Sunday, January 18, 2026

ગુજરાતીઓ માટે ખુશખબર: આવતીકાલથી અમદાવાદ એરપોર્ટથી વડોદરા સુધી સીધી STની વોલ્વો AC બસ મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પશ્ચિમ ભારતમાં હવાઈ માર્ગ માટે સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. દેશ અને દુનિયાની અનેક ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી ડાયરેક્ટ કનેક્ટિવિટી ધરાવે છે. ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અન્ય દેશમાં અને ભારતનાં અન્ય રાજ્યોમાં જવા ઈચ્છતા મોટાભાગના લોકોને અમદાવાદ એરપોર્ટ ખાતેથી મુસાફરી કરવાની હોય છે. ત્યારે વડોદરાથી અમદાવાદ એરપોર્ટ સુધી ઇન્ટર સિટી બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. GSRTCની આ પહેલ ઇન્ટરનેશનલ પ્રવાસ કરતા મુસાફરોને તથા બિઝનેસ ટ્રિપ પર જતા મુસાફરો માટે ખાસ ઉપયોગી બનશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ એરપોર્ટ પરથી સુરત બાદ હવે વડોદરા નવી બસની શરુઆત કરવામાં આવી છે. સુરત ST બસની વોલવો સેવા સફળ થતાં હવે વડોદરાના મુસાફરો માટે પણ આ સેવા એરપોર્ટ પરથી શરુ કરવામાં આવી છે. ગુરુવારથી આ સેવા એરપોર્ટથી શરુ કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટથી વડોદરા સુધી દરરોજ બે વખત GSRTCની બસ દોડશે. એટલે કે દરરોજ ચાર બસ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી વડોદરા વચ્ચે અવરજવર કરશે. વડોદરાની સફળતા બાદ ઉદયપુર અને ભુજ જેવા શહેરો માટે પણ શરુ કરવામાં આવશે.આ સુવિધાજનક સેવા વ્યસ્ત પ્રવાસીઓ માટે ખાસ છે. બિઝનેસ પ્રોફેશનલ્સ તેમના સમયનો મહત્તમ ઉપયોગ કરી શકે છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી સવારે 6 વાગ્યે GSRTCની બસ વડોદરા પહોંચવા માટે રવાના થશે જે સવારે 8:30 કલાકે વડોદરા પહોંચશે. જ્યારે બીજી બસ રાત્રે 11:30 કલાકે અમદાવાદ એરપોર્ટથી રવાના થઈને મોડી રાત્રે 1:30 કલાકે વડોદરા પહોંચશે. આ રીતે વડોદરાથી બપોરે 3:15 કે બસ અમદાવાદ એરપોર્ટ આવવા રવાના થશે, જે સાંજે 5:45 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચે છે. જ્યારે અન્ય બસ સાંજે 7:30 કલાકે વડોદરાથી રવાના થઈને રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.

આ બસ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જેમાં ઓનબોર્ડ મનોરંજન અને ચાર્જિંગ સુવિધાઓ, એર કંડીશન વોલ્વો બસ રહેશે. દિવસમાં બે વખત અમદાવાદ એરપોર્ટ પર અને બે વખત વડોદરા જશે. તેથી દરેક મુસાફર પોતાના સમયે ફ્લાઇટ પકડી શકશે. આ બસનું સમયપત્રક ફ્લાઇટ અને સમયની અનુકુળતા મુજબ તૈયાર કરવામાં આવશે. આ બસનો ઉપયોગ કરનાર મુસાફરો GSRTCની વેબસાઇટ અથવા ઉપરાંત વિવિધ ટ્રાવેલ પોર્ટલ દ્વારા સીટ ઓનલાઇન બુક કરાવી શકશે.

વડોદરા એરપોર્ટ અમદાવાદ એરપોર્ટની સરખામણીએ દેશ-વિદેશ સાથે ઓછી કનેક્ટિવિટી ધરાવે છે. તેથી ત્યાંના રહેવાસીઓએ કોઈ નિશ્ચિત સ્થળ પર પહોંચવા માટે અમદાવાદ એરપોર્ટ આવવું પડતું હોય છે. જો આ બસનો ઉપયોગ કરવામાં આવે તો વડોદરાથી અન્ય કોઈ સાધન બદલવામાં સમય વેડફ્યા વગર સીધા અમદાવાદ એરપોર્ટ પહોંચી શકે છે.

આ લોન્ચિંગ સમગ્ર ગુજરાતમાં મુખ્ય સ્થળોને GSRTCના વિશ્વસનીય નેટવર્ક સાથે જોડતા કેન્દ્રીય હબ બનવાના SVPIના વિઝનને મજબૂત બનાવે છે. ફેબ્રુઆરી 2024માં રાજકોટ માટે સીધી બસ સેવાની સફળ શરૂઆત બાદ નેટવર્ક ટૂંક સમયમાં ઉદયપુર અને ભુજ જેવા મોટા શહેરોમાં વિસ્તરશે. આ પરિવર્તન અમદાવાદ એરપોર્ટને ગુજરાતની વૈવિધ્યસભર સુંદરતાનું અન્વેષણ કરવા માટેના સાચા પ્રવેશદ્વાર તરીકે સ્થાન આપે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...