્યક્રમો રાજકોટમાં થશે. સૌરાષ્ટ્રના આગેવાનો અને યુવાનો, મહિલાઓ રાજકોટમાં વિરોધ દર્શાવશે અને ત્યાં કાર્યક્રમો યોજવામાં આવશે.

અમે લોકશાહી ઢબે લડવાના છીએ. અને “મત એજ શસ્ત્ર” છે અને તેનાથી જ લડવાનું છે. અમે “Boycott BJP” મુવમેન્ટ ચલાવવામાં આવશે. હવે રૂપાલા નહિ હવે ભાજપને હરાવવા ક્ષત્રિયો મેદાને ઉતાર્યા છે.

7મી મેના રોજ ભાજપને હરાવવા મોટા પાયે મતદાન થશે. 26 સીટમાં અમને રૂપાલા દેખાય છે અને અમે હવે ગુજરાતમાં દરેક સીટ પર ભાજપના ઉમેદવારોને હરાવવા માટે આંદોલન ચલાવીશું.

સંકલન સમિતિના અધ્યક્ષ કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમે પહેલા પણ કોઈ વર્ગ વિગ્રહ નથી કર્યો અને આગળ પણ કરવાના નથી. હવે અમે સર્વ સમાજ સાથે મળીને રૂપાલાને હરાવવા મેદાને ઉતાર્યા છીએ.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...