Monday, January 19, 2026

હિટ સ્ટ્રોકથી સાવધાન ! અમદાવાદની સોલા સિવિલમાં 10% દર્દી હિટ સ્ટ્રોકના, ઝાડા ઊલટીના કેસ પણ વધ્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગરમીથી ત્રાહિમામ થયા છે. વધુ પડતી ગરમીના કારણે હીટસ્ટ્રોકના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહ દરમ્યાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે દર્દીઓના હિટ સ્ટ્રોકને કારણે મોત પણ નીપજ્યા હતા. આવી કાળઝાળ ગરમીમાં મનુષ્યને ડિહાઇડ્રેશન જેવી તકલીફ થતી હોય છે, ત્યારે સામાન્ય રીતે ભારે ગરમીમાં મચ્છરજન્ય રોગ નિયંત્રણમાં આવે છે. પરંતુ ગત સપ્તાહ દરમિયાન અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગના દર્દીઓ પણ સારવાર અર્થે પહોંચ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની OPD માં અથવા ઇમરજન્સીમાં જેટલા પણ દર્દીઓ આવે છે. તેના 10% દર્દીઓ ગરમીને કારણે થયેલી તકલીફ માટે સારવાર લેવા પહોંચે છે. મળતી માહિતી અનુસાર, હિલ નેસના અથવા હિટ સ્ટ્રોકના દરરોજ 250-300 દર્દીઓ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચે છે. આ ઉપરાંત કાળઝાળ ગરમીમાં વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થાય છે. કારણ કે, તાપમાનમા સતત વધારો થવાથી કેટલાક લોકોને તેને કારણે શરદી ખાંસી તાવ થાય છે. આ એક વાયરલ ઇન્ફેકશન હોવાથી તેના કેસમાં પણ વધારો થયો છે. ગત એક સપ્તાહ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ઇન્ફેક્શનના 1,709 દર્દીઓ નોંધાયા હતા.

આ ઉપરાંત ઓપીડીમાં 10,221 દર્દીઓ સારવાર અર્થે પહોચ્યા હતા. જેમાંથી 1,127 દર્દીઓને વધુ સારવાર અર્થે દાખલ કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહમાં અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 36 ડિગ્રીને પાર કરી ગયું હતું. તેને કારણે હિટ સ્ટ્રોકનામાં સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ગત સપ્તાહ દરમિયાન હિટ સ્ટ્રોકના ત્રણ દર્દીઓ સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જેમની સ્થિતિ હાલ સુધારા ઉપર છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...