Sunday, November 2, 2025

ચાંદલોડિયામાં અસામાજીક તત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલો કરી નાક કાપી નાખ્યું

Share

અમદાવાદ : શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ દુર્ગા વિદ્યાલય પાસેથી બે યુવકો કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાંક ગરનાળા પાસે કેટલાક અસામાજીક તત્વોએ ગાડીના બોનેટ પર જોરથી મુક્કો માર્યો હતો, ત્યારબાદ ગાડીના ચાલકે તેમને મુક્કો કેમ માર્યો તેમ સવાલ કરતાં જ હુમલો કરી દીધો હતો. છરીથી નાક અને અન્ય ભાગો પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બધાએ ભેગા થઈને ગાડીમાં રહેલા બે મિત્રોને માર માર્યો હતો. તેની પોલીસ ફરિયાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ 21 વર્ષીય પ્રયાગ પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 2 મેના રોજ હું અને મારો મિત્ર દેવ રાઠોડ રાણીપ અમારા મિત્ર વિવેકના બર્થ-ડેમાં ગયા બાદ રાત્રીના મોડેથી ઘરે પરત જવા નીકળ્યા હતા.ચાંદલોડીયાના દુર્ગા સ્કૂલ પાસેના ગરનાળાથી પસાર થતા હતા. તે દરમિયાન ગરનાળાથી થોડે દુર રોડ પાસે કોઈ પાર્લર પાસે છ યુવકો બાઈક પર સવાર બે યુવકોને હેરાન કરી રહ્યા હતા. બાદમાં એ અસામાજીક તત્વોએ અમારી ગાડીના બોનેટ પર જોરથી મુક્કો માર્યો હતો, ત્યારબાદ ગાડીના ચાલકે તેમને મુક્કો કેમ માર્યો તેમ સવાલ કરતાં જ આ સમયે કારને જોતાં જ યુવકો કારમાં સવાર પ્રયાગ અને દેવને ઉતારી ઢોર માર માર્યો હતો. જેમાં એક વ્યક્તિએ પ્રયાગને છરીથી માર મારવાનો પ્રયાસ કર્યો હતો.

બાદમાં તમામ શખસોએ ફરીથી અહીથી પસાર થશો તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને ગંદી બિભત્સ ગાળો આપી હતી, ત્યારબાદ અસામાજીક તત્વોએ ગાડીને પથ્થર મારી આગળનો કાચ તોડી નાખ્યો અને આશરે 40 હજારનું નુકસાન કર્યું હતું, ત્યારબાદ બંને મિત્રો જીવ બચાવી ગાડી લઈને ત્યાંથી ભાગી ગયા હતા, આગળ જઈને 108 ને ફોન કરતા ફરિયાદીને લોહી નીકળતાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...

ગિરનારની લીલી પરિક્રમાની તૈયારી પૂરજોશમાં, પદયાત્રીઓને અપાઈ મહત્વની સૂચના, આવું ન કરતા !

જુનાગઢ : જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓની વ્યવસ્થાને ધ્યાન રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ-સંતો ઉતારા મંડળ અને...

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...