Sunday, September 14, 2025

ભાજપનું ટેન્શન વધારશે ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 ! શું છે ક્ષત્રિય સમાજની આગામી રણનીતિ ?

Share

Share

અમદાવાદ : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ ઉમેદવારી રદ કરવા ક્ષત્રિયોએ માગ કરી હતી. ભાજપ દ્વારા ઉમેદવારી રદ ન કરવામાં આવતાં હવે નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- 2 શરૂ કરવાની રણનીતિ ઘડવામાં આવી છે. આજે 19મી એપ્રિલના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજપૂત સંકલન સમિતિ અને તેની સાથે રાજપૂત સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્ત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ-કોન્ફરન્સ કરી અગત્યની જાહેરાત અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવી હતી.

આ અંગે સંકલન સમિતિના અધ્યક્ષ કરણસિંહ ચાવડાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટથી શરૂ થયેલુ આ આંદોલન સમગ્ર રાજ્યમાં પહોંચશે. પાર્ટ-1 ઓપરેશન રૂપાલા હતું, હવે આંદોલન પાર્ટ-2 ઓપરેશન ભાજપ અંગે રણનીતિ ઘડવામાં આવશે. કરણસિંહે જણાવ્યુ કે પરશોત્તમ રૂપાલાએ દિલથી માફી નથી માગી અને તેમની ટિકિટ રદ કરવાની માગ પર ક્ષત્રિયો હજુ પણ અડગ છે.

રાજપૂત સમાજ ભવન ગોતા ખાતે સમગ્ર ગુજરાતની સંકલન સમિતિ સાથે જોડાયેલી 100 જેટલી સંસ્થાઓ, ક્ષત્રિય સમાજના આગેવાનો અને કોર કમિટીની બેઠક મળી છે. રૂપાલાને આપવામાં આવેલી 19 તારીખનું અલ્ટીમેટમ પૂર્ણ થતા આ બેઠક બોલાવવામાં આવી છે. જેમા ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓ હાજર છે. આંદોલન પાર્ટ-2ના એજન્ડા અંગે સમિતિના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે.

શું છે ક્ષત્રિય સમાજની આગામી રણનીતિ ?
ક્ષત્રિય મહિલા આગેવાનો હવે 18 દિવસ સુધી પ્રતીક ઉપવાસ પર ઉતરશે. રાજ્યમાં ક્ષત્રિય સમાજની 21 બહેનો 18 દિવસ સુધી પ્રતિક ઉપવાસ પર ઉતરશે. અને અમારું આંદોલન સતત ચાલુ રહેશે.

ગુજરાતમાં 5 જગ્યાએથી ધર્મ રથ કાઢવામાં આવશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને અન્ય જગ્યાએ આવેલા મુખ્ય મંદિરોથી ધર્મ રથ કાઢવામાં આવશે. ધર્મ રથના માધ્યમથી અમે લોકો સુધી પહોંચીશું અને તેમને ભાજપને શા માટે ના ચૂંટાવું જોઈએ તેના વિષે જણાવીશું.

અમદાવાદના પોલીસ કમિશનરના જાહેરનામા સામે હવે ક્ષત્રિય સમાજે PIL દાખલ કરવામાં આવી છે. લોકશાહીમાં આ અમારી અભિવ્યક્તિ સ્વતંત્રતાનો ભંગ છે. કાળા વાવટા નહીં તો કેસરી વાવટાથી પણ વિરોધ તો કરીશું જ.

સમગ્ર રાજ્યમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાની કમિટીની નિમણૂક કરવામાં આવી છે. અમારું મુખ્ય એપીસેન્ટર રાજકોટ છે. હવે મુખ્ય કાર્યક્રમો રાજકોટમાં થશે. સૌરાષ્ટ્રના આગેવાનો અને યુવાનો, મહિલાઓ રાજકોટમાં વિરોધ દર્શાવશે અને ત્યાં કાર્યક્રમો યોજવામાં આવશે.

અમે લોકશાહી ઢબે લડવાના છીએ. અને “મત એજ શસ્ત્ર” છે અને તેનાથી જ લડવાનું છે. અમે “Boycott BJP” મુવમેન્ટ ચલાવવામાં આવશે. હવે રૂપાલા નહિ હવે ભાજપને હરાવવા ક્ષત્રિયો મેદાને ઉતાર્યા છે.

7મી મેના રોજ ભાજપને હરાવવા મોટા પાયે મતદાન થશે. 26 સીટમાં અમને રૂપાલા દેખાય છે અને અમે હવે ગુજરાતમાં દરેક સીટ પર ભાજપના ઉમેદવારોને હરાવવા માટે આંદોલન ચલાવીશું.

સંકલન સમિતિના અધ્યક્ષ કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમે પહેલા પણ કોઈ વર્ગ વિગ્રહ નથી કર્યો અને આગળ પણ કરવાના નથી. હવે અમે સર્વ સમાજ સાથે મળીને રૂપાલાને હરાવવા મેદાને ઉતાર્યા છીએ.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...