Monday, January 19, 2026

અમદાવાદના તમામ ગેમઝોનમાં ચેકિંગ કરવાનો આદેશ, AMC એક્શનમાં ! આવતીકાલે શરૂ થશે આ કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : રાજકોટમાં શનિવારે TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે. આગના કારણે ધુમાડાના ગોટેગોટા પાંચ કિલોમીટર દૂર સુધી ફેલાયા હતા. મૃતકોમાં ઘણા બાળકો હોવાની આશંકા છે.સ્થાનિક રહેવાસીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 12થી વધુ બાળકો અને તેમના માતા પિતા ગેમિંગ ઝોનની અંદર ફસાયેલા હતા. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમાંના ઘણાને સફળતાપૂર્વક બચાવ્યા હતા.

રાજ્યમાં બનેલી ગંભીર ઘટનાને ધ્યાનમાં લઈને સરકારની સૂચના મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા તમામ ગેમ ઝોનમાં ચેકિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ગેમીંગ ઝોનમાં તપાસ કરશે. આવતીકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તપાસ હાથ ધરશે. ફાયરબ્રિગેડ, એસ્ટેટ સહીતના અધિકારીઓ તપાસ કરશે. રાજકોટમાં ગેમિંગઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યભરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે.

શહેરમાં આવેલા તમામ ગેમિંગ ઝોનમાં ચેકિંગ કરવા માટે સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. ફાયર બ્રિગેડ, ઈલેક્ટ્રીક, સિવિલ એન્જિનીયરિંગ, એસ્ટેટ-ટીડીઓ વિભાગના અધિકારીઓ અને સ્ટાફ સહિતની ટીમ દ્વારા તમામ પ્રકારના પાસાંઓને ધ્યાનમાં લઈને ચકાસણી કરવામાં આવશે. AMC દ્વારા સુરક્ષા સંબંધિત તમામ પાસાંઓનું ચેકિંગ કરવા સહિતની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી કોઈપણ સ્થળે ગેમઝોન ચાલુ કરવા દેવામાં આવશે નહીં.

એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં સિંધુ ભવન ખાતે આવેલ ફન બ્લાસ્ટને બંધ કરાયું છે. જેમાં ફન બ્લાસ્ટમાં આવેલા લોકોને એનાઉન્સમેન્ટ કરીને લોકોને ફન બ્લાસ્ટને છોડવા માટે વિનંતી કરી હતી. આ સાથે ફાયર બ્રિગેડની ટીમને દરેક ગેમઝોનના ચેકિંગ કરવા માટે આવશે. આ સાથે આગામી સૂચના સુધી તમામ ગેમઝોન બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...