Thursday, March 5, 2026

અમદાવાદ DEOનો આદેશ : શાળાઓમાં પરિણામ, પ્રવેશ સહિત કામગીરી સવારે 7 થી 10માં પૂર્ણ કરવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ગરમી 45 ડિગ્રી સુધી પહોંચી છે. જેથી હીટવેવને લઈને અમદાવાદ ગ્રામ્ય અને શહેર DEO દ્વારા તમામ સ્કૂલોમાં આચાર્યને પત્ર લખીને આદેશ કર્યો છે કે, ગરમીના કારણે વહીવટી કામગીરી અને વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ તથા અન્ય કામગીરી સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી પૂર્ણ કરવામાં આવશે. DEO કચેરીની કામગીરી માટે રૂબરૂ આવવાની જગ્યાએ ઇ-મેલ અથવા વોટ્સએપ આધારે સંકલન કરવાનું રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેર DEOએ તમામ આચાર્યને આદેશ કર્યો છે કે, DEO કચેરી દ્વારા વર્ગ ઘટાડાની સુનાવણી તથા વિવિધ સ્કૂલો દ્વારા જે પણ રૂબરૂ સુનાવણીની અગાઉ તારીખ ફાળવેલ હોય તે તમામ તેમજ તાલીમ કાર્યક્રમ હાલ પૂરતા બીજી સૂચના આપવામાં આવે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પરિણામ વિતરણની કામગીરી, પ્રવેશની કામગીરી કે અન્ય કામગીરી શક્ય હોય તો સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન કરવાની રહેશે. સ્કૂલ દ્વારા DEO કચેરીની કોઈપણ કામગીરી હોય તો રૂબરૂ મુલાકાતને બદલે ઈમેલ અથવા વોટસએપ દ્વારા કરવાની રહેશે.

ગ્રામ્ય DEOએ પણ તમામ આચાર્યને આદેશ કર્યો છે કે, 5 દિવસની હીટવેવની આગાહી છે. તેના સમયગાળા દરમિયાન સ્કૂલના આચાર્ય અને વહીવટી કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે પરિણામ વિતરણ, પ્રવેશ તથા અન્ય વહીવટી કામગીરી સવારે 7થી 10 વાગ્યાના સમયગાળામાં પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન કરવાનું રહેશે. આ ઉપરાંત DEO કચેરીની કામગીરી પણ શક્ય હોય તો રૂબરૂ મુલાકાતને બદલે ઈમેલ અથવા ટેલિફોનીક માધ્યમથી સંકલન કરી પૂર્ણ કરવાની રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...