Tuesday, February 17, 2026

અમદાવાદમાં આવતીકાલે સીઝનમાં પ્રથમવાર રેડ એલર્ટ, શું કરવું અને શું ન કરવુ જાણો ?

spot_img
Share

અમદાવાદ : ગુજરાતભરમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે હીટવેવની અસર પણ લોકોમાં જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે અમદાવાદમાં આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના એક જિલ્લામાંથી છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.રાજ્યમાં બનાસકાંઠા,સાબરકાંઠા,વલસાડ,આણંદમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. શહેરનું તાપમાન 45 કે તેથી વધુ જશે તેનું અનુમાન હવામાન વિભાગે લગાવવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીને લઈને AMCએ સાવચેતી રાખવા અપીલ કરી છે. સાથે સાથે આગામી પાંચ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.રે અમદાવાદીઓએ હવે પાંચ દિવસ સાચવીને રહેવાની જરૂર છે. ત્યારે આગામી 5 દિવસ માટે ગરમી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટમાં શું કરવું અને શું ન કરવુ તે પણ જણાવ્યુ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન
વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.
લાંબો સમય તડકામાં ન રેહવુ, હળવા રંગના સુતરાવ કપડા પહેરવાં.
ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.
નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવુ.

અતિશય ગરમીને લીધે લુ લાગવાનાં લક્ષણો નીચે મુજબ છે

ગરમીની અળાઈઓ
ખુબ પરસેવો થવો અને અશક્તિ લાગવી
માથાનો દુખાવો, ચક્કર આવવા
ચામડી લાલ-સુકી અને ગરમ થઇ જવી.
સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી.
ઉબકા અને ઉલટી થવી.
વારંવાર પાણી પીશું ગરમીથી બચીશું

હવામાન વિભાગ દ્વારા આવનારા પાંચ દિવસો માટે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. ત્યારે રેડ એલર્ટને પગલે કન્સ્ટ્રક્શન સાઈટ પર બાંધકામ બંધ રાખવા સૂચના અપાઈ છે. સાથે જ સગર્ભાઓ, બાળકો અને ઉંમરલાયક વ્યક્તિઓએ ખાસ ધ્યાન રાખવા તાકીદ સૂચના અપાઈ છે. બિનજરૂરી કોઈપણ વ્યક્તિએ બહાર ન નીકળવા સૂચના અપાઈ. બપોરના સમયે છાંયડામાં રહેવાની સૌને ખાસ તાકીદ છે.

સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે.આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, આણંદ, સુરત, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને વલસાડમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.અમરેલી, સાબરકાંઠા, યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...