Sunday, November 16, 2025

ચાંદલોડિયામાં અસામાજીક તત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલો કરી નાક કાપી નાખ્યું

spot_img
Share

અમદાવાદ : શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ દુર્ગા વિદ્યાલય પાસેથી બે યુવકો કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાંક ગરનાળા પાસે કેટલાક અસામાજીક તત્વોએ ગાડીના બોનેટ પર જોરથી મુક્કો માર્યો હતો, ત્યારબાદ ગાડીના ચાલકે તેમને મુક્કો કેમ માર્યો તેમ સવાલ કરતાં જ હુમલો કરી દીધો હતો. છરીથી નાક અને અન્ય ભાગો પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બધાએ ભેગા થઈને ગાડીમાં રહેલા બે મિત્રોને માર માર્યો હતો. તેની પોલીસ ફરિયાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ 21 વર્ષીય પ્રયાગ પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 2 મેના રોજ હું અને મારો મિત્ર દેવ રાઠોડ રાણીપ અમારા મિત્ર વિવેકના બર્થ-ડેમાં ગયા બાદ રાત્રીના મોડેથી ઘરે પરત જવા નીકળ્યા હતા.ચાંદલોડીયાના દુર્ગા સ્કૂલ પાસેના ગરનાળાથી પસાર થતા હતા. તે દરમિયાન ગરનાળાથી થોડે દુર રોડ પાસે કોઈ પાર્લર પાસે છ યુવકો બાઈક પર સવાર બે યુવકોને હેરાન કરી રહ્યા હતા. બાદમાં એ અસામાજીક તત્વોએ અમારી ગાડીના બોનેટ પર જોરથી મુક્કો માર્યો હતો, ત્યારબાદ ગાડીના ચાલકે તેમને મુક્કો કેમ માર્યો તેમ સવાલ કરતાં જ આ સમયે કારને જોતાં જ યુવકો કારમાં સવાર પ્રયાગ અને દેવને ઉતારી ઢોર માર માર્યો હતો. જેમાં એક વ્યક્તિએ પ્રયાગને છરીથી માર મારવાનો પ્રયાસ કર્યો હતો.

બાદમાં તમામ શખસોએ ફરીથી અહીથી પસાર થશો તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને ગંદી બિભત્સ ગાળો આપી હતી, ત્યારબાદ અસામાજીક તત્વોએ ગાડીને પથ્થર મારી આગળનો કાચ તોડી નાખ્યો અને આશરે 40 હજારનું નુકસાન કર્યું હતું, ત્યારબાદ બંને મિત્રો જીવ બચાવી ગાડી લઈને ત્યાંથી ભાગી ગયા હતા, આગળ જઈને 108 ને ફોન કરતા ફરિયાદીને લોહી નીકળતાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...