Thursday, September 18, 2025

ચાંદલોડિયામાં અસામાજીક તત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલો કરી નાક કાપી નાખ્યું

Share

Share

અમદાવાદ : શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ દુર્ગા વિદ્યાલય પાસેથી બે યુવકો કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાંક ગરનાળા પાસે કેટલાક અસામાજીક તત્વોએ ગાડીના બોનેટ પર જોરથી મુક્કો માર્યો હતો, ત્યારબાદ ગાડીના ચાલકે તેમને મુક્કો કેમ માર્યો તેમ સવાલ કરતાં જ હુમલો કરી દીધો હતો. છરીથી નાક અને અન્ય ભાગો પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બધાએ ભેગા થઈને ગાડીમાં રહેલા બે મિત્રોને માર માર્યો હતો. તેની પોલીસ ફરિયાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ 21 વર્ષીય પ્રયાગ પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 2 મેના રોજ હું અને મારો મિત્ર દેવ રાઠોડ રાણીપ અમારા મિત્ર વિવેકના બર્થ-ડેમાં ગયા બાદ રાત્રીના મોડેથી ઘરે પરત જવા નીકળ્યા હતા.ચાંદલોડીયાના દુર્ગા સ્કૂલ પાસેના ગરનાળાથી પસાર થતા હતા. તે દરમિયાન ગરનાળાથી થોડે દુર રોડ પાસે કોઈ પાર્લર પાસે છ યુવકો બાઈક પર સવાર બે યુવકોને હેરાન કરી રહ્યા હતા. બાદમાં એ અસામાજીક તત્વોએ અમારી ગાડીના બોનેટ પર જોરથી મુક્કો માર્યો હતો, ત્યારબાદ ગાડીના ચાલકે તેમને મુક્કો કેમ માર્યો તેમ સવાલ કરતાં જ આ સમયે કારને જોતાં જ યુવકો કારમાં સવાર પ્રયાગ અને દેવને ઉતારી ઢોર માર માર્યો હતો. જેમાં એક વ્યક્તિએ પ્રયાગને છરીથી માર મારવાનો પ્રયાસ કર્યો હતો.

બાદમાં તમામ શખસોએ ફરીથી અહીથી પસાર થશો તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને ગંદી બિભત્સ ગાળો આપી હતી, ત્યારબાદ અસામાજીક તત્વોએ ગાડીને પથ્થર મારી આગળનો કાચ તોડી નાખ્યો અને આશરે 40 હજારનું નુકસાન કર્યું હતું, ત્યારબાદ બંને મિત્રો જીવ બચાવી ગાડી લઈને ત્યાંથી ભાગી ગયા હતા, આગળ જઈને 108 ને ફોન કરતા ફરિયાદીને લોહી નીકળતાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...