Thursday, January 22, 2026

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : દેશની પ્રથમ અંડર સી ટનલ તૈયાર, જુઓ Video

spot_img
Share

અમદાવાદ : દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ઝડપી બનાવવા માટે કામ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં પ્રથમવાર અંડર વોટર બુલેટ ટ્રેન દોડતી થશે, જે અમદાવાદ- મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ભાગ રહેશે.દેશના અત્યંત મહત્ત્વાકાંક્ષી એવા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મહત્ત્વનો તબક્કો પાર પડ્યો છે. આ પ્રોજેક્ટ માટે તૈયાર કરવામાં આવી રહેલી અંડર સી ટનલ એટલે કે સમુદ્રમાંથી પસાર થનારી ટનલનું કામ પૂર્ણ થઇ ગયું હોવાનું રેલવે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. તેમણે જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટનું કામ 2020થી ચાલુ છે અને અંડર સી ટનલની કામગીરી પૂરી થઇ તે એક મોટી સિદ્ધી છે.

રેલવે પ્રધાન વૈષ્ણવે આ બાબતની જાણકારી (X) ટ્વિટ કરીને આપી હતી અને સાથે પૂરી થયેલી ટનલની કામગિરી દર્શાવતો વીડિયો પણ શેર કર્યો હતો. એડીટ(એડિશનલી ડ્રિવન ઇન્ટરમિડિયરી ટનલ) તરીકે ઓળખાતી આ ટનલ બાંધવાનું કામ ફક્ત છ મહિનાના સમયગાળામાં પૂરું કરવામાં આવ્યું હતું. આ ટનલની લંબાઇ 394 મીટર છે. 21 કિલોમીટરની મુખ્ય ટનલના બાંધકામમાં આ ટનલ મદદરૂપ થશે. 21 કિલોમીટરમાંથી સાત કિલોમીટરની ટનલ પણ અંડર સી એટલે કે સમુદ્રની અંદર બનાવવામાં આવશે. જ્યારે આખા પ્રોજેક્ટની કુલ લંબાઇ 508.18 કિલોમીટરની હશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...