Tuesday, January 20, 2026

અમદાવાદીઓ માટે ખુશખબર, હવે ઓનલાઈન Digilockerમાં મેળવી શક્શે બર્થ સર્ટિફિકેટ, જાણો સમગ્ર માહિતી

spot_img
Share

અમદાવાદ : દેશ ડિજિટલ થઈ રહ્યો છે, તેની સાથે સાથે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ડિજિટલ થઈ રહ્યું છે. અમદાવાદવાસીઓના જન્મ પ્રમાણપત્ર (બર્થ સર્ટિફિકેટ) હવે જ્યારે પણ જરૂર પડશે ત્યારે online ઉપલબ્ધ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ જાહેરાત કરી છે કે નાગરિક સંસ્થા દ્વારા 1959 થી જારી કરાયેલ તમામ જન્મ પ્રમાણપત્રો, 2019 સુધીની નોટેશન તારીખો સાથે, હવે ડિજીલોકર એપ પર સુલભ છે. AMC એ કરેલી જાહેરાત પ્રમાણે વર્ષ 1959થી 2019ના વર્ષ સુધી જન્મેલા લોકોના બર્થ સર્ટિફિકેટ હવે DigiLocker એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી શકાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ તમારામાંથી ઘણા બધા લોકો ડિજિલોકર એપ યુઝ કરતા હશે. આ એપ યુઝ કરીને તમે આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ તેમાં સેવ રાખી શકો છો, અને ડાઉનલોડ પણ કરી શકો છો. હવે આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સની જેમ, DigiLocker એપ્લિકેશનમાંથી જન્મનું પ્રમાણપત્ર (બર્થ સર્ટિફિકેટ) ડિજીટલી મેળવી શકશે, જેને કારણે નાગરિકોને હાર્ડ કોપી સાથે રાખવાની ઝંજટમાંથી મુક્તિ મળશે. વર્ષ 1959 થી 2019 સુધીના જન્મના દાખલા ઓનલાઇન મળશે.

DigiLocker એપ્લિકેશન પરથી જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે યુઝરે પહેલા પ્લેટફોર્મ પર લોગ ઇન કરવું જરૂરી છે. કેવી રીતે DigiLocker એપ્લિકેશન જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય એ જોઈએ –

સૌથી પહેલા DigiLocker એપ્લિકેશન કે https://www.digilocker.gov.in/home વેબસાઈટ ઓપન કરો.
પછી મોબાઈલ નંબર નાખીને લોગ ઇન કરો.
અમદાવાદ માટે સર્ચ કરો અને પછી સર્ચ રીઝલ્ટમાંથી Birth Certificate – Ahmedabad Municipal Corporation પર ક્લિક કરો.
પછી નામ, જન્મ તારીખ અને રજિસ્ટ્રેશન નંબર જેવી વિગતો ભરવાની રહેશે.
આ પછી Get Document બટન પર ક્લિક કરો. હવે ગમે ત્યારે તમને તમારું જન્મનું પ્રમાણપત્ર મળી જશે.

DigiLocker ભારતીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ શરૂ કરવામાં આવેલું ડિજિટલ પ્લેટફોર્મ છે. આ એપ્લિકેશન પરથી લોકો આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, માર્કશીટ્સ વગેરે જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સને ગમે ત્યારે એક્સેસ કરી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...