Sunday, January 18, 2026

અમદાવાદમાં આવતીકાલે સીઝનમાં પ્રથમવાર રેડ એલર્ટ, શું કરવું અને શું ન કરવુ જાણો ?

spot_img
Share

અમદાવાદ : ગુજરાતભરમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે હીટવેવની અસર પણ લોકોમાં જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે અમદાવાદમાં આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના એક જિલ્લામાંથી છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.રાજ્યમાં બનાસકાંઠા,સાબરકાંઠા,વલસાડ,આણંદમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. શહેરનું તાપમાન 45 કે તેથી વધુ જશે તેનું અનુમાન હવામાન વિભાગે લગાવવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીને લઈને AMCએ સાવચેતી રાખવા અપીલ કરી છે. સાથે સાથે આગામી પાંચ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.રે અમદાવાદીઓએ હવે પાંચ દિવસ સાચવીને રહેવાની જરૂર છે. ત્યારે આગામી 5 દિવસ માટે ગરમી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટમાં શું કરવું અને શું ન કરવુ તે પણ જણાવ્યુ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન
વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.
લાંબો સમય તડકામાં ન રેહવુ, હળવા રંગના સુતરાવ કપડા પહેરવાં.
ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.
નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવુ.

અતિશય ગરમીને લીધે લુ લાગવાનાં લક્ષણો નીચે મુજબ છે

ગરમીની અળાઈઓ
ખુબ પરસેવો થવો અને અશક્તિ લાગવી
માથાનો દુખાવો, ચક્કર આવવા
ચામડી લાલ-સુકી અને ગરમ થઇ જવી.
સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી.
ઉબકા અને ઉલટી થવી.
વારંવાર પાણી પીશું ગરમીથી બચીશું

હવામાન વિભાગ દ્વારા આવનારા પાંચ દિવસો માટે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. ત્યારે રેડ એલર્ટને પગલે કન્સ્ટ્રક્શન સાઈટ પર બાંધકામ બંધ રાખવા સૂચના અપાઈ છે. સાથે જ સગર્ભાઓ, બાળકો અને ઉંમરલાયક વ્યક્તિઓએ ખાસ ધ્યાન રાખવા તાકીદ સૂચના અપાઈ છે. બિનજરૂરી કોઈપણ વ્યક્તિએ બહાર ન નીકળવા સૂચના અપાઈ. બપોરના સમયે છાંયડામાં રહેવાની સૌને ખાસ તાકીદ છે.

સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે.આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, આણંદ, સુરત, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને વલસાડમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.અમરેલી, સાબરકાંઠા, યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...