Wednesday, March 4, 2026

હીટવેવને લઈને ટ્યુશન ક્લાસિસ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે મોટો નિર્ણય, સરકારી કચેરીઓમાં જાહેર રજાની માંગ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમીએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે અને હીટવેવથી મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા બપોરના સમયે બહાર ન નીકળવાની સૂચના કરાઈ છે. ત્યારે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત દ્વારા આવનારા પાંચ દિવસો દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે 12 થી 4 શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં નિર્ણય લેવાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશન, ગુજરાતના પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતનાં મહાનગરો, તમામ જિલ્લા અને તાલુકાઓમાં આ સંસ્થાના સદસ્યો છે. ફેડરેશનની કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિત માટે બપોરે 12થી સાંજના 4 વાગ્યા સુધી એજ્યુકેશન સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

તો બીજી તરફ, હીટવેવના પગલે સરકારી કચેરીઓમાં જાહેર રજા આપવા ગુજરાત કર્મચારી મહામંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. આ વિશે મંડળના મહામંત્રી ભરત ચૌધરીએ જણાવ્યું કે, સતત વધતું તાપમાન કર્મચારીઓને નુકસાન કરી શકે છે. તેથી આગામી સપ્તાહમાં જાહેર રજા આપવી જોઈએ. સરકારી કચેરીઓમાં પંખા અને કુલર યોગ્ય ચાલતા નથી, પીવાના પાણીની પણ યોગ્ય વ્યવસ્થા નથી. તેથી આ અંગે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...