Friday, November 14, 2025

ભાજપનું ટેન્શન વધારશે ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 ! શું છે ક્ષત્રિય સમાજની આગામી રણનીતિ ?

spot_img
Share

અમદાવાદ : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ ઉમેદવારી રદ કરવા ક્ષત્રિયોએ માગ કરી હતી. ભાજપ દ્વારા ઉમેદવારી રદ ન કરવામાં આવતાં હવે નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- 2 શરૂ કરવાની રણનીતિ ઘડવામાં આવી છે. આજે 19મી એપ્રિલના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજપૂત સંકલન સમિતિ અને તેની સાથે રાજપૂત સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્ત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ-કોન્ફરન્સ કરી અગત્યની જાહેરાત અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવી હતી.

આ અંગે સંકલન સમિતિના અધ્યક્ષ કરણસિંહ ચાવડાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટથી શરૂ થયેલુ આ આંદોલન સમગ્ર રાજ્યમાં પહોંચશે. પાર્ટ-1 ઓપરેશન રૂપાલા હતું, હવે આંદોલન પાર્ટ-2 ઓપરેશન ભાજપ અંગે રણનીતિ ઘડવામાં આવશે. કરણસિંહે જણાવ્યુ કે પરશોત્તમ રૂપાલાએ દિલથી માફી નથી માગી અને તેમની ટિકિટ રદ કરવાની માગ પર ક્ષત્રિયો હજુ પણ અડગ છે.

રાજપૂત સમાજ ભવન ગોતા ખાતે સમગ્ર ગુજરાતની સંકલન સમિતિ સાથે જોડાયેલી 100 જેટલી સંસ્થાઓ, ક્ષત્રિય સમાજના આગેવાનો અને કોર કમિટીની બેઠક મળી છે. રૂપાલાને આપવામાં આવેલી 19 તારીખનું અલ્ટીમેટમ પૂર્ણ થતા આ બેઠક બોલાવવામાં આવી છે. જેમા ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓ હાજર છે. આંદોલન પાર્ટ-2ના એજન્ડા અંગે સમિતિના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે.

શું છે ક્ષત્રિય સમાજની આગામી રણનીતિ ?
ક્ષત્રિય મહિલા આગેવાનો હવે 18 દિવસ સુધી પ્રતીક ઉપવાસ પર ઉતરશે. રાજ્યમાં ક્ષત્રિય સમાજની 21 બહેનો 18 દિવસ સુધી પ્રતિક ઉપવાસ પર ઉતરશે. અને અમારું આંદોલન સતત ચાલુ રહેશે.

ગુજરાતમાં 5 જગ્યાએથી ધર્મ રથ કાઢવામાં આવશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને અન્ય જગ્યાએ આવેલા મુખ્ય મંદિરોથી ધર્મ રથ કાઢવામાં આવશે. ધર્મ રથના માધ્યમથી અમે લોકો સુધી પહોંચીશું અને તેમને ભાજપને શા માટે ના ચૂંટાવું જોઈએ તેના વિષે જણાવીશું.

અમદાવાદના પોલીસ કમિશનરના જાહેરનામા સામે હવે ક્ષત્રિય સમાજે PIL દાખલ કરવામાં આવી છે. લોકશાહીમાં આ અમારી અભિવ્યક્તિ સ્વતંત્રતાનો ભંગ છે. કાળા વાવટા નહીં તો કેસરી વાવટાથી પણ વિરોધ તો કરીશું જ.

સમગ્ર રાજ્યમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાની કમિટીની નિમણૂક કરવામાં આવી છે. અમારું મુખ્ય એપીસેન્ટર રાજકોટ છે. હવે મુખ્ય કાર્યક્રમો રાજકોટમાં થશે. સૌરાષ્ટ્રના આગેવાનો અને યુવાનો, મહિલાઓ રાજકોટમાં વિરોધ દર્શાવશે અને ત્યાં કાર્યક્રમો યોજવામાં આવશે.

અમે લોકશાહી ઢબે લડવાના છીએ. અને “મત એજ શસ્ત્ર” છે અને તેનાથી જ લડવાનું છે. અમે “Boycott BJP” મુવમેન્ટ ચલાવવામાં આવશે. હવે રૂપાલા નહિ હવે ભાજપને હરાવવા ક્ષત્રિયો મેદાને ઉતાર્યા છે.

7મી મેના રોજ ભાજપને હરાવવા મોટા પાયે મતદાન થશે. 26 સીટમાં અમને રૂપાલા દેખાય છે અને અમે હવે ગુજરાતમાં દરેક સીટ પર ભાજપના ઉમેદવારોને હરાવવા માટે આંદોલન ચલાવીશું.

સંકલન સમિતિના અધ્યક્ષ કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમે પહેલા પણ કોઈ વર્ગ વિગ્રહ નથી કર્યો અને આગળ પણ કરવાના નથી. હવે અમે સર્વ સમાજ સાથે મળીને રૂપાલાને હરાવવા મેદાને ઉતાર્યા છીએ.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...