Wednesday, March 11, 2026

અમદાવાદના તમામ ગેમઝોનમાં ચેકિંગ કરવાનો આદેશ, AMC એક્શનમાં ! આવતીકાલે શરૂ થશે આ કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : રાજકોટમાં શનિવારે TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે. આગના કારણે ધુમાડાના ગોટેગોટા પાંચ કિલોમીટર દૂર સુધી ફેલાયા હતા. મૃતકોમાં ઘણા બાળકો હોવાની આશંકા છે.સ્થાનિક રહેવાસીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 12થી વધુ બાળકો અને તેમના માતા પિતા ગેમિંગ ઝોનની અંદર ફસાયેલા હતા. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમાંના ઘણાને સફળતાપૂર્વક બચાવ્યા હતા.

રાજ્યમાં બનેલી ગંભીર ઘટનાને ધ્યાનમાં લઈને સરકારની સૂચના મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા તમામ ગેમ ઝોનમાં ચેકિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ગેમીંગ ઝોનમાં તપાસ કરશે. આવતીકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તપાસ હાથ ધરશે. ફાયરબ્રિગેડ, એસ્ટેટ સહીતના અધિકારીઓ તપાસ કરશે. રાજકોટમાં ગેમિંગઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યભરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે.

શહેરમાં આવેલા તમામ ગેમિંગ ઝોનમાં ચેકિંગ કરવા માટે સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. ફાયર બ્રિગેડ, ઈલેક્ટ્રીક, સિવિલ એન્જિનીયરિંગ, એસ્ટેટ-ટીડીઓ વિભાગના અધિકારીઓ અને સ્ટાફ સહિતની ટીમ દ્વારા તમામ પ્રકારના પાસાંઓને ધ્યાનમાં લઈને ચકાસણી કરવામાં આવશે. AMC દ્વારા સુરક્ષા સંબંધિત તમામ પાસાંઓનું ચેકિંગ કરવા સહિતની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી કોઈપણ સ્થળે ગેમઝોન ચાલુ કરવા દેવામાં આવશે નહીં.

એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં સિંધુ ભવન ખાતે આવેલ ફન બ્લાસ્ટને બંધ કરાયું છે. જેમાં ફન બ્લાસ્ટમાં આવેલા લોકોને એનાઉન્સમેન્ટ કરીને લોકોને ફન બ્લાસ્ટને છોડવા માટે વિનંતી કરી હતી. આ સાથે ફાયર બ્રિગેડની ટીમને દરેક ગેમઝોનના ચેકિંગ કરવા માટે આવશે. આ સાથે આગામી સૂચના સુધી તમામ ગેમઝોન બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...