Tuesday, October 14, 2025

ભાજપનું ટેન્શન વધારશે ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 ! શું છે ક્ષત્રિય સમાજની આગામી રણનીતિ ?

Share

અમદાવાદ : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ ઉમેદવારી રદ કરવા ક્ષત્રિયોએ માગ કરી હતી. ભાજપ દ્વારા ઉમેદવારી રદ ન કરવામાં આવતાં હવે નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- 2 શરૂ કરવાની રણનીતિ ઘડવામાં આવી છે. આજે 19મી એપ્રિલના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજપૂત સંકલન સમિતિ અને તેની સાથે રાજપૂત સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્ત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ-કોન્ફરન્સ કરી અગત્યની જાહેરાત અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવી હતી.

આ અંગે સંકલન સમિતિના અધ્યક્ષ કરણસિંહ ચાવડાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટથી શરૂ થયેલુ આ આંદોલન સમગ્ર રાજ્યમાં પહોંચશે. પાર્ટ-1 ઓપરેશન રૂપાલા હતું, હવે આંદોલન પાર્ટ-2 ઓપરેશન ભાજપ અંગે રણનીતિ ઘડવામાં આવશે. કરણસિંહે જણાવ્યુ કે પરશોત્તમ રૂપાલાએ દિલથી માફી નથી માગી અને તેમની ટિકિટ રદ કરવાની માગ પર ક્ષત્રિયો હજુ પણ અડગ છે.

રાજપૂત સમાજ ભવન ગોતા ખાતે સમગ્ર ગુજરાતની સંકલન સમિતિ સાથે જોડાયેલી 100 જેટલી સંસ્થાઓ, ક્ષત્રિય સમાજના આગેવાનો અને કોર કમિટીની બેઠક મળી છે. રૂપાલાને આપવામાં આવેલી 19 તારીખનું અલ્ટીમેટમ પૂર્ણ થતા આ બેઠક બોલાવવામાં આવી છે. જેમા ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓ હાજર છે. આંદોલન પાર્ટ-2ના એજન્ડા અંગે સમિતિના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે.

શું છે ક્ષત્રિય સમાજની આગામી રણનીતિ ?
ક્ષત્રિય મહિલા આગેવાનો હવે 18 દિવસ સુધી પ્રતીક ઉપવાસ પર ઉતરશે. રાજ્યમાં ક્ષત્રિય સમાજની 21 બહેનો 18 દિવસ સુધી પ્રતિક ઉપવાસ પર ઉતરશે. અને અમારું આંદોલન સતત ચાલુ રહેશે.

ગુજરાતમાં 5 જગ્યાએથી ધર્મ રથ કાઢવામાં આવશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને અન્ય જગ્યાએ આવેલા મુખ્ય મંદિરોથી ધર્મ રથ કાઢવામાં આવશે. ધર્મ રથના માધ્યમથી અમે લોકો સુધી પહોંચીશું અને તેમને ભાજપને શા માટે ના ચૂંટાવું જોઈએ તેના વિષે જણાવીશું.

અમદાવાદના પોલીસ કમિશનરના જાહેરનામા સામે હવે ક્ષત્રિય સમાજે PIL દાખલ કરવામાં આવી છે. લોકશાહીમાં આ અમારી અભિવ્યક્તિ સ્વતંત્રતાનો ભંગ છે. કાળા વાવટા નહીં તો કેસરી વાવટાથી પણ વિરોધ તો કરીશું જ.

સમગ્ર રાજ્યમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાની કમિટીની નિમણૂક કરવામાં આવી છે. અમારું મુખ્ય એપીસેન્ટર રાજકોટ છે. હવે મુખ્ય કાર્યક્રમો રાજકોટમાં થશે. સૌરાષ્ટ્રના આગેવાનો અને યુવાનો, મહિલાઓ રાજકોટમાં વિરોધ દર્શાવશે અને ત્યાં કાર્યક્રમો યોજવામાં આવશે.

અમે લોકશાહી ઢબે લડવાના છીએ. અને “મત એજ શસ્ત્ર” છે અને તેનાથી જ લડવાનું છે. અમે “Boycott BJP” મુવમેન્ટ ચલાવવામાં આવશે. હવે રૂપાલા નહિ હવે ભાજપને હરાવવા ક્ષત્રિયો મેદાને ઉતાર્યા છે.

7મી મેના રોજ ભાજપને હરાવવા મોટા પાયે મતદાન થશે. 26 સીટમાં અમને રૂપાલા દેખાય છે અને અમે હવે ગુજરાતમાં દરેક સીટ પર ભાજપના ઉમેદવારોને હરાવવા માટે આંદોલન ચલાવીશું.

સંકલન સમિતિના અધ્યક્ષ કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમે પહેલા પણ કોઈ વર્ગ વિગ્રહ નથી કર્યો અને આગળ પણ કરવાના નથી. હવે અમે સર્વ સમાજ સાથે મળીને રૂપાલાને હરાવવા મેદાને ઉતાર્યા છીએ.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...