Thursday, November 27, 2025

અમદાવાદમાં AMTSએ વધુ એક નાગરિકને લીધો અડફેટે, આધેડ વેપારીનું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં એક ખૂણેથી બીજા ખૂણે જવા માટે AMTS બસ અને BRTS બસનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો લાભ શહેરની જનતા મળી રહ્યો છે.આ શહેરનાં લોકોને આશીર્વાદ ક્યારેક ને ક્યારેક શ્રાપ રૂપ બની જાય છે. અમદાવાદની લાઈફલાઈન ગણાતી AMTSની ટક્કરથી વધુ ઘટનાસ્થળે જ નાગરિકનું મોત થયું હતું. AMTSની બસે ભુલાભાઈ ચાર રસ્તા પાસે વેપારીને ટક્કર મારતા વેપારી રીતસરનો હવામાં ફંગોળાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. અકસ્માતના પગલે AMTS ની બસનો ચાલક લોકોના મારના ડરથી ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના વટવામાં આવેલી વ્રજભૂમિ સોસાયટીમાં 52 વર્ષીય નવીનભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા અને બહેરામપુરા ખાતે શ્રીવિષ્ણુ શો મીલ નામથી લાકડાનો વેપાર કરતા હતા. ગુરુવારે તેઓ મિલ ખાતે ગયા હતા, ચા પીને પોતાના ઘરે સોસાયટીના કાગળોની ફાઇલ લેવા જવા માટે નીકળ્યા હતા. ટુવ્હીલર લઈને ભૂલાભાઈ ચાર રસ્તા પાસે પહોંચ્યા હતા, તે સમયે પાછળથી આવેલી એક AMTS બસના ચાલકે પૂરપાટ ઝડપે બસ ચલાવીને નવીનભાઈના ટુવ્હીલરને ટક્કર મારી હતી, જેથી નવીનભાઈ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે નવીનભાઈને મૃત જાહેર કર્યા હતા.આ મામલે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત AMTS બસના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

AMTS ની બસે વેપારીને ટક્કર મારતા ઘટનાસ્થળે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું.અકસ્માતમાં મૃત્યુ પામેલા વેપારીની જાણ તેના સગાસંબંધીઓને કરવામાં આવતા સમગ્ર કુટુંબમાં કલ્પાંત મચી ગયું છે. આખું કુટુંબ શોકગ્રસ્ત થઈ ગયું છે. મૃતક વેપારી કુટુંબનો એકમાત્ર કમાનાર હતો અને આખું કુટુંબ હવે નિરાધાર થઈ ગયું હોય તેવી સ્થિતિ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...