Thursday, January 22, 2026

અમદાવાદ DEOનો આદેશ : શાળાઓમાં પરિણામ, પ્રવેશ સહિત કામગીરી સવારે 7 થી 10માં પૂર્ણ કરવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ગરમી 45 ડિગ્રી સુધી પહોંચી છે. જેથી હીટવેવને લઈને અમદાવાદ ગ્રામ્ય અને શહેર DEO દ્વારા તમામ સ્કૂલોમાં આચાર્યને પત્ર લખીને આદેશ કર્યો છે કે, ગરમીના કારણે વહીવટી કામગીરી અને વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ તથા અન્ય કામગીરી સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી પૂર્ણ કરવામાં આવશે. DEO કચેરીની કામગીરી માટે રૂબરૂ આવવાની જગ્યાએ ઇ-મેલ અથવા વોટ્સએપ આધારે સંકલન કરવાનું રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેર DEOએ તમામ આચાર્યને આદેશ કર્યો છે કે, DEO કચેરી દ્વારા વર્ગ ઘટાડાની સુનાવણી તથા વિવિધ સ્કૂલો દ્વારા જે પણ રૂબરૂ સુનાવણીની અગાઉ તારીખ ફાળવેલ હોય તે તમામ તેમજ તાલીમ કાર્યક્રમ હાલ પૂરતા બીજી સૂચના આપવામાં આવે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પરિણામ વિતરણની કામગીરી, પ્રવેશની કામગીરી કે અન્ય કામગીરી શક્ય હોય તો સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન કરવાની રહેશે. સ્કૂલ દ્વારા DEO કચેરીની કોઈપણ કામગીરી હોય તો રૂબરૂ મુલાકાતને બદલે ઈમેલ અથવા વોટસએપ દ્વારા કરવાની રહેશે.

ગ્રામ્ય DEOએ પણ તમામ આચાર્યને આદેશ કર્યો છે કે, 5 દિવસની હીટવેવની આગાહી છે. તેના સમયગાળા દરમિયાન સ્કૂલના આચાર્ય અને વહીવટી કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે પરિણામ વિતરણ, પ્રવેશ તથા અન્ય વહીવટી કામગીરી સવારે 7થી 10 વાગ્યાના સમયગાળામાં પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન કરવાનું રહેશે. આ ઉપરાંત DEO કચેરીની કામગીરી પણ શક્ય હોય તો રૂબરૂ મુલાકાતને બદલે ઈમેલ અથવા ટેલિફોનીક માધ્યમથી સંકલન કરી પૂર્ણ કરવાની રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...