Thursday, January 22, 2026

નારણપુરાની ફ્રેન્ડ્સ કોલોનીનો ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, 2 આરોપી પોલીસ સકંજામાં

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે.પોલીસે ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરી 15 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીને કોર્ટમા રજૂ કરી બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.જ્યારે વધુ એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના નારણપુરામાં ડી.કે.પટેલ હોલની બાજુમાં આવેલી ફ્રેન્ડ્સ કોલોનીના એક બંગલામાંથી ધોળે દિવસે 400 ગ્રામ વજનના સોનાના દાગીના, 1 કિલો ચાંદી અને રોકડ મળીને કુલ રૂ.24.95 લાખની ચોરી થઈ હતી. ફ્રેન્ડ્સ કોલોનીમાં રહેતાં ચાર્મીબહેન પટેલે નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર 28 મે સવારે 10.30 વાગ્યે ચાર્મીબહેન ઘરેથી ડ્રાયવર શૈલેષભાઈ દેસાઈ સાથે ગાડીમાં દુકાને ગયા હતા. ત્યાર બાદ બપોરે 1 વાગ્યે શૈલેષભાઈ હંસાબહેનને દુકાને લેવા ઘરે ગયા હતા. સાંજે 7 વાગ્યે ચાર્મીબહેન અને હંસાબહેન ઘરે ગયા હતા અને બેડરૂમમાં જઈને જોયું તો તિજોરી-કબાટમાંથી 400 ગ્રામ વજનના દાગીના, 1 કિલો ચાંદીના દાગીના અને રોકડા 25 હજાર મળી રૂ.24.95 લાખની મત્તાની ચોરી થઇ હતી. આ ઘટનામાં પોલીસે 15.58 લાખના મુદ્દામાલ સાથે 48 ગુનાઓ આચરેલા આરોપીઓને ઝડપી પાડ્યાં છે.

ઘરમાં રહેલી તિજોરી અને કબાટમાંથી સોનાના દાગીના, ચાંદીના વાસણો, ચાંદીના સિક્કા અને રોકડ રૂપિયા સહિત કુલ 25 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. ભોગ બનનારની ફરિયાદને આધારે ઝોન વન એલસીબી અને નારણપુરા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.ત્યાર બાદ આરોપીને કોર્ટમા રજૂ કરી બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...